એક્ટર કુશલ પંજાબીની કંઇક આ રીતે કરી અંતિમ વિધિ, જોઇ લો કરુણ તસવીરો તમે પણ

એક્ટર કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં પિતા સાથે લાવ્યા તુલસીનો છોડ, આ રીતે આપી અંતિમ વિદાઈ

image source

37 વર્ષીય અભિનેતા કુશલ પંજાબીએ શુક્રવારે તેના ઘરમાં આત્મહત્યા કરી હતી. તેમના અંતિમ સંસ્કાર શનિવારએ મુંબઈમાં કરવામાં આવ્યા.

કુશલને અંતિમ વિદાઈ આપવા તેના પરીવારના સભ્યો સાથે ટીવી સ્ટાર કરણવીર બોહરા અને ચેતન હંસરાજએ ખાસ હાજરી આપી હતી.

image source

આ ઉપરાંત જાણીતા ટીવી હોસ્ટ અર્જુન બિજલાની, સુશાંત સિંહ, બખ્તિયાર ઈરાની તેની પત્ની તનાઝ, ડેલનાઝ, એઝાઝ ખાન, દ્રષ્ટિ ધામી અને ડાયરેક્ટર કેન ઘોષ સહિત ટીવી ઈંડસ્ટ્રીના અનેક સિલેબ્સ કુશલ પંજાબીને અંતિમ વિદાઈ આપવા પહોંચ્યા હતા.

કુશલ પંજાબીના અંતિમ સંસ્કાર સમયે તેના પિતા હાથમાં તુલસીનો છોડ લઈને પહોંચ્યા હતા. જો કે દીકરાના અચાનક મોતના સમાચારથી આહત તેની માતાના પણ રડી રડીને હાલ બેહાલ થઈ ગયા હતા. કુશલના મિત્રોએ તેના માતાપિતાને સાંત્વના પાઠવી સંભાળ્યા હતા.

image source

કુશલએ મરતાં પહેલા પોતાની સંપત્તિ તેના દીકરા, બહેન અને પિતાના નામે કરી હતી. કુશલની આત્મહત્યા વિશે તેના ખાસ મિત્ર ચેતન હંસરાજે જણાવ્યું હતું કે, કુશલની પત્ની તેનાથી અલગ થઈ શાંઘાઈમાં રહેતી હતી.

image source

આ વાતથી તે ડિપ્રેશનમાં હતો. તેણે બે દિવસ પહેલા કુશલ સાથે વાત કરી ત્યારે પણ તેણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ચેતન હંસરાજએ કુશલને સાંત્વના આપી કે જીવનમાં જે પરિસ્થિતિ આવે તેને સ્વીકારી આગળ વધવું જરૂરી છે.

image source

પરંતુ કુશલ આત્મહત્યા કરશે તેવી કલ્પના તેના નજીકના મિત્રોને પણ ન હતી. કુશલના મિત્ર અને ટીવી સ્ટાર કરનવીર બહોરાએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે કુશલ હેપી ગો લકી.. નેચરવાળો વ્યક્તિ હતો.. તેના મોતના સમાચારથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા.

image source

મહત્વપૂર્ણ છે કે કુશલએ નવેમ્બર 2015માં યૂરોપિયન ગર્લફ્રેન્ડ ઓડ્રે ડોલેં સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. બંનેનો એક દીકરો પણ છે. પરંતુ લગ્નજીવનમાં કોઈ સમસ્યા થતા તેની પત્ની દીકરાને લઈ શાંઘાઈ જતી રહી હતી.

કુશલ મુંબઈમાં એકલો રહેતો હતો. પત્નીથી અલગ થવાના કારણે તે સતત પરેશાન રહેતો હતો. આ ડિપ્રેશનમાં તેણે આત્મહત્યા કરી લીધી. તેની ડેડબોડી પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી હતી.

image source

જેમાં તેણે લખ્યું હતું કે તેની આત્મહત્યા પાછળ કોઈ જવાબદાર નથી. કુશલએ આત્મહત્યા કરી તે દિવસે તેના માતાપિતા તેનો સંપર્ક કરવા સતત પ્રયત્ન કરતા હતા પરંતુ તેણે ફોન રિસીવ ન કર્યો.

ત્યારબાદ તેઓ રાત્રે મુંબઈ પહોંચ્યા અને ઘરમાં જઈને જોયું તો પંખા સાથે કુશલની લાશ લટકી રહી હતી.

image source

કુશલ પંજાબીએ ફિલ્મ જગતમાં ડાન્સર અને મોડલ તરીકે કારર્કિદીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે સલામ-એ-ઈશ્ક, ધન ધાન ધન ગોલ, કાલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે ટીવીમાં લવ મેરેજ, દેખો મગર પ્યાર સે, ડોન જેવી સીરીયલ્સમાં પણ કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ