કૂદરત દ્વારા આપવામાં આવતા આ સંકેતોને જાણો અને કીસ્મતના દરવાજા ખોલો !

જીવનમાં જો ઘટે આ ઘટનાઓ તો સમજી લો કે ખુલવાની છે આપની કિસ્મત હવે ખૂલવાની છે…!!

જીવનમાં કોઈ શુભ કાર્ય થતા પહેલા જ આપને તેના થવાનાં સંકેત મળવા લાગી જતા હોય છે અને આ સંકેતોની મદદથી આપણને એ વાતનો ખ્યાલ આવી જાય છે કે આપના ભવિષ્યમાં શું થવાનું છે.આપને અચાનક નીચે જણાવવામાં આવેલ ચીજો જો દેખાવા લાગે તો આપ સમજી લો કે આપના સારા દિવસ શરૂ થવાનાં છે.

જો જીવનમાં ઘટે આ ઘટનાઓ તો સમજી લો આવવાનાં છે સારા દિવસ

જો સંભળાય આ અવાજ

સવારનાં સમયમાં અચાનકથી આપને શંખ,ભજન,મંદિરની ઘંટીનો અવાજ કે પછી કોઈ મધુરવાણી સંભળાય તો તે કોઈ શુભ કાર્યનો સંકેત હોય છે.આ મધુર ધ્વનિઓને સાંભળવાનો અર્થ હોય છે કે આપના જીવનમાં કંઈક સારી ઘટના બનવાની છે.

દુલ્હન કે વરરાજાને જોવા

અચાનકથી જો આપને દુલ્હન કે વરરાજા દેખાય જાય તો કોઈ શુભ કાર્ય થવાનું પ્રતિક હોય છે અને તેને એક સારો શુકન માનવામાં આવે છે.જે લોકોનાં લગ્ન નથી થઈ રહ્યા તેમને જો અચાનક દુલ્હન કે વરરાજા દેખાય જાય તો તેમના લગ્ન જલ્દી જ થઈ જાય છે.ત્યાં જ જે લોકોનાં ઘરમાં કોઈ વ્યકિતનાં લગ્ન નથી થઇ રહ્યા અને એ મને નવી જોડી દેખાય જાય તો તેમના ઘરમાં પણ જલ્દી જ શરણાઈ વાગી જાય છે.

નાળિયેર જોવું

સવારે જાગતા જ નાળિયેરને જોવાથી દિવસ સારો પસાર થાય છે અને આપને દિવસભર શુભ સંકેત સાંભળવા મળે છે.આજ રીતે કોયલ કે ચકલીનો અવાજ સવાર સવારમાં સંભળાય જાય તો જીવનમાં આર્થિક લાભ થાય છે.

કોઈને દૂધ લઈ આવતા જોવા

રસ્તામાં જો આપ કોઈને દૂધ અથવા દહીં લાવતા જુઓ છો તો એ શુભ સંકેત તરફ ઈશારો હોય છે અને આપના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવી જાય છે.આ જ રીતે જો કોઈ પૂજાની થાળી લઈને મંદિર જઈ રહ્યુ હોય અને આપ તેને જોઈ લો તો આપને શીઘ્ર કોઈ ખુશખબર મળી જાય છે.

ખરતો તારો

તૂટતા તારાને જોવાથી આપની મનોકામના પૂરી થઈ જાય છે.એ ટલે આપ જ્યારે પણ કોઈ તૂટતા તારાને જુઓ તો તરત પોતાની મનોકામના માંગી લો.કહેવામાં આવે છે કે તૂટતા તારાને જોતા જે કંઈ માંગવામાં આવે છે તે ચીજ આપને 30 દિવસની અંદર મળી જાય છે.એ ક સાથે ઘણા બધા તૂટતા તારા જોવા ખૂબ લકી સાબિત થાય છે.

કાચબો અને સાંપ

સપનામાં કાચબો અને સાપને જોવાથી કિસ્મત એકદમ ખુલ્લી જાય છે અને આપને જે જોઈતું હોય છે તે આપને મળી જાય છે. રાતનાં સપનામાં કાચબો કે સાપ આવવા ખૂબ લાભદાયક માનવામાં આવે છે.આજ રીતે હાથીને જો સુંઢ ઉંચી કરતા જોવામાં આવે તો તે કોઈ મંગળ કાર્ય થવાનું પ્રતિક હોય છે.

મોરને જોવો

અચાનકથી મોર દેખાઈ જવો ખૂબ શુભ માનવામાં આવે છે જો આપને મોર પાંખ ખોલીને નાચતો દેખાય જાય તો તે જીવનમાં કોઈ શુભ અવસર આવવાનો ઈશારો કરે છે.કહેવામાં આવે છે કે નાચી રહેલા મોરને જોવાથી આપની મુલાકાત કોઈ જુનાં મિત્ર કે સંબંધી સાથે પણ થઈ જાય છે.

હાથમાં ખંજવાળ આવવી

હાથમાં ક જગ્યા પર ખંજવાળ આવવાને ધનલાભ સાથે જોડીને જોવામાં આવે છે અને કહેવાય છે કે જે લોકોને હાથમાં ખંજવાળ આવે છે તેમના જીવનમાં ક્યાંયથી પણ ધન આવવાનું હોય છે.તેના સિવાય વરસાદ દરમિયાન સૂરજ દેખાવો,સમુદ્ર કિનારે મોતી મળવું અને અચાનક રસ્તા પર પૈસા પડેલા મળવા પણ શુભ સંકેત તરફ ઈશારો કરે છે.

સફેદ ગાય

જો આપના ઘરની આસપાસ અચાનકથી કોઈ ગાય આવી જાય અને તે ભાંભરવા લાગે તો સમજી લો કે આપના જીવનમાં શુભ સમાચાર આવી શકે છે.ત્યાંજ ખેતરમાં ચારો ચરતી ગાય જોવી પણ શુભ પ્રતિક માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ