પ્રેમીના હાથે મારપીટનો શિકાર બની ચુકી છે આ અભિનેત્રીઓ, એમની આ આપવીતી જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

આમ તો બોલીવુડમાં સ્ત્રીઓ પર કેન્દ્રિત ઘણી બધી ફિલ્મો બને છે. તો બીજી બાજુ ઇન્ડસ્ટ્રીમાં પણ સ્ત્રીઓ પર અત્યાચાર થવાના સમાચાર આવતા રહે છે. ઘણી બધી અભિનેત્રીઓ છે જે પોતાના પતિ કે બોયફ્રેન્ડના હાથે મારપીટનો શિકાર થઈ છે. તો ચાલો જાણી લઈએ કોણ કોણ સામેલ છે આ લિસ્ટમાં.

શ્વેતા તિવારી.

image socure

શ્વેતાએ વર્ષ 2007માં પહેલા પતિ રાજા ચૌધરી સાથે ડિવોર્સ લીધા પછી અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા.બે વર્ષ પહેલાં એક્ટ્રેસ શ્વેતા તિવારીએ અભિનવ કોહલી વિરુદ્ધ એમના પર હાથ ઉપડવાનો આરોપ લગાવ્યો હતો. શ્વેતા તિવારીએ પોતાના પહેલા પતિ રાજા ચૌધરી પર પણ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.

કંગના રનૌત.

image socure

બોલીવુડમાં પોતાના શરૂઆતના દિવસોમાં કંગના રનૌત અભિનેતા આદિત્ય પંચોલી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. કંગનાએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં આદિત્ય પંચોલી સાથે પોતાના સંબંધો વિશે કહ્યું હતું કે “હું મુંબઈમાં એકદમ જ નવી હતી. 18 વર્ષની પણ નહોતી અને એક હોસ્ટેલમાં રહેતી હતી. ત્યારે આદિત્ય પંચોલીએ મને એક ફ્લેટ આપ્યો હતો પણ એમને મને ત્યાં હાઉસ અરેસ્ટ કરી દીધી હતી. મેં આ વિશે એમની પત્નીને વાત કરી પણ એમને પણ મારી મદદ કરવાની ના પાડી દીધી હતી. હું ઘણી મુશ્કેલીઓ બાદ બારીમાંથી કૂદીને એ ઘરમાંથી નીકળી શકી. એ પછી અનુરાગ બાસુ અને એમની પત્નીએ મારી મદદ કરી, અનુરાગે 15 દિવસ સુધી મને એમની ઓફિસમાં છુપાઈને રાખી હતી.

દલજીત કૌર.

image socure

બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ અને નચ બલિયે 4ની વિનર રહી ચુકેલી એક્ટ્રેસ દલજીત કૌરે પતિ શાલીન ભાનોટ વિરુદ્ધ પ્રતાડિત કરવાનો અને મારપીટ કરવાનો કેસ નોંધાવ્યો હતો. લગ્નના 6 વર્ષ પછી દલજીત કૌરે દહેજની માગણી કરવા બાબતે ફરિયાદ કરી હતી. હવે દલજીત પતિ શાલીનથી અલગ થઈને દીકરા જોર્ડન સાથે એકલા જ જિંદગી વિતાવી રહી છે.’

ઐશ્વર્યા રાય.

image socure

ઐશ્વર્યા રાય પણ ફિઝિકલ એબ્યુઝનો શિકાર બની ચુકી છે. જ્યારે સલમાન ખાન સાથે એમનું બ્રેકઅપ થયું હતું તો એકટર પોતાના પરનો કાબૂ ગુમાવી ચુક્યા હતા. એ નશાની હાલતમાં એક ફિલ્મના સેટ પર પહોંચી ગયા હતા અને એમને ત્યાં ખૂબ જ ધમાલ કરી હતી. એટલું જ નહીં મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ઐશ્વર્યાના ઘરની બહાર પણ નશામાં ખૂબ જ ધમાલ કરતા હતા.

કરિશ્મા કપૂર.

image socure

કરિશ્માએ પણ લગ્નમાં ખરાબ સમય જોયો છે. પોતાના પહેલા બાળકના જન્મ પછી જ્યારે કરિશ્મા એક ડ્રેસમાં ફિટ નહોતી થઈ શકતી તો એમના પતિ સંજય કપૂરે પોતાની માતાને કરિશ્માને એક થપ્પડ મારવાનું કહ્યું હતું. એ વાતનો ખુલાસો કરિશ્માએ જાતે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. પછી કરિશ્માએ સંજયને તલાક આપીને સંબંધ પૂરો કરી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!