સલમાન ખાન અને એશ્વર્યા રાયની પ્રેમ કહાની આખા ગામને ખબર છે અને તેમાં થયેલી બબાલ વિશે પણ લોકો જાણે છે. ત્યારે હાલમાં ફરી એકવાર તેની અને એશ્વર્યાની એક વાત ચર્ચાઈ રહી છે જેમાં નવો જ ખુલાસો થયો છે. બોલિવૂડમાં લવ અને અફેરની ઘણી વાતો સામે આવતી હોય છે. સાંજ પડે ત્યાં એકાદ ખુણેથી કોઈ સેલેબ્સની લવ લાઈફ વિશે વાતો ઉડતી રહે છે. પરંતુ સલમાન ખાનનું નામ આવી ખબરોમાં ટોપ પર રહ્યું છે. એશ્વર્યા સાથેની લવ સ્ટોરી ઘણી ચર્ચામાં રહી હતી.
જો વિગતે વાત કરીએ તો ફિલ્મ હમ દિલ દે ચૂકે હે સનમ પછી બન્ને વચ્ચે સારૂ બોન્ડિંગ થયું હતું. પરંતુ એશ્વર્યાના પરિવારને આ સંબંધ મંજુર નહોતો. જો કે બન્નેએ પ્રેમ કર્યો અને ખુલ્લેઆમ નિભાવ્યો પણ હતો. વર્ષ 2001માં એવી ઘટનાઓ સામે આવી કે ત્યારબાદ સલમાનનું મોઢું ગુસ્સામાં દેખાયું.
સલમાન એશ્વર્યાના એપોર્ટમેન્ટની બહાર પહોંચ્યો અને રાત્રે 3 વાગ્યા સુધી એશ્વર્યાના ઘરનો દરવાજો ખખડાવતો રહ્યો. ત્યાં આજુબાજુના લોકોનું કહેવું છે કે સલમાનનો એ ગુસ્સો અને ચહેરો અમને આજે પણ યાદ છે. સલમાનના બન્ને હાથમાંથી લોહી નીકળતું પણ લોકોએ જોયું હોવાનું કહેવાય છે. કહેવામાં આવતું હતું કે ત્યારે એશ્વર્યાએ સલમાનને લગ્ન માટે ના પાડી હતી. જો કે આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
જો કે આ વિશે વાત ઉડે છે એવું જ નહીં પણ ખુદ સલમાન ખાને એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, હું એશ્વર્યાને જે રીતે પ્રેમ કરતો હતો એ રીતે એશ્વર્યા મને નહોતી કરતી. એટલા માટે બ્રેકઅપ થઈ ગયું. વર્ષ 2002માં બન્નેએ એ વાતની પુષ્ટિ કરી કે અમારુ બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ 2007માં અભિષેક સાથે એશ્વર્યાએ લગ્ન કરી લીધા અને હાલમાં એની એક દીકરી પણ છે. પંરતુ બીજી તરફ સલમાન ખાન હજુ કુંવારો જ છે.
ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન એક્ટિંગની દુનિયામાં સારી નામના મેળવી છે. તે વર્ષોથી તેમની અભિનય કલાના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. જો કે તેની પર્સનલ લાઇફ પણ ચર્ચામાં રહી છે. એશ્વર્યા રાય અને સલમાન ખાન બંનેની રિલેશનશિપ 2 વર્ષ સુધી રહી. બંને ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમથી નજીક આવ્યાં હતા. જો કે 2 વર્ષ બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. બ્રેકઅપ પાછળ સલમાન ખાનની નશાની આદત હોવાનું સામે આવ્યું છે.
એશ્વર્યાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘હું તેમના આલ્કોહોલિક બિહેવિયર સહન કરીને પણ તેમની સાથે હતી. જો કે આ બધાના બદલામાં મારે ઇમોશનલ અને ફિઝિકલ એબ્યુઝ સહન કરવું પડ્યું હતું’ એશ્વર્યાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘ આ સંબંધ દરમિયાન મને માત્ર વિશ્વાસઘાત અને અસન્માન જ મળ્યું હતું. તેથી મારા સ્વાભિમાન ખાતર આ સંબંઘ પર પૂર્ણવિરામ મૂકી દીધી હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!