હા, કેરાલાનું આ મંદીર સરોવર વચ્ચે બનાવવામાં આવ્યું છે અને તેનું રક્ષણ તળાવમાં રહેતો મગર કરે છે.
View this post on Instagram
લેખનું શીર્ષક સાંભળી તમને કદાચ આશ્ચર્ય થશે. પણ તમે જે વાંચ્યું તે હકીકત છે. અમે તમને આજે કેરળ સ્થિત અનંતપુર મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. કેરળના સરોવરમાં આવેલું આ એક અનોખું મંદિર છે. કહેવામાં આવે છે કે અહીંના મંદિરની રખેવાળી સરોવરમાં રહેતાં મગરો દ્વારા કરવામાં આવે છે.
View this post on Instagram
આ મંદિર બબીયા નામના મગરથી પ્રસિદ્ધ છે.
એવી માન્યતા છે કે જ્યારે અહીંની રખેવાળી કરતાં મગરનું અવસાન થાય છે ત્યારે અચાનક બીજો મગર મંદીરની રખેવાળી માટે હાજર થઈ જાય છે. ભગવાન વિષ્ણુનું આ મંદિર બે એકરના સરોવર વચ્ચે આવેલું છે. એવી પણ માન્યતા છે કે અહીં રખેવાળી કરતો મગર શાકાહારી છે પુજારી તેના મોઢામાં પોતાના હાથે પ્રસાદ આપી તેનું પેટ ભરે છે.
View this post on Instagram
મંદીરના પ્રસાદથી પોતાનું પેટ ભરતો મગર
અહીંના લોકોનું એવું કહેવું છે કે અહીં પુષ્કળ વરસાદ પડે છે પણ સરોવરનું પાણી જેટલું હોય છે તેટલું જ રહે છે આ સરોવર ક્યારેય છલકાતું નથી. કહેવાય છે અહીં રખેવાળી કરતો મગર આ સરોવરમાં લગભગ 60 વર્ષથી રહે છે.
View this post on Instagram
ભક્તો દ્વારા જે પ્રસાદ ભગવાનને ચડાવવામાં આવે છે તે જ પ્રસાદ અહીંના બબીયા મગરને ખવડાવવામાં આવે છે અને આ પ્રસાદ પુજારી પોતાના હાથે જ મગરને ખવડાવે છે. આ મગર સરોવરના અન્ય પ્રાણીઓને જરા પણ નુકસાન નથી પહોંચાડતો.
View this post on Instagram
અંગ્રેજ સિપાહીએ મગરને ગોળી મારી હતી
કહેવાય છે કે જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું તે દરમિયાન એટલે કે લગભગ ચાલીસના દાયકામાં અંગ્રેજ સિપાહીએ અહીં મગરને ગોળી મારી મારી નાખ્યો હતો. પણ બીજા જ દિવસે તે મગરને સરોવરમાં જોવામાં આવ્યો હતો.
View this post on Instagram
અને તે જ અંગ્રેજ સિપાહીનું સાપે ડંખ મારતાં થોડા દિવસો બાદ મૃત્યુ થયું હતું. લોકો તેને સાપના દેવતા અનંતનો બદલો ગણે છે. એવી પણ માન્યતા છે કે જે લોકોને મગરના દર્શન થાય છે તે ભાગ્યશાળી હોય છે.
View this post on Instagram
મંદિરના પુજારીનું કહેવું છે કે તેમનો એવો વિશ્વાસ છે કે મગર ઇશ્વરનો દૂત છે અને મંદિરની આસપાસ જો કંઈ ખરાબ ઘટના ઘટવાની હોય તો મગર તેનો સંકેત ચોક્કસ આપે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ