શિયાળાની ઋતુમાં શુષ્ક ત્વચા ખુબ જ પરેશાન કરે છે. ઠંડા પવનની સૌથી વધુ અસર કોણી અને ઘૂંટણની આસપાસની ચામડી પર થાય છે. જેના કારણે તે શુષ્ક અને કાળી દેખાય છે અને આ કાળી અને શુષ્ક ચામડીના કારણે આપણને બધા વચ્ચે શરમ અનુભવાય છે, તમારી આ સમસ્યા નાળિયેર તેલના યોગ્ય ઉપયોગથી દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આ સમસ્યા દૂર કરવા માટે નાળિયેર તેલનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો.
નાળિયેર તેલ
નાળિયેર તેલ મોઇશ્ચરાઇઝિંગ ગુણથી ભરપૂર છે અને તે ત્વચા માટે એક સારું ટોનિક પણ છે. નાળિયેર તેલનો ઉપયોગ કરવા માટે સ્નાન કરતા પહેલા તમારા આખા શરીર, કોણી અને ઘૂંટણ પર નાળિયેર તેલ લગાવો, આ ત્વચાને નરમ રાખે છે અને શરીરની ત્વચા પર કોઈ ગંદકી રહેવા દેતું નથી. પછી સ્નાન કરતી વખતે કોણી અને ઘૂંટણને સ્ક્રબથી સાફ કરો. આ કરવાથી ત્વચાની શુષ્કતા પણ દૂર થશે અને તેની આજુબાજુ ગંદકી એકઠી થશે નહીં.
એલોવેરા
નાળિયેર તેલ ઉપરાંત એલોવેરા પણ ઘૂંટણ અને કોણીની સફાઇ માટે એક સારો વિકલ્પ છે. કાળા ઘૂંટણ અને કોણી પર તેના એલોવેરા જેલનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાની ફોલ્લીઓ પણ દૂર થાય છે.
લીંબુ
કોણી અને ઘૂંટણનો રંગ આપણી ત્વચાના રંગથી અલગ હોય છે. વૃદ્ધ લોકો માટે કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે સૌથી લોકપ્રિય ઉપાય લીંબુ અને નાળિયેર તેલની પેસ્ટ છે. આ માટે સૌથી પહેલા લીંબુના છાલ પર નાળિયેર તેલ લગાવો અને તેને ઘૂંટણ અને કોણી પર લગાવો. લીંબુનો રસ ત્વચાની ગંદકી દૂર કરે છે અને કાળાશ પણ દૂર કરે છે. આ સિવાય તમે લીંબુમાં નાળિયેર તેલ પણ ઉમેરી શકો છો કારણ કે નાળિયેર તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.
કેળા
અડધા પાકેલા કેળાને દૂધ સાથે પીસીને કોણી અને ઘૂંટણ પર લગાવવાથી ત્યાંની કાળાશ દૂર થઈ શકે છે. આ માટે આ પેસ્ટ ત્વચા પર દસ મિનિટ સુધી રહેવા દો, દસ મિનિટ પછી તમારી ત્વચા ઠંડા પાણીથી ધોઈ લો.
ચોખાની પેસ્ટ
સૌપ્રથમ ચોખાને પીસી લો અને તેમાં દૂધ નાખીને એક પેસ્ટ બનાવો. તેમાં અડધી ચમચી મધ મિક્સ કરો અને તેને કોણી અને ઘૂંટણ પર સારી રીતે લગાવો. દસ મિનિટ પછી તમારી ત્વચા ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે-ત્રણ વાર આ ઉપાય અપનાવવાથી કોણી અને ઘૂંટણની કાળાશ દૂર થશે.
ટમેટાનો રસ
તમારા કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે ટમેટાનો રસ ત્વચા પર લગાવો અને સૂકાયા પછી તેને ધોઈ લો, આ ઉપાય અપનાવવાથી કોણી અને ઘૂંટણની કાળાશ દૂર થાય છે અને ટમેટા ત્વચાનો રંગ નિખારવામાં ખુબ જ મદદગાર છે. તમે ટમેટાના રસની જેમ જ દ્રાક્ષના રસનો ઉપયોગ પણ કરી શકો છો.
પપૈયા
પપૈયામાં હાજર એન્ઝાઇમ કાળાશ દૂર કરવામાં ઉપયોગી છે. મધ ત્વચામાં મોશ્ચ્યુરાઇઝર પૂરું પાડે છે અને ત્વચાને નરમ બનાવે છે. આ માટે અડધો કપ પાકેલા પપૈયામાં એક ચમચી મધ નાખીને તેની પેસ્ટ બનાવો અને આ પેસ્ટ કોણી અને ઘૂંટણ પર લગાવો. દસ મિનિટ પછી તમારી ત્વચા ઠંડા પાણીથી ધોઈ લો.
ચંદન
નાળિયેર પાણીમાં ચંદન પાવડર મિક્સ કરી એક પેસ્ટ બનાવો. તેમાં બદામના તેલના થોડા ટીપા ઉમેરીને કોણી અને ઘૂંટણ પર લગાવો. આ પેસ્ટને ત્વચા પર 20 મિનિટ સુધી રાખો હવે તેને પાણીથી ધોઈ લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,