ઘરમાં ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ ન કરશો આ ભૂલો, નહીં તો થશે નુકસાન

બુધવારે વિધિ વિધાનની સાથે ભગવાન ગણેશની પૂજા કરાય છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમના દુઃખને દૂર કરે છે અને સાથે જ તેમની દરેક મનોકામનાઓ પણ પૂરી કરે છે. હિંદુ માન્યતા અનુસાર શુભ કાર્યમાં સૌ પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

image soucre

ભગવાન ગણેશ દરેક ભક્તોના દુઃખ હરી લે છે. ભગવાન ગણેશ પોતે રિદ્ધિ સિદ્ધના દાતા અને શુભ લાભના પ્રદાતા છે. તેઓ ભક્તોની બાધા, સંકટ, રોગ અને દ્વેષ તથા દરિદ્રતાને દૂર કરે છે. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે શ્રી ગણેશજીની વિશેષ પૂજા બુધવારે કરાય છે. કહેવાય છે કે બુધવારે શ્રી ગણેશની પૂજા અને ઉપાય કરવાથી દરેક સમસ્યાનું સમાધાન થઈ જાય છે.

image source

જો તમે તમારા ઘરમાં ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવા ઈચ્છો છો તો તેની પહેલાં થોડી વાતોનું ધ્યાન રાખો તે જરૂરી છે. તમે તેમાંથી કોઈ પણ કામ કરશો તો શ્રી ગણેશજી તમારાથી નારાજ થઈ શકે છે. તો જાણો કયા કામ છે જેને તમારે ટાળવા જરૂરી છે.

હિંસાથી દૂર રહો, મનમાં ખરાબ વિચારો ન આવવા દો.

image source

ક્રોધ ન કરો અને સંયમથી કામ લો.

ખોટુ ન બોલો.

માંસ અને મદિરાનું સેવન ન કરો.

image source

થોડું પણ ખાતા પહેલાં ગણેશજીને ભોગ લગાવો.

પરિવારના કોઈ ને કોઈ સભ્ય ઘરે રહે તેવું કરો. તેમને એકલા રાખીને ન જાઓ.

કોઈની બુરાઈ અને નિંદા કરવાથી બચો.

image source

ચોરી કરવાથી આ લોકમાં નહીં પણ પરલોકમાં કષ્ટ વેઠવું પડે છે. તેથી આ આદતને ટાળો.

બાળકો પર ક્યારેય હાથ ન ઉઠાવો.

ઘરમાં ગંદગી ન કરો અને ખાસ કરીને મંદિરમાં તો જરા પણ નહીં.

કોઈની મજાક ન ઉડાવો.

image source

સ્ત્રીનું અપમાન પણ ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!