કબીર સિંહમાં આવા સીન કરવામાં કિયારા થઈ ગઈ હતી અસહજ, કર્યા ચોંકાવનારા ખુલાસા
બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો આવી છે જેની સ્ટોરી અને કેટલાક સીનના કારણે ભારે વિરોધ થયો હોય છે. આવી જ એક ફિલ્મ ગત વર્ષમાં આવી હતી. આ ફિલ્મ હતી શાહિદ કપૂર અને કિયારા અડવાણીની કબીર સિંહ.
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહના કેટલાક સીનનો ભરપૂર વિરોધ થયો હતો પરંતુ રિલીઝ થયા બાદ આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ કરોડોની કમાણી કરી હતી. એટલું જ નહીં વિવાદોથી ઘેરાયેલી રહેલી કબીર સિંહ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી રોમેન્ટિક ફિલ્મ સાબિત થઈ હતી.
પરંતુ આ ફિલ્મ સાથે કેટલાક વિવાદો પણ થયા હતા. જેમાં સૌથી પહેલા તો નિર્માતાઓ પર કબીર સિંહ જેવા ખરાબ પાત્રને પ્રોત્સાહન આપવાના આરોપ પણ લાગ્યા હતા. ફિલ્મના ડાયરેક્ટર સંદિપ વાંગા રેડ્ડી પણ આ ફિલ્મ આવી તે સમયે ટ્રોલ થયા હતા.
આ સિવાય શાહિદ કપૂર પણ ટ્રોલિંગનો શિકાર થયો હતો. જો કે આ ફિલ્મના તમામ વિરોધ શાંત થઈ ચુક્યા છે તેવામાં ફિલ્મની અભિનેત્રી કિયારા અડવાણી એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે જેના કારણે ફરીથી ફિલ્મ ચર્ચામાં છે.
હાલ પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝનું પ્રમોશન કરતી કિયારા અડવાણીએ એક મુલાકાત દરમિયાન કબીર સિંહ બાબતે કેટલાક ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે ફિલ્મમાં દર્શાવેલા કેટલાક સીન કરવા માટે તે તૈયાર ન હતી. કારણ કે આ સીન કરવામાં તેને અસહજતા અનુભવી હતી.
આ ઉપરાંત કેટલીક એવી વસ્તુઓ પણ હતી કે જેના કારણે તે અસહજ અનુભવતી હતી. જેમકે ફિલ્મનું પાત્ર કબીર સિંહ છે જેને તે એક હીરો તરીકે ક્યારેય જોયો નથી. આ ફિલ્મમાં ગ્રહણ કરવા જેવું કંઈજ નથી અને તે માત્ર કલ્પના છે તેવું માન્યા બાદ તે આગળ વધી અને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું.
કિયારાએ જણાવ્યું હતું કે તે અસહજ હતી તેમ છતાં સીન કરવા માટે તૈયાર એટલા માટે થઈ કે તેણે આ ફિલ્મને એક કાલ્પનિક વાર્તા તરીકે જ જોઈ અને આગળ વધી. શાહિદ કપૂરએ પણ આ અગાઉ કહ્યું હતું કે ફિલ્મમાં તેના પાત્ર દ્વારા કરેલા કોઈપણ કામનું તે પ્રોત્સાહન કરતો નથી.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ગૂગલએ ભારતમાં 2019ની સૌથી વધુ સર્ચ થયેલી મૂવીઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ‘કબીર સિંહ’ નું નામ ટોચ પર આવ્યું છે. એટલું જ નહીં 2019 માં કબીર સિંહ દુનિયામાં સૌથી વધુ સર્ચ કરાયેલી મૂવીઝની યાદીમાં ચોથા સ્થાને છે.
બોક્સ ઓફિસ કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ 300 કરોડથી વધુની કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મ શાહિદ કપૂરની કારકિર્દીની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. આ સિવાય કિયારાની કારકીર્દિમાં પણ આ ફિલ્મ પછીથી ગતિ આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ