હોળીનો તહેવાર આવવાનો છે આ તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ રહેલું છે. આ તહેવારમાં માતા હોલિકાનું દહન કરવામાં આવે છે. હોળીના તહેવાર પહેલા હોળાષ્ટક આવે છે તે હોળીના થોડા દિવસ પહેલા શરૂ થાય છે આ દર વર્ષે હોળીના પહેલા આવે છે.
તે અંદાજે આઠ દિવસ પહેલા હોળાષ્ટકની શરૂઆત થાય છે. હિન્દુ પરંપરા પ્રમાણે આ વર્ષે ફાગણ મહિનાની સૂકલ પક્ષની આઠમના દિવસે આ હોળાષ્ટકની શરૂઆત થશે. તે આઠ દિવસ સુધી ચાલશે. હોળાષ્ટક સાથે ઘણી ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે. તેના વિષે આપણે જાણીએ.
જ્યારે હોળાષ્ટક ચાલી રહ્યા હોય ત્યારે આપણે કોઈ મંગળ પ્રસંગ જેમ કે લગ્ન, વાહન ખરીદી ધંધાની શરૂઆત અને વાસ્તુ મુહૂર્ત જેવા મંગળ કામ કરવામાં આવતા નથી. આ સમયમાં કોઈ નવું કામ કરવાની શરૂઆત કરતું નથી. પરંતુ આ સમયે તમે કોઈ નવું કામ અથવા મંગળ પ્રસંગ કરો છો તો તમારા તે કામમાં ઘણી અડચણ આવી શકે છે અને તેની સાથે તે કામમાં સફળતા પણ મળતી નથી.
આ સમયમાં તમારે ભગવાનની પુજા અર્ચના કરવી જોઈએ તેનાથી તમને ઘણા લાભ મળી શકે છે આ સમયમાં ભગવાનનું સ્મરણ અને ભજન કરવાથી લાભ થાય છે. આનાથી તમને શુભ પરિણામ મળી શકે છે. આ સિવાય તમે આ સમયમાં કેટલાક ખાસ ઉપાય પણ કરી શકો છો. જેનાથી તમને ઘણા લાભ મળી શકે છે. જે ક્યાં લાભ છે તેના વિષે જાણીએ.
સંતાન પ્રાપ્તિ માટે :
કોઈ દંપત્તિને સંતાન પ્રાપ્તિ ન થતી હોય ત્યારે તેમણે આ સમયમાં લડુ ગોપાલને પુજા પૂરા વિધિ વિધાન સાથે કરવી જોઈએ. આ દરમિયાન તમારે હવન પણ કરવો જોઈએ. તેમાં ગણું શુદ્ધ ઘી અને સાકરની ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને સંતાન પ્રાપ્તિ થશે અને નિસંતાન લોકોના જીવનમાં ખુશીઓ આવે છે.
કારકિર્દીમાં સફળતા મેળવવા માટે :
તમે તમારી કારકિર્દીમાં સફળ થવા માંગતા હોવ અને તેના માટે તમે ઘણી મહેનત કરતાં હોવ અને તે છતાં પણ તમને સફળતા ન મળતી હોય ત્યારે તેમારે જ્યારે ઓફિસે જાવ ત્યારે તલ અને સાકરથી હવન કરવી જોઈએ. આવું કરવાથી તમારી સફળતામાં આવનારી બધી અડચણ દૂર થશે અને તેનાથી તમને તમારા ફિલ્ડમાં સારી સફળતા મળી શકે છે આનાથી તમને ઘણો ફાયદો પણ થઈ શકે છે.
ધન પ્રાપ્તિ માટે :
તમારા જીવનમાં પૈસાને લગતી તંગી છે અને તમે ખૂબ મહેનત કરવા છતાં પણ તમે પૈસા નથી મેળવી શકતા તો તમારે આ સમયમાં આ ઉપાય કરવો જોઈએ તેનાથી તમારી આવકમાં વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જણાશે.
સારા સ્વાસ્થ્ય માટે :
તમને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય અથવા તમે વારંવાર બીમાર પડતાં હોવ ત્યારે તમારે આ સમયમાં આ ઉપાય કરવા જોઈએ. તેના માટે તમારે મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્રનો જપ કરવાથી ગૂગળથી હવન પણ કરવો જોઈએ. આનાથી તમને અસાધ્ય બીમારીથી હમેશા માટે છૂટકારો મળી શકે છે.
સુખમય જીવન જીવવા માટે :
તમારા જીવનમાં દુખ રહેલા છે અને તો તમારે આ સમયમાં હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં રહેલા બધા આદુખ દૂર થશે અને તમારા જીવનમાં હમેશા માટે ખુશી અને સુખ રહેશે. તમે શાંતિથી જીવન વ્યતીત કરી શકશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,