ઘણા લોકો પોતાને સુંદર બનાવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને બ્યુટી પ્રોડક્ટ્સથી તે સુંદર બની જાય છે, પરંતુ ફક્ત થોડા સમય માટે અને થોડા સમય પછી તેમનો ચહેરો પહેલા જેવો જ બની જાય છે અને જો કોઈ વ્યક્તિનો ચહેરો સુંદર થઈ જાય તો પણ તેના ચહેરા પર વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સ રહે જ છે, જેના કારણે ચહેરો રૂપાળો હોવા છતા ખરાબ દેખાવા લાગે છે.
બ્યુટી પ્રોડક્ટ્સથી કોઈ ફરક પડતો નથી
ઘણા લોકો તેમના ચહેરા પરથી વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સને દૂર કરવા માટે વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે, પરંતુ તે બ્યુટી પ્રોડક્ટ્સથી કોઈ ફરક પડતો નથી અને બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી પણ તેમના વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સની સમસ્યા સમાપ્ત નથી થતી. ત્યાંરે આજે અમે તમને એક એવી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સરળ અને ખૂબ ફાયદાકારક છે.
આજે, અમે તમને જે રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે પદ્ધતિના ઉપયોગ કરવા માટે તમને કોઈ બ્યુટી પ્રોડક્ટની જરૂર રહેશે નહીં અને આ પદ્ધતિનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. આજે, અમે તમને તે રીતે વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમારે ફક્ત કોલગેટનો ઉપયોગ કરવાની જરૂર પડશે.
હંમેશાં તમારી ત્વચાને સાફ રાખવાનો પ્રયત્ન કરવો
વ્હાઇટહેડ્સ ખીલ સમાન છે. ત્વચા પર રહેલા રહેલા બેક્ટેરિયા ખીલ અને વ્હાઇટહેડ્સનું મુખ્ય કારણ છે. વ્હાઇટહેડ્સથી બચવા માટે તમારે હંમેશાં તમારી ત્વચાને સાફ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્હાઇટહેડ્સની સમસ્યા ત્વચામાંથી વધુ પડતા તેલના ઉત્સર્જનને કારણે પણ થાય છે. ત્યારે ઓઈલી સ્કિન વાળા લોકોએ તેમની ત્વચા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
આવા લોકો વ્હાઇટહેડ્સ અથવા ખીલનો શિકાર બની શકે છે. બજારમાં એવા ઘણી પ્રોડક્ટ છે જે આ સમસ્યાઓથી છુટકારો મેળવવાનો દાવો કરે છે પરંતુ તેની આડઅસર પણ કરે છે. આ સ્થિતિમાં પ્રાકૃતિક રીતે તેમની સારવાર કરવી વધુ સારું છે.
તમારા વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સ પર લગાવો
ધ્યાનમાં રાખો કે આ રીત માટે ફક્ત સફેદ રંગના કોલગેટનો ઉપયોગ કરવાનો છે. ચહેરાના વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સને દૂર કરવા માટે સૌ પહેલા તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને ત્યારબાદ કોલગેટને તમારા વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સ પર લગાવો. 5 મિનિટ પછી વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સથી ધીમે ધીમે બ્રશ કરો, આમ કરવાથી તમારા વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સ ખૂબ જ સરળતાથી નાબૂદ થઈ જશે.
આ ઉપરાંત તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. ત્વચા વધુ ઓઈલી હોવાને કારણે વ્હાઇટહેડ્સ પણ થાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે લીંબુ ખૂબ જ અસરકારક છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ સંયોજનો પણ છે.જેને અફેક્ટેડ એરિયામાં લગાવી શકાય છે. રૂને લીંબુના રસમાં પલાળી લો અને ખીલ પર લગાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,