મિત્રો, આપણા દેશમા ઘણા પ્રકારના ચા ના ચાહકો જોવા મળશે અને ભારતમાં લોકોની પસંદની બધી ચા મળે પણ છે. અહીના વ્યક્તિને તમે કઈ નહીં આપો તો ચાલશે પરંતુ તેને ચા તો જોશે જ તેમાં પણ બધાને અલગ અલગ સ્વાદ અને રંગ વાળી ચા જોઈતી હોય છે.
કેટલાક દૂધ સાથે ચા અને કેટલાક લીલી અને કાળી ચા પિતા જોવા મળી આવે છે. ભારતમાં મોટાભાગના લોકો દૂધની ચા પીવાનું પસંદ કરે છે પરંતુ કદાચ તમને ખબર નથી હોતી કે ચાની ઘણી જાતો છે જે તમારે પીવી જોઈએ અને તે વધુ આરોગ્યપ્રદ છે.
તેનાથી આપણે આપણા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યા માથી બચી શકીએ છીએ. ચાલો જાણીએ આવી જ એક ચા વિશે, જે ઘણા બધા ગુણોથી ભરેલી છે. નારંગીની છાલ, જેને આપણે સામાન્ય રીતે ફેંકી દઈએ છીએ, તેમાં ઘણા બધા પોષક તત્ત્વો ભરેલા હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ આરોગ્યપ્રદ હોય છે. તે આપણને ઘણી રીતે લાભદાયી છે તેનાથી આપણી ત્વચાને લગતી દરેક સમસ્યા દૂર થાય છે.
આ સિવાય પણ આની છાલ આપણને ઘણી રીતે લાભદાયી છે. નારંગી છાલની ચા રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સૌથી સહેલો રસ્તો છે. તેનાથી આપણને કોઈ જાતનો સંક્રમણ થવાનો ખતરો અને નાની નાની બીમારી થવાથી બચી શકીએ છીએ.
તેને બનાવવા માટેની જરૂરી સામગ્રી :
અડધા નારંગીની છાલ અને અડધો કપ પાણી, અડધો ઇંચ તજ, ૨ થી ૩ લવિંગ ૧ થી ૨ એલચી અને અડધો ચમચી ગોળ
ચા બનાવવાની રીત :
ચા કેવી રીતે તૈયાર કરવી સૌ પ્રથમ, એક વાસણમાં પાણી રેડવું અને મધ્યમ જ્યોત પર ગેસ પર રાખવું. હવે છાલવાળી નારંગીની છાલ અને અન્ય મસાલા ઉમેરો. આ ચાને ૨ થી ૩ મિનિટ સુધી પકાવો અને પછી ગેસ બંધ કરો. એક કપમાં ચાને ગરણીની મદદથી ગાળી લેવી જોઈએ અને તેમાં મીઠાઇ માટે ગોળ ઉમેરો. પછી તેને બરાબર મિક્ષ કરી લો અને તમારી નારંગી ચા પીવા માટે તૈયાર છે.
આ ચા પીવાથી તમને થતાં ફાયદાઓ :
લિમોનેન નામનું કમ્પાઉન્ડ નારંગીની છાલમાં જોવા મળે છે, જે આવશ્યક તેલમાં ભરેલા ૯૭ ટકા છે. તે કુદરતી રીતે બળતરા વિરોધી અને કેન્સર વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે, જે જ્યારે તેના આહારમાં ઉમેરવામાં આવે છે, ત્યારે પેટની બળતરા, પેટનું ફૂલવું અને ત્વચા કેન્સર જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે તેનાથી તમે ઘણી બીમારીથી બચી શકો છો.
નારંગીની છાલ તમારા મેટાબોલિક રેટમાં વધારો કરે છે. આ સિવાય તે ફેટ બર્નિંગ રેટમાં પણ વધારો કરે છે. જે શરીરની વધારાનું ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તેમાં બળતરા વિરોધી એજન્ટો શામેલ છે, જે પાચનને પ્રોત્સાહન આપે છે અને ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ સમસ્યાઓ અટકાવવામાં પણ મદદ કરે છે. આ જ કારણ છે કે ઘણા લોકો આહારના ભાગ રૂપે નારંગીની છાલની ચા બનાવે છે.