જીવતો વ્યક્તિ પાણીમાં ડૂબી જાય છે પરંતુ લાશ કેમ પાણીમાં તરે છે?

થોડા દિવસો પહેલા જ બિહાર અને ઉત્તર પ્રદેશની નદીઓમાં ઘણા લોકોના મૃતદેહ તરતા મળી આવ્યા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પરંતુ શું તમે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ જીવંત વ્યક્તિ પાણીમાં ડૂબી જાય છે, પરંતુ લાશ પાણીની ઉપર કેમ તરતી રહે છે? જો કોઈ વ્યક્તિને તરતા નથી આવડતુ અને જો તે પાણીમાં પડી જાય છે, તો લાખ પ્રયત્નો પછી પણ તે ડૂબી જાય છે. પરંતુ લાશ કોઈપણ પ્રયત્નો કર્યા વિના પાણીની ઉપર તરે છે. આજે અમે તમને આ લેખ દ્વારા આની પાછળનું કારણ જણાવીશું.

આ જ કારણે વ્યક્તિનું મૃત્યુ થાય છે

image source

તમને જણાવી દઈએ કે કોઈ પણ પદાર્થનું પાણી ઉપર તરવું તેના ઘનત્વ અને તે પદાર્થ દ્વારા વિસ્થાપિત થયેલ પાણી પર આધારિત છે. ઉચ્ચ ઘનત્વવાળી વસ્તુ ઝડપથી પાણીમાં ડૂબી જાય છે. જીવંત માનવ શરીરનું ઘનત્વ પાણીની ઘનતા કરતા વધારે હોય છે. તે જ સમયે પાણીમાં ડૂબવાથી તેના ફેફસાંમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે. આ જ કારણે વ્યક્તિનું મૃત્યુ થાય છે.

મૃત શરીર પાણીમાં તરતું રહે છે

image source

વૈજ્ઞાનિક આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ, કોઈપણ પદાર્થ ફક્ત ત્યારે જ પાણીમાં ડૂબી જાય છે જ્યારે તે પોતાના વજન જેટલું પાણી દૂર કરવામાં અસમર્થ હોય. જો વસ્તુ દ્વારા હટાવવામાં આવેલા પાણીનું વજન ઓછું હોય, તો તે પદાર્થ પાણીમાં તરે છે. જો કોઈ વ્યક્તિ મરી જાય છે, તો તેની અંદર ગેસ ઉત્પન્ન થવાના કારણે શરીર પાણીમાં ફુલવા લાગે છે. ફુલવાને કારણે શરીરનો વિસ્તાર(Volume) વધે છે, જેના કારણે શરીરની ઘનતા ઓછી થાય છે. આ જ કારણ છે કે મૃત શરીર પાણીમાં તરતું રહે છે.

રોગપ્રતિકારક શક્તિ કામ કરવાનું બંધ કરે છે

image source

મૃત વ્યક્તિના શરીરની રોગપ્રતિકારક શક્તિ કામ કરવાનું બંધ કરે છે. આ રીતે, બેક્ટેરિયા તેના કોષો અને પેશીઓને નાશ કરવાનું શરૂ કરે છે. આ જ કારણ છે કે શરીરની અંદર રહેલા વિવિધ વાયુઓ, જેમ કે મિથેન, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન વગેરે શરીરમાં બનવાનું અને બહાર નિકળવાનું શરૂ કરી દેશે.

હળવી વસ્તુ પાણીમાં તરતી રહે છે

image source

સામાન્ય રીતે તમે ઘણી બધી વસ્તુઓને પાણીમાં તરતી જોઈ હશે. કાગળ, લાકડું, પાંદડા અને બરફ એ એવી વસ્તુઓ છે જે પાણીમાં ડૂબીતી નથી. આ પાછળનું કારણ એ છે કે કોઈ ભારે વસ્તુ પાણીમાં ડૂબી જાય છે, પરંતુ હળવી વસ્તુ પાણીમાં તરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!