માથા – પેટ – ગળાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપાયો
મોટા ભાગની બધી જ વ્યક્તિઓને માથા, પેટ કે ગળામાં અવારનવાર કોઈને કોઈ કારણસર પીડા થતી જ હોય છે. અને આ પીડા કોઈ સમય કે જગ્યા જોઈને નથી થતી બસ થઈ જ જાય છે. માટે જો તમે તેને દૂર કરવા માટે દવાનો સહારો લેતા હોવ તો હવેની વખતે દવા લેતા પહેલાં આ ઘરગથ્થુ ઉપાય અજમાવી લો. તે તમારી તકલીફ કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર કુદરતી રીતે દૂર કરશે તે પણ ખુબ જ ઝડપથી.
તો ચાલો જાણીએ આ ઘરગથ્થુ ઉપાયો વિષે.
માથામાં થતાં દુઃખાવા માટે આ ઉપાયો અજમાવો
બરફ – આઇસ ક્યૂબ
એક હાથરૂમાલ કે કપડામાં એક આઇસ ક્યૂબ લો અને તેને કાપડથી કવર કરીને તમારા ચહેરા પર ઘસો. જ્યાં સુધી તે પીગળે નહીં ત્યાં સુધી ઘસો. જો તમને બહું જ ઠંડુ લાગતું હોય તો તમે બ્રેક લઈને લગાવી શખો છો. તેમ કરવાથી તમને તરત જ રાહત મળશે.
લેવેન્ડરનું તેલઃ
તમે માથાના દુઃખાવાને દૂર કરવા માટે લેવેન્ડરના છોડના પાનને પાણીમાં ઉકાળીને તેની ચાનું સેવન પણ કરી શકો છો તેનાથી તમારા માથાના દુઃખાવામાં અસરકારક ઘટાડો થશે. આ ઉપરાંત તમે તમારા બન્ને લમણા પર લેવેન્ડરના તેલનું માલિશ કરીને પણ દુઃખાવાને દૂર કરી શકો છો. આ સિવાય તમે લેવેન્ડરના તેલનો ધૂપ પણ કરી શકો છો તેની પણ તમારા મન તેમજ મગજ પર હકારાત્મક અસર થાય છે.
પેટમાં થતાં દુઃખાવા માટે આ ઉપાયો અજમાવો
કેમોમાઇલ ટીઃ
કેમોમાઇલ ટીમાં કોઈ પણ જાતનું કેફેઇન નથી આવતું અને તે એક અસરકારક ઘરગથ્થુ ઉપાય છે જેનાથી પેટનો દુઃખાવો દૂર થાય છે. તેના માટે તમારે ઉત્તમ ગુણવત્તાવાળી ચાનો ઉપયોગ કરવો.
આદુની ચા
તેના માટે તમારે એક ઇંચ આદુનો ટુકડો લેવો, તેની છાલ ઉતારી નાખવી, તેને વાટી લેવું અને તેને એક – ડોઢ કપ પાણીમાં ઉકાળી લેવું. આદુનો આ ઉકાળો તમારા પેટની બેચેનીને તરત જ દૂર કરશે.
પેપરમીન્ટ ટીઃ
પેપરમીન્ટનો ઉપયોગ સામાન્ય રીતે પાચન માટે કરવામાં આવે છે. કેમોમાઇલની જેમ પેપરમીન્ટ ટી પણ બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. પેપરમીન્ટની ચા પણ તમારા પેટના દુઃખાવાને અસરકારક રીતે દૂર કરવામાં તમારી મદદ કરે છે. અને સાથે સાથે જો તમને ઉબકા આવતા હોય તો તે પણ આ ચા પીવાથી નથી આવતાં.
ગળામાં થતાં દુઃખાવા માટે આ ઉપાયો અજમાવો
નાંસ લેવો
આ એક પેઢીઓ જુનો ઉપાય છે, જે ઉધરસ, શરદી, ગળુ જામ થઈ જવું, ગળું દુઃખવું વીગેરે માટેનો અકસીરે ઉપાય છે. તે તમારા બંધ નાકને પણ ઝડપથી ખોલી નાખે છે. તેના માટે તમારે એક ઉંડું તપેલું કે પેન લેવું તેમાં પાણી ગરમ કરવા મુકવું. હવે એક રૂમાલ માથા પર ઓઢી લેવો અને તેમ જ તપેલા પર આવતી ગરમ વરાળનો નાસ લેવો.
મીઠાના પાણીના કોગળા
હુંફાળા ગરમ પાણીમાં તમારે એક ચપટી સીંધાળુ મીઠું એટલે કે ફરાળી મીઠું ઉમેરવું અને તેના 5-6 વાર કોગળા કરવા. આમ કરવાથી ગળાનો દુઃખાવો બંધ થઈ જશે અને ગળુ ઘસાતું હશે તો તે પણ બંધ થઈ જશે. પણ પાણી વધારે પડતું ગરમ ન હોય તેનું ધ્યાન રાખવું અને તમે રસોઈમાં જે મીઠું વાપરતા હોવ તે ન વાપરવું.
પાયનેપલ
પાઈનેપલમાં બ્રોમેલેઇન સમાયેલુ હોય છે જે એક પ્રકારનું એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્ત્વ છે. જો તમારું ગળુ સુકાઈ ગયું હોય, અથવા ઘસાઈ ગયું હોય તો તે એક અસરકારક ઉપાય છે. તેના માટે બે-ત્રણ પાઇનેપલના પીસ ચાવી જાઓ તરત જ અસર થશે.
ઉપર જણાવેલા બધા જ નુસખાઓ ઝડપથી અસર કરે તેવા છે. માટે હવે જ્યારે તમે આ પ્રકારની પીડામાંથી છૂટકારો મેળવવા માટે દવા લેવાનું પસંદ કરો તે પહેલાં આ ઉપાયો ચોક્કસ અજમાવી લો. ઉપર જણાવેલા ઘરગથ્થુ નુસખાથી માત્ર તમારી પીડા જ દૂર નહીં થાય પણ તે ઉપરાંત પણ ઘણા લાભો થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ