મિત્રો, આપણા ઘરના રસોઈઘરને “મીની દવાખાના” તરીકે ઓળખવામા આવે છે કારણકે, આપણા રસોઈઘરમા ભોજનનો સ્વાદ વધારવા માટે વાપરવામા આવતા મોટાભાગના મસાલાઓનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરી શકાય છે. આ મસાલાઓમા એક ખૂબ જ ઉપયોગી મસાલો છે હળદર.
આ હળદર એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. તેમા અનેકવિધ બળતરા વિરોધી ગુણધર્મો સમાવિષ્ટ હોય છે એટલે જ તેને કોઈપણ ઘા ઉપર લગાડી શકાય છે. તે તમારી સુંદરતા નિખારવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. હળદરવાળુ દૂધ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે પરંતુ, આજે આ લેખમા અમે તમને ગરમ પાણીમા હળદર મિક્સ કરીને તેનુ સેવન કરવાથી થતા લાભ વિશે માહિતી મેળવીશુ.
લાભ :
ડાયાબીટીસની સમસ્યા રહે છે નિયંત્રણમા :
જો તમે ગરમ પાણીમા થોડી હળદર મિક્સ કરી નિયમિત તેનુ સેવન કરો તો તમારા શરીરમા ગ્લુકોઝનુ પ્રમાણ નિયંત્રિત રહે છે અને તેથી જો તમે આ પાણીનુ નિયમિત સેવન કરો તો તમારી ડાયાબિટસની સમસ્યા નિયંત્રણમા રહે છે.
કેન્સરની સમસ્યા થાય છે દૂર :
આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સિડન્ટ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમા કેન્સર પેદા કરતા કોષો સામે લડે છે અને તેથી જો તમે આ પાણીનુ નિયમિત સેવન કરો તો તમે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે સરળતાથી લડી શકો છો.
લોહી બનાવે છે શુદ્ધ :
મોટાભાગના લોકો ખીલની સમસ્યાથી પીડાતા હોય છે અને આ ખીલની સમસ્યા મુખ્યત્વે શરીરમા લોહીની ખરાબીના કારણે થાય છે. માટે જો તમે આ ગરમ પાણીમા હળદર ઉમેરી અને તેનુ નિયમિત સેવન કરો છો તો તમારુ લોહી શુદ્ધ બને છે અને તમારી ખીલની સમસ્યામાંથી તમને તુરંત મુક્તિ મળે છે.
શરીરની બળતરા અને દુ:ખાવાને કરે છે દૂર :
આપણે સૌ જાણીએ જ છીએ કે, હળદરમા અનેકવિધ પ્રકારના ગુણતત્વો સમાવિષ્ટ હોય છે અને તેમાનો એક ગુણતત્વ છે બળતરા વિરોધી ગુણધર્મ. જો તમારા શરીરમા કોઈપણ જગ્યાએ દુ:ખાવો થતો હોય અથવા તો તમારા શરીરમા કોઈપણ જગ્યાએ બળતરા થતી તો ગરમ પાણીમા થોડી હળદર ઉમેરી અને તેનુ નિયમિત સેવન કરી લો જેથી, તમને તેમા તુરંત રાહત મળી જશે.
શરીરમા રહેલા ઝેરી તત્વોને દૂર કરે :
જો તમે નિયમિત ગરમ પાણીમા લીંબુ, હળદર અને મધ મિક્સ કરીને વહેલી સવારે ભૂખ્યા પેટે સેવન કરી લો છો તો પરસેવા દ્વારા તમારા શરીરમા રહેલા તમામ નકામા અને ખરાબ પદાર્થો દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત