મિત્રો, પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિ પોતાના ઘરને સુંદર અને આકર્ષક બનાવવા ઈચ્છે છે અને ઘરની સુંદરતાની સાથે લોકો તેના વાસ્તુનુ પણ ધ્યાન રાખતા હોય છે. દરેક વ્યક્તિ તેમના ઘરના શણગાર માટે અનેકવિધ વસ્તુઓ ઘરમા રાખતા હોય છે પરંતુ, આ સમયે જો વાસ્તુનુ પણ ધ્યાન રાખવામા આવે તો ઘરમા એકપણ વાસ્તુદોષ રહેતો નથી.
ઘણીવાર લોકો અથાગ પરિશ્રમ કરવા છતાપણ સફળતા પ્રાપ્ત થતી નથી અને નાણાની તંગી રહે છે અને ઘરમા ઝઘડા તથા વાદ-વિવાદ થયા રાખે છે તો તેની ઘરમા રહેલા વાસ્તુદોષ છે. તમે તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરીને અપાર સફળતા અને સંપત્તિ મેળવી શકો છો. તો ચાલો આજે આ લેખમા આપણે આ વાસ્તુદોષને દૂર કરવા માટેના અમુક ઉપાયો વિશે માહિતી મેળવીશુ.
ઘરમા પાણીનુ વાસણ એ માત્ર ઉત્તર-પૂર્વ દિશામા જ રાખવુ જોઈએ. જો તમે ઘરની આ દિશામા પાણીનુ વાસણ રાખો તો તમારા બધા કામમા સફળતા મળશે. ઘરનો ઉત્તર-પૂર્વ ભાગ હમેંશા ખાલી રાખવો જોઈએ. આ સિવાય તમારા પલંગને દક્ષિણ-પશ્ચિમ ભાગમા રાખો, દક્ષિણ દિશામા તેને રાખવુ અત્યંત શુભ માનવામા આવે છે. ઘરમા પૂજાસ્થળ માત્ર ઉત્તર-પૂર્વ દિશામા રાખવુ જોઈએ, જે હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે અને તમારુ ભાગ્ય ખોલશે.
જો તમારુ મકાનનુ બાંધકામ ક્ષેત્રમા કોઈ આર્કિટેક્ચરલ ત્રુટી રહી ગઈ હોય તો તે ભાગ પર તૂટેલા વિસ્તાર પર એક મોટો અરીસો મૂકો. આ કારણોસર ઘરનો ઉત્તરીય વિસ્તાર ખુબ જ મોટો દેખાય છે. આ સિવાય બૃહસ્પતિ અથવા બ્રહ્માજીની અથવા પ્રતિમા ઇશાન ખૂણામા રાખો.
બૃહસ્પતિ એ ઇશાન ખૂણાનો સ્વામી અને દેવતાઓનો ગુરુ માનવામા આવે છે. આ ખૂણો વાસ્તુદોષોના દુષ્પ્રભાવોને ઘટાડવા માટે લાભદાયી સાબિત થાય છે. જો તમે વાસ્તુદોષમાથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો સાધુ-મહાત્માઓએ ગુરુવારના રોજ ચણાનો લોટની બર્ફી તથા લાડુના પ્રસાદનુ વિતરણ કરવુ જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે આપણા ઘરમા વાસ્તુદોષ માટે અમુક અંશે જવાબદાર હોઈએ છીએ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રસોઈઘરનુ પણ વિશેષ મહત્વ માનવામા આવે છે. જો તમારા ઘરમા રસોઈઘર ખોટી જગ્યાએ બનાવેલ હોય તો ત્યા કાળા ઘોડાની યુ આકારની નાળ મૂકો. જેથી, તમારા ઘરના રસોઈઘરનો વાસ્તુદોષ દૂર થઇ જશે.
ઘરમા જો વાસ્તુનો દોષ હોય તો તેના કારણે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ વાસ્તુદોષથી મુક્તિ મેળવવા માટે ૯ દિવસ ઘર પર અખંડ રામાયણ પાઠ કરવો જોઈએ. આ સિવાય ઘરમા ક્રેસુલાનો છોડ લગાવવો વાસ્તુની દ્રષ્ટીએ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
આ છોડને પૈસાના વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ આ પ્લાન્ટ લગાવતી વખતે દિશાનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. આ છોડ ઘરના પ્રવેશદ્વારની જમણી બાજુએ રાખવો જોઈએ, જ્યાંથી સૂર્યપ્રકાશ તેના પર પડે છે. વાસ્તુવિજ્ઞાન પ્રમાણે આ છોડ તમારી તરફ પૈસા ખેંચવાની શક્તિ ધરાવે છે અને જો તમારા ઘરમા નાણાની અછત સર્જાય તો આ છોડ લગાવવો આપણા ઘર માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,