મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતો દેશ છે. અહી પ્રાચીન સમયથી એવી અનેકવિધ પરંપરાઓ ચાલી આવે છે કે, જે પ્રવર્તમાન સમયમા માનવી અશક્ય છે પરંતુ, તેમ છતા અમુક લોકો હજુ પણ આ પૌરાણિક પરંપરાઓ જડ થઈને માને છે. આજે આ લેખમા આવી જ એક પૌરાણિક પરંપરા વિશે વાત કરીશુ.
તમે તમારા રોજીંદા જીવનમા ઘણા એવા લોકોને જોયા હશે કે, જે પોતાના પગમા કાળા રંગનો ધાગો બાંધતા હોય અને આ લોકોમા મોટાભાગની તમને સ્ત્રીઓ જોવા મળશે કે, જે પોતાના પગ પર કાળા રંગનો ધાગો બાંધતી હોય. જ્યારે પણ કોઈ વ્યક્તિને એવુ પૂછવામા આવે કે, શા માટે તમે પગમા કાળો ધાગો બાંધો છો? તો તેમની પાસેથી તમને કઈક આવા જવાબ મળે છે કે, અમારા વડવાઓએ કીધુ એટલે અમે કરીએ છીએ.
આ વાત પરથી એવુ સાબિત થાય છે કે, મોટાભાગના લોકો આ કાળા રંગનો ધાગો બાંધવા પાછળનુ વાસ્તવિક કારણ જાણતા નથી અને આ કારણોસર જ મોટાભાગના લોકો ફક્ત ફેશનના નામ પર તેમના પગમા કાળા રંગના દોરા બાંધતા થઇ ગયા છે પરંતુ, આજે આ લેખમા અમે તમને તેના વાસ્તવિક કારણ વિશે જણાવીશુ.
પગમા કાળા રંગનો ધાગો બાંધવા પાછળ એક ખુબ જ વિશેષ કારણ છે કે, જેના વિશે આજે મોટાભાગના લોકો જાણતા નથી પરંતુ, આજે આ વિશે માહિતી આપણે અવશ્યપણે મેળવીશુ. યુવતીઓ એ ફક્ત ફેશનના નામ પર જ પગમા કાળા રંગનો ધાગો બાંધે છે પરંતુ, તેમને પગમા આ કાળો રંગનો ધાગો બાંધવા પાછળના લાભ વિશે ખ્યાલ નથી.
જો તમારી પાસે કોઈ સુંદર વસ્તુ હશે અને તેના પર કાળો ડાઘ હોય તો લોકો અવારનવાર તેના વિશે વાત કરશે અને તે વસ્તુની સુંદરતા તરફ તેમનુ ધ્યાન જ જતુ નથી. બસ આ જ કારણોસર છોકરીઓ તેમના પગ પર કાળા રંગનો ધાગો બાંધે છે, જેથી તેમની સુંદરતા પર કોઈનુ ધ્યાન કે કુદ્રષ્ટિ જાય નહિ.
જો કોઈ સ્ત્રી તેના પગ પર કાળા રંગનો ધાગો બાંધે છે તો તેને કોઈપણ વ્યક્તિની ખરાબ નજર લાગતી નથી. જો કોઈ સ્ત્રી પગ પર આ કાળા રંગનો ધાગો બાંધે તો તેમની આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે અને તેમની આસપાસનુ વાતાવરણ સકારાત્મક બને છે. આ સિવાય તે તમારા પર પડતી કુદ્રષ્ટિ સામે પણ તમને રક્ષણ આપે છે.
આ કાળા રંગનો ધાગો એ સ્ત્રીની સુંદરતામા પણ વધારો કરે છે. આપણા પૌરાણિક શાસ્ત્રો મુજબ સ્ત્રીઓ પોતાના શણગારમા આ કાળા રંગના ધાગાનો સમાવેશ કરતા હતા. તેને સોળ શૃંગારનો પણ એક ભાગ માનવામા આવતો હતો. ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટીએ આ કાળો ધાગો ખુબ જ વિશેષ મહત્વ ધરાવે છે, માટે દરેક સ્ત્રી આ ઉપરોક્ત કારણોસર પગમા આ કાળો દોરો ધારણ કરે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,