ગરોળીથી આરોગ્યના જોખમો અને ગરોળીથી છૂટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય

સારા સ્વાસ્થ્ય માટે ઘરને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા ઘરોમાં ગરોળીને દિવાલો મુક્તપણે ફરતા જોઈ શકાય છે. ઘણા લોકો ગરોળીને જોઈને ડરી જાય છે પરંતુ કેટલાક લોકો એમ વિચારીને અવગણના કરે છે કે તેમને આ નાના પ્રાણી સાથે કોઈ સમસ્યા નથી. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે ગરોળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ગરોળી એક ખૂબ જ ખતરનાક જીવ છે, જેના કારણે તમારા બાળકોને અને તમને ઘણા ગંભીર રોગોનું જોખમ પણ હોઈ શકે છે. ગરોળીથી સંબંધિત કેટલાક રસપ્રદ તત્વો, ગરોળીથી આરોગ્યના જોખમો અને ગરોળીથી છૂટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય જાણો.

image source

ગરોળીને લગતા કેટલાક મહત્વપૂર્ણ અને રસપ્રદ તત્વો

– પૃથ્વી પર મનુષ્ય પહેલાં ગરોળીનું અસ્તિત્વ છે.

– ગરોળી ડાયનાસોરના સમયથી એક ઇતિહાસ ધરાવે છે.

– ઘરોમાં જોવા મળતી ગરોળી ગેકો પ્રજાતિની હોય છે.

-. ગરોળીની 5000 થી વધુ જાતિઓ છે.

– ફક્ત ગેકો પ્રજાતિઓની ગરોળી જ ગળામાંથી તુર-તુરનો અવાજ કાઢે છે.

image source

ગરોળીથી આ રોગોનું જોખમ છે

– ગરોળીનું સ્ટૂલ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે.

– તે બાળકો માટે જીવલેણ બની શકે છે. તેમના મળ ઘરની દિવાલો અને જમીન પર સરળતાથી દેખાશે.

– ગરોળીના મળ અને લાળમાં સલ્મોનેલા નામનો બેક્ટેરિયા છે. આને કારણે, ફૂડ પોઇઝનિંગનું જોખમ વધે છે.

– જો ગરોળી ખાવામાં પડે અને તે ખોરાક લોકો ખાય લે તો લોકો મરી જાય છે અથવા તેઓ ગંભીર રીતે બીમાર પણ થઈ જાય છે.

– ગરોળીના અવાજથી પણ ઘણા લોકોને તકલીફો થાય છે.

– ગરોળીનું ઘરમાં રહેલું એ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.

image source

ગરોળીથી બચવાની ટિપ્સ

– ઘરની બારીઓ અને દરવાજા પર લસણની કળીઓ મૂકો. આ સિવાય લસણ પીસીને તેનો રસ પાણીમાં નાખીને ઘરમાં છાંટવામાં આવે તો ગરોળી ઘરમાંથી ભાગી જાય છે.

– ગરોળી પર ઠંડા પાણીનો છંટકાવ કરવો, ગરોળીને ઠંડુ પાણી બિલકુલ પસંદ નથી, તેથી આ ઉપાયથી ગરોળી ભાગી જશે. તમારા રૂમમાં અથવા રસોડામાં જે જગ્યા પર ગરોળી છે, તે જગ્યા પર ઠંડા પાણીનો છંકાવ થોડા દિવસો સુધી ચાલુ જ રાખો. જેથી ગરોળી તમારા ઘરમાં બીજીવાર ક્યારેય પણ ન આવે.

– ડુંગળીને કાપી નાંખો અને તેને દોરા સાથે બાંધી દો. ત્યારબાદ બાંધેલી ડુંગળીને લાઈટ પાસે અને દરવાજા પાસે લટકાવી દો. લટકાવેલી ડુંગળીથી ગરોળી ભાગી જશે. કારણ કે ડુંગળીમાં મોટી માત્રામાં સલ્ફર હોય છે, જેના કારણે દુર્ગંધ આવે છે અને ગરોળી ઘરની બહાર નીકળી જાય છે.

image source

– એક સ્પ્રે બોટલ લો અને તેમાં ડુંગળીનો રસ અને પાણી ભરો. તેમાં લસણના રસના થોડા ટીપાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે ઘરના દરેક ખૂણામાં આ પાણીનો છંટકાવ કરો. જ્યાં ગરોળી સૌથી વધુ આવે છે, તે જગ્યા પર આ પાણીનો વારંવાર છંટકાવ કરો.

– કાળા મરીના પાવડરમાં લાલ મરચું ભેળવી દો અને તેને દિવાલો અને ઘરના ખૂણાઓમાં છાંટવાથી ગરોળી ભાગી જાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પાણી છાંટતી વખતે તમારી આંખો અને શરીરની વિશેષ કાળજી લો.

– તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે ગરોળી મોરના પીંછાથી ગભરાઈ જાય છે પરંતુ તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જો કે તમે ગરોળી ભગાવવા માટે મોરના પીંછાનો ઉપયોગ કરી શકો છો.

– ઈંડાના છાલની ગંધ ગરોળી સહન કરી શક્તિ નથી. તેથી ગરોળી ભગાડવા માટે તમે તમારા ઘરના ખૂણામાં ઈંડાની છાલ મૂકી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ