દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એવી જ વસ્તુઓ રાખતી હોય છે, જે તેને કામની હોય કે ભવિષ્યમાં કામમાં લાગવાની હોય પરંતુ ઘરમાં ઘણી વસ્તુઓ એવી પણ હોય છે, જેનો કોઇ ઉપયોગ પણ ન થતો હોય. ઉપરાંત ઘરમાં શુ મુકવુ અને શુ ન મુકવુ જોઈએ એ જાણવુ જરૂરી છે. અનેકવાર એક નાનકડી કોઈ એવી વસ્તુ જે વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય નથી તે વસ્તુ તે જગ્યાએ મુકવાથી પણ માણસનુ નસીબ રિસાય જાય છે અને તેને અનેક પ્રકારની મુસીબતનો સામનો કરવો પડે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ જો અમુક વસ્તઓ દિવાળી પહેલા ઘર કે ઓફિસમાંથી હટાવી દેવામાં આવે તો મનુષ્યનુ દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય શકે છે. તે સાથે દેવી લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે.
દિવાળી પહેલા ઘરમાંથી આ વસ્તુઓ બહાર કાઢો
બંધ ઘડિયાળ
જો તમારા ઘરમાં તૂટેલી કે બંધ ઘડિયાળ હોય તો તેને પહેલા જ ચાલુ કરાવો, અને જો ન થાય એમ હોય તો તેને ઘરમાં ન રાખો. બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે, સાથે તમારો સમય પણ સ્થગિત કરે છે.
જૂના કે ન પહેરાતા કપડાં
ઘણાં લોકો જૂના ફાટેલા અને નકામાં કપડા કે ચાદરની એક પોટલામાં બનાવીને ઘરના કોઈ ખુણામાં રાખી મુકે છે આ કપડાને તરત જ કોઈ અન્ય કામમાં વાપરી લેવા જોઈએ અથવા તો દાન કરી દો. કારણ કે આ નકામા કપડાં ઘરમાં નકારાત્મક લાવે છે.
નકારાત્મક વસ્તુઓ
નકારાત્મક વસ્તુઓને ઘરમાં ન રાખો. તો પહેલા પ્રશ્ન એ થાય કે નકારાત્મક એટલે કેવી વસ્તુ તો કહેવાય છે કે તાજમહેલ, કાંટાવાળા છોડ, જંગલી જાનવર, ડૂબતી નાવડી વગેરે જેવી વસ્તુ જેનાથી કોઇનો જીવ જોખમાઇ શકે તેવી વસ્તુઓ ઘરમાં ન રાખો. સુશોભન માટે પણ તે યોગ્ય નથી. તેનાથી મન પર ખરાબ અસર પડે છે. સતત આ પ્રકારની વસ્તુઓ પર નજર પડતી રહેવાથી ખરાબ ઘટનાઓના જ વિચાર આવે છે.
ખંડિત મૂર્તિ
જો તમારા ઘરમાં દેવી દેવતાની ખંડિત મૂર્તિ કે ફાટેલી ફોટો વગેરે પણ હોય તો તેને દિવાળી પહેલા કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. ખંડિત મૂર્તિઓ ઘરમાં મુકવાથી આર્થિક સ્થિતિ નબળી બને છે.
ભંગાર
ઘણા લોકોને ટેવ હોય છે, ભંગારની વસ્તુઓને પણ ક્યારેક કામમાં આવશે એમ કહીને ઘરની છત પર એકત્ર કરે છે. ઘરની અગાશી પર કે માળીયા પર નકામી વસ્તુઓ એકત્ર કરવાથી ઘરના પરિવારના સભ્યના સ્વાસ્થ્ય ખરાબ અસર પડે છે.
સોફા ખુરશી અને ટેબલ
જો તમારા ઘરમાં કોઈપણ ટેબલ કે ખુરશી તૂટેલી હોય તો તે તમારે માટે ચિંતાને નોતરી શકે છે. આવી વસ્તુઓને તમારા ઘરમાંથી તરત જ બહાર કરો. આવી વસ્તુઓ દિવાળી પર પણ તમારા ઘરમાં રહેશે તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહી કરે
કોઇપણ પ્રકારનો નંગ કે તાવીજ
ઘણા લોકો પોતાના ઘરમાં નંગ કે તાવીજ વગેરે રાખે છે. કંઈ વસ્તુનો શું લાભ થાય છે તેની માહિતી ન હોય તો આ પ્રકારની કોઈપણ વસ્તુ જો તમારા ઘરમાં હોય તો તેને દિવાળી પહેલા ઘરની બહાર કાઢો.
બીનજરૂરી વસ્તુઓ
કોઈપણ પ્રકારની તૂટેલી કે વસ્તુઓ કે બીનજરૂરી વસ્તુઓ ઘરમાં ન રાખો. આ પ્રકારની વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે અને દિવાળી પર ઘરમાં દેવી લક્ષ્મીના આગમનમાં અવરોધ બને છે.
પર્સ કે તિજોરી
જો તમારું પર્સ ફાટી ગયુ હોય તો તેને ન કાઢી નાંખો, તથા તિજોરી પણ તૂટેલી ન રાખો. તિજોરી કે પર્સમાં ધાર્મિક વસ્તુઓ મુકવી જોઈએ જેનાથી સકારાત્મકા બની રહે. પર્સમાં દેવી લક્ષ્મીની તસ્વીર અને તિજોરીમાં પૂજાની સોપારી, કુબેર યંત્ર, શ્રી યંત્ર વગેરે રાખવું શુભ કહેવાય છે.
કરોળિયાના જાળા
દિવાળી પહેલા સાફ સફાઇ તો દરેક વ્યક્તિ કરે જ છે. તેમાં ખાસ કરીને ઘરના તમામ ખૂણામાંથી કરોળિયાના જાળા, ધૂળને દૂર કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ