મિત્રો, આપણો દેશ એ ધાર્મિક માન્યતાઓથી પરિપૂર્ણ દેશ છે. અહી અનેકવિધ એવી શ્રદ્ધા અને અંધશ્રધ્ધાઓ વાસ કરે છે, જેના આધાર પર લોકો પોતાનુ જીવન વ્યતીત કરે છે. આ માન્યતાઓને જ અમુક લોકો પોતાના જીવન જીવવાનો આધાર માને છે અને પોતાનુ સંપૂર્ણ જીવન તેના આધારિત જ વ્યતીત કરે છે.
આપણા જીવનમા અવારનવાર અનેકવિધ મુશ્કેલીઓ આવતી રહે છે. આ મુશ્કેલીઓથી ડર્યા વિના તેનો નીડરપૂર્વક સામનો કરીને આગળ વધતા હોઈએ છીએ પરંતુ, આપણે જીવનમા ઘણીવાર અમુક એવી ભૂલો કરતા હોઈએ છીએ, જે આપણા માટે ભવિષ્યમા પીડાદાયક સાબિત થઇ શકે છે.
ઘરની દરેક વસ્તુ અને સ્થિતિની અસર એકદમ જુદી-જુદી હોય છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ મુજબ અમુક એવી બાબતો હોય છે, જેને આપણે ધ્યાનમા રાખવી જોઈએ. આ ઉપાયો અજમાવવાથી આપણુ જીવન એકદમ સરળતાથી ચાલશે અને આપણા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ આ ઉપાય વિશે.
જો આપણે આપણા બાથરૂમમા પાણીની ડોલ એકદમ ખાલી રાખીએ તો તે આપણા ઘરમા નકારાત્મક ઊર્જા વધારે છે અને તેના કારણે આપણે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધવાથી ઘરના સદસ્યો વચ્ચે વાદ-વિવાદનુ પ્રમાણ પણ વધે છે તથા ઘરના સદસ્યોનુ સ્વાસ્થ્ય પણ કથળે છે.
પરંતુ, જો બાથરૂમમા ડોલ પાણીની ભરીને રાખીએ તો તે તમારા જીવનમા પ્રગતિનો માર્ગ પણ મોકળો કરશે અને તમારા તમામ અધૂરા તમામ કાર્યો પણ સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે. આ ઉપરાંત તમારા બાથરૂમમા વાદળી રંગની ડોલ હોવી જોઈએ. આ સિવાય બાથરૂમની ડોલને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ અને તેનાથી તમારા ઘરમા ખુશી આવશે તથા ઘરમા સુખ અને સમૃદ્ધિનો પણ વાસ થશે.
આ સિવાય જો તમે કોઈ કરજ હેઠળ દબાયેલા છો તો રાત્રે સૂતા પહેલા બાથરૂમમા ડોલમાં પાણી રાખો અને બાથરૂમની સાફ-સફાઈ માટે સવારે આ પાણીનો ઉપયોગ કરો તો તમને તમારા કરજમાંથી તુરંત મુક્તિ મળી જશે. હા, પણ એ બાબતની વિશેષ સાવચેતી રાખવી કે, સ્નાન માટે આ પાણીનો જરાપણ ઉપયોગ ના કરવો.
આ ઉપરાંત ક્યારેય પણ રાત્રે રસોઈઘરમા એઠા વાસણો રાખવા જોઈએ નહિ. જો તમે રાત્રે વાસણોને સાફ-સફાઈ ના કરી શકો તો તેને માત્ર પાણીથી ધોઈ લો. તેનાથી તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઇ જાય છે અને તમારા ઘરમા સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થાય છે.
આ સિવાય જો તમે ઘરમા તુલસીના છોડ પાસે સાલીગ્રામ પથ્થરની સ્થાપના કરો તો તમારા ઘરમા રહેલી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી નાણાકીય સ્થિતિ પણ મજબુત બનશે. માટે જો તમે પણ તમારી આર્થિક સ્થિતિને પ્રબળ બનાવવા ઈચ્છતા હોવ તો આ ઉપાયો અવશ્ય અજમાવો, ધન્યવાદ!
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,