2020માં 21 જૂને દુનિયાને ખત્મ કરવાની વાત કરનાર એક્સપર્ટે નવી તારીખ જાહેર કરી, આ કારણે પૃથ્વીનો થશે નાશ

આ 2020નું વર્ષ બધા માટે ખુબ જ મુશ્કેલીમાંથી પસાર થયું. ભારત હોય કે આખું વિશ્વ હોય. બધાને હવે આશા છે કે 2021માં કંઈક સારુ થાય અને લોકોને પહેલા જેવું સામાન્ય જીવન મળે. કારણ કે આ વર્ષે લોકોનો એક પણ તહેવાર સારી રીતે ઉજવાયો નથી અને ન તો ઘરના કોઈ પ્રસંગમાં મોજ થઈ શકી. ત્યારે હવે આ ડિસેમ્બર મહિના ચાલે છે અને વર્ષ 2020 ખત્મ થવા જઈ રહ્યું છે. આ વર્ષથી લોકોને ખૂબ જ આશાઓ હતી, પરંતુ જાન્યુઆરીમાં કોઈ જાણતુ ન હતુ કે, આ વર્ષે તેમને મહામારીનો સામનો કરવો પડશે. તે પણ એવી મહામારી જેણે લાખો લોકોની જિંદગી છીનવી લીધી. સાથે જ કરોડોને પોતાની ચપેટમાં લઈ લીધા. અત્યાર સુધી કોરોના મહામારીની કોઈ સારવાર મળી શકી નથી. 2020 ન માત્ર કોરોનાના કારણે લોકોની પરેશાનીનું સબબ બન્યુ, પરંતુ ઘણી ખગોળીય ઘટનાઓના કારણે પણ લોકો પરેશાન રહ્યા. તેમાં વારંવાર પૃથ્વીની નજીકથી પસાર થનાર ઉલ્કાપિંડ સામેલ છે.

image source

જો બીજી વાત કરીએ તો આ જ વર્ષે એક બીજી મોટી આગાહી કરવામાં આવી હતી કે 21 જૂનના રોજ દુનિયા ખત્મ થઈ જશે. માયા કેલેન્ડર પ્રમાણે વર્ષ 2020માં દુનિયાનો અંત નિશ્વિત હતો, પરંતુ આખરે આ ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ. હવે એક્સપર્ટ્સે દુનિયાની તબાહીની નવી તારીખ વિશે જણાવ્યું છે એ પણ સાચી પડે કે ખોટી એ તો હવે સમય જ બતાવશે. 2020માં માયા કેલેન્ડરના હવાલાથી જે કહેવામાં આવ્યું એના વિશે જો વાત કરવામાં આવે તો એમાં જણાવવામાં આવ્યું હતું કે, 21 જૂનના રોજ દુનિયા ખત્મ થઈ જશે. ઘણા બિહામણા તર્ક પણ તેને સાચા સાબિત કરવા માટે આપવામાં આવ્યા છે. છેલ્લે 21 જૂન આવ્યુ અને ચાલ્યુ પણ ગયુ, પરંતુ દુનિયા ખતમ થઈ નહી, પરંતુ હવે એક્સપર્ટ્સે દુનિયા ખત્મ થવાની નવી તારીખ જાહેર કરી દીધી છે.

image source

આ સિવાય પણ મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો વર્ષ 2020માં દુનિયા ખતમ થવાની વાત ઘણી વખત સામે આવી હતી. જ્યારે ક્યારેક અંતરિક્ષમાંથી કોઈ ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થવાનું હતુ, ત્યારે-ત્યારે પૃથ્વીની ખતમ થવાની અફવા ઉડી હતી. જોકે, અત્યાર સુધી આ બધી અફવાઓ ખોટી સાબિત થઈ છે. ત્યારે હવે વૈજ્ઞાનિકોના કહેવા મુજબ જો વાત કરીએ તો 2050 સુધી ધરતીનું અસ્તિત્વ ખતમ થવાની સંભાવના છે. આ વર્ષ વૈજ્ઞાનિકોએ ઘણી શોધ કર્યા બાદ પસંદ કર્યુ છે. સાથે જ ઘણી કડીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. તેને અત્યાર સુધીની ગંભીર શોધ માનવામાં આવી રહી છે.

image source

આ વાત રિસર્ચ ઓસ્ટ્રેલિયાનાં થિંક ટેંક નેશનલ સેંટર ફોર ફ્લાઈમેંટ રિસ્ટોરેશનની તરફથી કરવામાં આવ્યુ છે. તેમણે રિસર્ચમાં કહ્યુ કે, માનવ સભ્યતા ત્રણ દાયકાથી વધારે બચી શકશે નહી. તેની પાછળ તેમણે ક્લાઈમેટ ચેંજને કારણ જણાવ્યુ છે. આ રિસર્ચ મુજબ જો વાત કરીએ તો વર્ષ 2050 સુધીમાં દુનિયાનું સરેરાશ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે. જેનાંથી માનવ જીવન વિલુપ્ત થવાની અસર વધી જશે.

image source

જળવાયુ પરિવર્તનના કારણે માનવ જીવન પર 2050 સુધી સંકટ છવાઈ જશે. રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે, કૃષિ ઉત્પાદના પાંચમા ભાગમાં કપાત હશે એટલે કે હાલમાં જે પરિસ્થિતિ છે એના કરતાં સાથે જ અમેજન ઈકોસિસ્ટમ નષ્ટ થઈ ચૂક્યુ હશે અને સી લેવલ 0.5 મીટર સુધી વધી જશે. એશિયાની પણ મહાન નદીઓનું પાણી વધારે પ્રમાણમાં સૂકાઈ જશે અને પૃથ્વીનું 1/3 ભાગ રેગિસ્તાન તબદીલ થઈ શકે છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આખરે કેવી રીતે આ આગાહીના પરિણામો આવે છે અને દુનિયા ક્યાં જઈને ઉભી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ