વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાજેશન મુજબ ભારતમાં વર્ષ ૨૦૧૫ માં ૬૯.૨ મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે.
તેમજ ભારતમાં ટાઈપ ૨ ડાયાબિટીસ દર્દીઓની સંખ્યા વર્ષ ૨૦૩૦ સુધી ૯૮ મિલિયન સુધી વધી શકે છે. આવું લાંસેટ ડાયાબિટીસ એન્ડ એંડોક્રીનોલૉજી જર્નલની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આમાં મહિલા અને પુરુષ બંને સામેલ છે. આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે ગર્ભધારણ પહેલા ડાયાબિટીસ થાય તો મહિલાઓએ શું કરવું જોઈએ?
ગર્ભધારણ પહેલા ડાયાબીટીસની બીમારી કેવીરીતે માં અને બાળક બંનેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
જો આપ ટાઈપ-૧ કે ટાઈપ-૨ના દર્દી છો, તો આપે જલ્દી થી જલ્દી પ્રેગ્નનેસી પ્લાન કરી લેવી જોઈએ. ગર્ભધારણ કરતાં પહેલા ડાયાબીટીસની સમસ્યા છે તો સુગર લેવલને ગર્ભાવસ્થાની પહેલાથી જ કંટ્રોલ કરવું જરૂરી છે. સુગર લેવલને પ્રેગ્નેનસી દરમિયાન પણ નિયંત્રિત રાખવું જરૂરી છે.
જો ડાયાબીટીસની સમસ્યા ફક્ત પ્રેગ્નેનસી દરમિયાન જ થાય તો તેને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહે છે. જેસ્ટેશનલ ડાયાબિટીસ બાળક ડિલિવરી પછી ઠીક થઈ જાય છે. જોવા જઈએ તો મનુષ્યોમાં ડાયાબિટીસ ત્રણ પ્રકારના હોય છે.: ટાઈપ-૧ ડાયાબિટીસ, ટાઈપ-૨ ડાયાબિટીસ અને જેસ્ટેશનલ ડાયાબિટીસ.
ટાઈપ-૧ ડાયાબિટીસ:
જ્યારે શરીરમાં ઇન્સ્યુલીન બનવાનું બંધ થઈ જાય છે. એવામાં બ્લડ સુગર લેવલને નોર્મલ રાખવું પડે છે. જેના માટે દર્દીએ પૂરી રીતે ઇન્સ્યુલિનના ઇન્જેકશન પર આશ્રિત રહેવું પડે છે. ટાઈપ-૧ ડાયાબિટીસ બાળકો અને કોશોરોમાં થનારી ડાયાબીટીસની બીમારી છે. બાળકો અને યુવા વ્યસકોમાં આ આચનકથી થઈ શકે છે.
શરીરમાં પેક્રીયાઝથી ઇન્સ્યુલીન નથી બનવાની સ્થિતિમાં આવું બને છે. હેલ્થ એક્સપર્ટ મુજબ દવાઓથી આનો ઈલાજ શક્ય નથી થઈ શકતો. એટલા માટે ઇન્જેક્શનની મદદથી દરરોજ ઇન્સ્યુલીન લેવું અનિવાર્ય થઈ જાય છે. ગર્ભધારણ પહેલા ડાયાબિટીસ થવા પર તેનો પ્રોપર ઈલાજ કરાવવો જરૂરી છે.
ટાઈપ-૨ ડાયાબિટીસ
જો શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થવા લાગે અને શરીર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે નહિ, તો આવી સ્થિતિમાં ડાયાબિટીસ ટાઈપ-૨ની ફરિયાદ થાય છે. ટાઈપ-૨ ડાયાબિટીસ ખૂબ જ સામાન્ય છે અને આ ૪૦ વર્ષથી વધારે ઉમરના લોકોને થાય છે. એવું નથી કે ટાઈપ-૨ ડાયાબિટીસ ફક્ત વધારે ઉમરના લોકોને જ થાય ક્યારેક ક્યારેક આ બીમારી જલ્દી પણથઈ શકે છે. ગર્ભધારણ કરતાં પહેલા ડાયાબિટીસ થવા પર કોમ્પલિકેશન આવી શકે છે.
ગર્ભધારણ પહેલા ડાયાબિટીસ થાય તો શું કરવું?
ગર્ભધારણથી પહેલા ડાયાબિટીસ થાય તો કેટલીકવાર લોકો પ્રેગ્નેસી પ્લાન કરે છે તો કેટલીકવાર વગર પ્લાનિંગથી ગર્ભ રહી જાય છે. આ બંને પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તે હવે જાણીશું
ગર્ભધારણ પહેલા ડાયાબિટીસ છે અને જો બેબી પ્લાનિંગ કરી રહ્યા છો તો નીચેની વાતોનું ધ્યાન રાખવું:
૧. પ્રેગ્નેસી પ્લાનિંગના ૬ મહિના પહેલાથી ડૉક્ટરને સંપર્ક કરો. હેલ્થ એક્સપર્ટ આ દરમિયાન આપને સુગર લેવલ કંટ્રોલ રાખવાની ટિપ્સ આપે છે અને જરૂરિયાત પડે તો સપ્લીમેન્ટ જેવા કે ફોલિક એસિડ આપી શકાય છે.
૨. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટેની દવા જો આપ પહેલેથી લઈ રહ્યા છો તો શક્ય છે કે ડૉક્ટર આપને બીજી દવાઓ લેવાની સલાહ આપે.
૩. જો ગર્ભવતી થનાર મહિલા સ્વસ્થ છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે, તો પ્રેગ્નેસી દરમિયાન ખતરો પણ ઓછો થાય છે. આવી સ્થિતિમાં નોર્મલ ડિલિવરીની સંભાવના વધી જાય છે.
૪. ગર્ભધારણ પહેલા ડાયાબિટીસ હોવું અને પ્રેગ્નેસી દરમિયાન સુગર લેવલ કંટ્રોલ ના થાય તો આ બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ગર્ભધારણથી પહેલા ડાયાબિટીસ છે કે અનપ્લાન્ડ પ્રેગ્નેસી થાય ત્યારે શું કરવું?
દરેકને પ્રેગ્નેસી પ્લાનિંગની સાથે નથી કરી શકતા. જો આપ ડાયાબિટીસના દર્દી છો તો ગર્ભ રહેવા પર જલ્દી થી જલ્દી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ગર્ભધારણ થી પહેલા ડાયાબિટીસ છે અને આપ પ્રેગ્નેન્ટ છો તો શું કરશો?
આપ આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો, પરંતુ પ્રેગ્નેનસી દરમિયાન હજી વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે. સુગર લેવલ કંટ્રોલમાં રહેવું ગર્ભવતી મહિલા અને ગર્ભમાં રહેલ બાળક બંને માટે જરૂરી છે.
આઈડિયલ બ્લડ સુગર લેવલ ભોજન લીધા પહેલા-૭૦-૧૩૦ mg/dl હોવું જોઈએ અને ભોજન કરી લીધા પછી ૨૦૦ mg/dl સુધી હોવું જોઈએ.
ગર્ભધારણ પહેલા ડાયાબીટીસની સમસ્યા દૂર નથી થઈ તો પ્રેગ્નેનસીના સમયે આંખ કે કિડનીથી જોડાયેલી બીમારી થઈ શકે છે એટલું જ નહિ આ દરમિયાન પ્રી-કલેમ્પસીયા, સ્ટીલબર્થ કે મિસકૈરિજની સંભાવના થી શકે છે.
ગર્ભધારણથી પહેલા ડાયાબીટીસની સમસ્યા હોવાથી જન્મ લેનાર બાળક સામાન્ય બાળકની તુલનામાં મોટું હોઈ શકે છે અને એવામાં બાળકોમાં બર્થ ડિફેક્ટ પણ થઈ શકે છે. જો કે ગર્ભધારણથી પહેલા ડાયાબિટીસ થયા પછી પણ જો પ્રેગ્નેસીમાં સુગર લેવલ યોગ્ય રાખવામાં આવે તો તકલીફ નથી થતી.
ડાયાબીટીસની સમસ્યા કેમ થાય છે?
કયા કારણોના કારણે થાય છે ટાઈપ-૧ ડાયાબિટીસ?
-પરિવાર(બ્લડ રિલેશન)માં કોઈને ડાયાબીટીસની બીમારી હોવાથી.
-જેનેટિક તકલીફોની સાથે નવજાતનો જન્મ. જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિનનું નિર્માણ ના થવાથી.
-કેટલીક મેડિકલ કંડીશન જેવી કે સિસ્ટિક ફાઇબ્રોસિસ કે હેમોક્રોમૈટોસિસ.
-ક્યારેક ક્યારેક સંક્રમણ કે વાઇરસના સંપર્કમાં આવવાના કારણથી જેવા કે મમ્પસ કે રૂબેલા સાઇટોમેગાલોવાઇરસ.
આ કારણો સિવાય પણ અન્ય કારણ હોઈ શકે છે.
કયા કારણોથી થાય છે ટાઈપ-૨ ડાયાબિટીસ:
-પરિવાર (બ્લડ રિલેશન) માં કોઈને ટાઈપ-૨ ડાયાબીટીસની બીમારી હોય.
-અત્યધિક વજન હોવાથી.
-અસંતુલિત આહારનું સેવન કરવાથી.
-એક્સરસાઈઝ નહિ કરવાથી.
-એચઆઇવી જેવી ગંભીર બીમારીના ઈલાજ માટે એંટી-સિજર્સ, દવાઓ અને એચઆઈવી જેવી દવાઓનું સેવન કરવાથી.
ડાયાબિટીસ થવા પર ભોજનનું ધ્યાન રાખવું.
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અને ૧૦ મી અમીરાત કાર્ડિએક સોસાયટી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ અધ્યયનમાં ખબર પડી છે કે જે દર્દી હાઈ ફાઈબર ડાયટ લઈ રહ્યા હતા, એમના બળદ પ્રેશરની સાથે જ ગ્લુકોઝ લેવલમાં પણ સુધારો જોવા મળ્યો. ભારતના અમૃતસરમાં કેર વેલ હાર્ટ એન્ડ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના શોધકર્તાઓની ટીમે છ મહિના સુધી ૨૦૦ ડાયાબિટિક લોકોના ખાંપણ પર નજર રાખી.
આ દરમિયાન ભોજન સમૂહ અને ખાવાનો ભાગ અલગ કરવામાં આવ્યો હતો. જેથી ખ્યાલ આવી શકે કે કયું ભોજન ખાવાથી શરીરમાં કયું અંતર જોવા મળશે. લગભગ ત્રણ થી છ મહિના પછી જ્યાં સુધી ભોજન આપવામાં આવ્યું. હાઈ ફાઈબર ફૂડ લગભગ ૨૪ થી ૨૦ ગ્રામ પ્રતિ દીનના હિસાબ થી આપવામાં આવ્યું હતું.
છ મહિના પછી જ્યારે ચેકઅપ કરવામાં આવ્યું તો સીરમ કોલેસ્ટ્રોલમાં ૯% ની ઉણપ, ટ્રાઈગ્લીસરાઇડ્સમાં ૨૩%ની ઉણપ અને સિસ્ટોલીક રક્તચાપ અને ફાસ્ટિંગ ગ્લુકોઝમાં ૧૫% અને ૨૮%ની ઉણપ નોંધાઈ. હાઈ ફાઈબરવાળા આહાર હ્રદય રોગ અને બળદ સુગર માટે ફાયદેમંદ સાબિત થાય છે.
એટલા માટે ગર્ભધારણ પહેલા થી જ ડાયાબિટીસ થવા પર હાઈ ફાઈબર ફૂડનું સેવન કરવું જોઈએ. આ બળદ લિપિડ લેવલની સાથે જ ભવિષ્યમાં મોટા જોખમથી બચાવવામાં મદદ કરી શકે છે. જો અમે આપની જીવનશૈલીમાં કેટલાક બદલાવ કરી લો તો મોટી બીમારીઓથી પણ રાહત મળી શકે છે.
આમ, તકમરિયાં(ચિયા સીડ્સ), ઓટ્સ, છોલે, કેળાં જેવા ખાદ્ય પદાર્થમાં હાઈ ફાઈબર હોય છે. આને પણ લેવાનું સરળ હોય છે. લાલ બેરી, તકમરિયાં પુડિંગ, કાકડી અને એવેકૈડોને સલાડમાં લઈ શકાય છે. શરીરને બીમારીથી બચાવા માટે હાઈ ફાઈબર ફૂડ લેવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ