મિત્રો, હાલ પ્રવર્તમાન સમય આધુનિક અને વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે. લોકો પૈસા કમાવવા પાછળ એટલી હદ સુધી ગાંડા થઇ ચુક્યા છે કે, પોતાના સ્વાસ્થ્યની યોગ્ય સાર-સંભાળ પણ લઇ શકતા નથી અને તેના કારણે તેમનુ સ્વાસ્થ્ય પણ કથળે છે.
આજે આ લેખમા અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનુ સેવન આપણા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે, તો ચાલો જાણીએ કયુ છે આ ફળ?
આજે પહેલા તો અમે તમને એક પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે, સીતાફળનુ સેવન કર્યા પછી તમે તેના બીજનુ શું કરો છો ? સામાન્ય રીતે તો મોટાભાગના લોકોનો જવાબ એવો જ હશે કે, અમે બીજને ફેંકી દઈએ છીએ પરંતુ, જ્યારે તમને એવો ખ્યાલ પડે કે, આ ફળના બીજ સોના કરતા પણ કિંમતી છે, તો?
આ વાત સાંભળીને તમે થોડીવાર માટે ફરી વિચારમા પડી જશો કે, આ હુ કેવી વાત કરી રહ્યો છુ? કયા સોનુ અને ક્યા સીતાફળના બીજ? પરંતુ, આજે અમે તમને જણાવી દઈએ કે, સીતાફળના સામાન્ય એવા દેખાતા બીજ તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ આપી શકે છે અને તમારી અનેકવિધ બીમારીઓને દૂર પણ કરી શકે છે, કેવી રીતે ચાલો જાણીએ?
આ ફળના બીજમા બીમારીઓ સામે લડવાની શક્તિ ભરપૂર માત્રામા હોય છે. તેના સેવનથી આપણે અનેકવિધ ગંભીર બીમારીઓને ખુબ જ સરળતાથી મટાડી શકાય છે. આ ફળના બીજમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડન્ટના ગુણતત્વો સમાવિષ્ટ છે. તેમા વિટામીન-સી પણ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. તે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે. આ ઉપરાંત આ ફળના બીજનુ સેવન એનીમીયાની સમસ્યા સામે પણ રક્ષણ આપે છે.
આ ઉપરાંત આ ફળના બીજમા મેગ્નેશિયમનુ પ્રમાણ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમા રહેલ પાણીના સ્તરને સંતુલિત કરે છે અને તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે. આ ફળના બીજનુ સેવન એ બ્લડપ્રેશરમા એકાએક થતા બદલાવને પણ નિયંત્રિત કરે છે તેમજ સુગરની માત્રા પણ નિયંત્રિત રાખે છે.
આ સિવાય આ ફળના બીજમા બીમારીઓ સામે લડવાની શક્તિ પણ પુષ્કળ માત્રામા હોય છે. આ સિવાય વાળ માટે પણ આ ફળના બીજ ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમે થોડુ બકરીનુ દૂધ લઇ અને ત્યારબાદ આ ફળના બીજ તેમા ઘસીને ત્યારબાદ તમારા વાળ પર લગાવો તો ધીમે-ધીમે વાળ કાળા થવા લાગશે. આ ફળના બીજમા એવા તત્વો પણ સમાવિષ્ટ છે કે, જે કેન્સરની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત