કોરોના વાઇરસ અને સીઝન ફ્લુ
આ સીઝન એવી સીઝન છે જેમાં સીઝન ફ્લુ અને સ્વાઈન ફ્લુના મામલો પણ ઘણા સામે આવી રહ્યા છે, એવામાં કોરોના વાઇરસ અને સીઝનલ ફ્લુ અને સામાન્ય શરદીમાં અંતર કરવું ખુબ જ જરૂરી છે. આપને જણાવીએ કે ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમણના ૩૧ મામલાઓ સામે આવી ચુક્યા છે. દિલ્લીમાં શુક્રવારના રોજ અન્ય એક દર્દીમાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે.
આ દિવસોમાં ડોક્ટરોની પાસે ફીવર, ગળામાં ખારાશ, ખાંસીથી જોડાયેલ દર્દીઓ આવી રહ્યા છે, જેઓ મોટાભાગે સીઝનલ ફ્લુ કે પછી સ્વાઈન ફ્લુના કારણે હોય છે. આવામાં તેને કોરોના વાઇરસ માનીને તેનાથી ગભરાવું જોઈએ નહી. કોરોના વાઇરસના લક્ષણોની વાત કરીએ તો એમાં દર્દીને તાવ આવે છે, સુકી(કફ વગરની) ખાંસી થાય છે, માંસપેશીયોમાં દુખાવો થાય છે અને થાક લાગ્યા કરે છે. કેટલાક દર્દીઓને માથાનો દુખાવો, ખાંસીની સાથે લોહી આવવું અને ડાયરિયા પણ થાય છે.
રીકવરીની વાત કરીએ તો માઇલ્ડ કેસમાં દર્દી બે અઠવાડિયામાં સાજા થઈ શકે છે, પરંતુ ગંભીર પરિસ્થિતિઓમાં ૬ અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે. આમાં કોઈ વેક્સીન અને દવાઓ નથી, ફક્ત લક્ષણોનો ઉપચાર થાય છે. જ્યાં સુધી સીઝનલ ફ્લુની વાત કરીએ તો એમાં તાવ, સુકી(કફ વગરની)ખાંસી, માંસપેશીઓમાં દુખાવો અને થાકના લક્ષણો જોવા મળે છે. ઓછા લક્ષણોમાં ગળામાં ખારાશ, નાકનું વહેવું, ડાયરિયા અને ઉલટી પણ થાય છે.
કોરોના વાઇરસ,
લક્ષણ
- તાવ
- સુકી ખાંસી
- માંસપેશીઓમાં દુખાવો
- થાક
ઓછા સામાન્ય લક્ષણ
- માથાનો દુખાવો
- લોહી સાથે ખાંસી
- ડાયરિયા
- ૧-૧૪ દિવસ
- ૨૪ દિવસ પણ થઈ શકે છે.
- કોમ્પ્લીકેશન
- ૫ ફીસદી કેસોમાં (ખાસ કરીને એક્યુટ નિમોનિયા, રેસપેરેટરી ફેલીયોર, સેપ્ટિક શોક, મલ્ટીપલ ઓર્ગન ફેલીયોર)
રીકવરી
બે અઠવાડિયા
ગંભીર કેસોમાં બેથી છ અઠવાડિયા
ઉપચાર અને વેક્સીન
એટલા માટે કોઈ વૈક્સીન અને એંટી વાઈરલ ડ્રગ નથી.
જાણો કોરોના વાઇરસ, સીઝનલ ફ્લુ અને સામાન્ય શરદી થી કેવીરીતે અલગ છે.
Coronavirus: how it is different from seasonal flu and common cold
સીઝનલ ફ્લુ
લક્ષણ
- તાવ
- સુકી ખાંસી
- માંસપેશીઓમાં દુખાવો
- થાક
- ગળામાં ખરાશ
- નાક વહેવું
ઓછા સામાન્ય લક્ષણ
- ડાયરિયા
- ઉલટી
- ઇન્ક્યુંબેસન
- ૧-૧૪ દિવસ
- કોમ્પ્લીકેશન
- ૧ ફીસદી કેસ
- નિમોનિયા સહિત
- રીકવરી
૧ અઠવાડિયામાં ગંભીર પરિસ્થિતિમાં બે અઠવાડિયા ઉપચાર અને વૈક્સીન સીઝનલ તાવ માટે વૈક્સીન છે
- સામાન્ય શરદી
લક્ષણઆપણે જે વર્ષોથી અંધવિશ્વાસ માનતા આવ્યા છીએ તેની પાછળની સત્ય હકીકત જાણો
- નાક વહેવું
- છીક આવવી
- ગળામાં ખારાશ
ઓછા સામાન્ય લક્ષણ
- ઓછો તાવ
- માંસપેશીઓમાં દુખાવો
- માથામાં દુખાવો
- થાક
- ઇન્ક્યુંબેસન
- ૨-૩ દિવસ
- રીકવરી
એક અઠવાડિયું વધારેમાં વધારે ૧૦ દિવસ
- ઉપચાર અને વૈક્સીન
- કોઈ ઉપચાર નથી, પરંતુ ડોક્ટરની સલાહ
અહિયાં અમે પણ આપને જણાવી રહ્યા છીએ ટીપ્સ, જેને અપનાવીને આપ કોરોના વાઇરસથી બચી શકો છો.
૧. હાથ ધોવો:
દિવસ ભરમાં બીમારી ફેલાવનાર કીટાણું. કીટાણું આપના હાથમાં લાગેલ રહે છે તેનાથી બચવા માટે આપે વારંવાર હાથ ધોવા જોઈએ.
ગ્લોબલ એડવાઈઝરી:
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ એડવાઇઝરી મુજબ, Covid-19 કોરોના વાઇરસથી બચવા માટે હાથની સફાઈ સૌથી વધારે જરૂરી છે.
CDS:અમેરિકાના સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ સાબુ અને પાણીથી હાથને ધોવાએ સૌથી સારો બચવાનો ઉપાય છે.
સાબુ, પાણી કે સેનેટાઈઝર શું છે સૌથી સારું.
સાબુ અને પાણીથી હાથને ધોવા એક સારો વિકલ્પ જણાવવામાં આવ્યો છે, કેમકે સેનેટાઈઝર કેટલાક કીટાણુંઓને મારવામાં નાકામિયાબ સાબિત થઈ ગયા છે.
ગ્રીસ અને ધૂળ ભરેલ હાથ ધોવા માટે પણ સેનેટાઈઝર સારું નથી.
આલ્કોહોલ એક વિકલ્પ છે.
જો સાબુ ના હોય તો આપ આલ્કોહોલ વાળું સેનેટાઈઝરનો ઉપયોગ કરી શકો છો.
આ છે હાથ ધોવાની યોગ્ય રીત, પાંચ સ્ટેપમાં જાણો.:
- -સૌપ્રથમ પોતાના હાથને પાણીના ટેપની નીચે ભીના કરો અને પાણીની ટેપ બંધ કરી દો.
- -ત્યાર બાદ હાથમાં સાબુને સારી રીતે હાથમાં, હાથની પાછળ, આંગળીઓની વચ્ચે અને નખની આજુબાજુમાં વ્યવસ્થિત રીતે લગાવો.
- -ચોખ્ખા પાણીથી પોતાના હાથને ધોઈ લો.
- -કોરા કપડાથી પોતાના હાથને લુછી લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ