સિરિયલ નાગિન 4ના ફેન્સ માટે ખાસ ખબર – બદલાઈ રહ્યો છે મહત્ત્વના આ પાત્રનો ચહેરો
તમારી પ્રિય નાગિન છોડી રહી છે નાગિન 4ને – જાણો કોણ આવી રહ્યું છે તેની જગ્યાએ
કલર્સ ચેનલ પર નાગિન સિરિઝની આ ચોથી સિઝન ચાલી રહી છે. દર્શકોમાં પહેલેથી જ નાગીન સિરિઝ લોકપ્રિય છે અને એક સિઝન પુરી થતાં જ ચાહકો બીજી સિઝનની આતુરતાથી રાહ જોવા લાગે છે. હાલ નાગિન 4 ચાલી રહી છે અને અને લોકોને આ સિઝનની સ્ટોરી પણ પસંદ આવી રહી છે જોકે કેટલાક ફેન્સ શોમાં આવતા ટ્વિસ્ટથી નારાજ છે. પણ તેઓ નવી કાસ્ટને લઈને પણ ઉત્સુક છે.
તાજેતરમાં જેસ્મિન ભસીનના પાત્રનો શોમાં અંત આવવાનો છે. અને તેના ગયા બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે તેની જગ્યાએ તેની જ પ્રતિસ્પર્ધી રહી ચૂકેલી બિગ બોસ 13ની ફર્સ્ટ રનરઅપ રશ્મિ દેસાઈ જોવા મળશે.
એક અહેવાલ પ્રમાણે રશ્મિ દેસાઈ ટુંક જ સમયમાં નાગિન ચારમાં જોવા મળશે. એવા પણ સમાચાર છે કે તેણીએ શુટિંગ પણ શરૂ કરી દીધું છે અને રવિવારના એપિસોડમાં તેણી જોવા પણ મળશે. જો ખરેખર રશ્મિ આ નાગિનમાં જોવા મળશે તો ઘણા લાંબા સમય બાદ તેણીનો આ પહેલો મોટો પ્રોજેક્ટ હશે. જો કે આ સમાચારને લઈને હજુ સુધી શોથી જોડાયેલી કોઈ પણ વ્યક્તિએ કોઈ જ સત્તાવાર જાહેરાત કરી નથી.
જોકે જેસ્મિન ભસીને નાગિન 4માંથી બહાર થવાથી તેના ફેન્સ થોડા નિરાશ થયા છે. તેણે શો છોડવા પાછળ કારણ દર્શાવતા કહ્યું, ‘મને દુઃખ છે કે લોકોને ખરાબ લાગી રહ્યું છે પણ નાગિન શો જ એવો છે કે જેમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવતા જ રહે છે અને મારા પાત્રનો પણ છેવટે અંત આવવાનો જ હતો. જ્યારે શો શરૂ થયો ત્યારે પ્રથમ ટ્વિસ્ટ એ હતો કે હું એટલે કે નયનતારા નાગણ હતી પણ પાછળથી ખબર પડી કે હું નહીં પણ વૃંદા (નિયા શર્મા) નાગણ છે.’
જેસ્મિન જ નહીં પણ આ એક્ટ્રેસ પણ છોડી રહી છે શો
જેસ્મિન ઉપરાંત સાયંતની ઘોષ પણ આ શોને જલદી જ અલવિદા કહેવાની છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટર્વ્યુમાં તેણીએ આ વાતને કન્ફર્મ કરી હતી. સાયંતનીએ આ વિષે જણાવ્યું હતું, ‘મારા પાત્રનો પણ હવે અંત આવી રહ્યો છે. નાગિન શોને પોતાના વ્યુઅર્સને પોતાની સાથે બાંધી રાખવાના હોવાથી ટીમ દર્શકોને કંઈક નવું આપવા માગે છે. શોની ક્રિએટીવ ટીમે મારા પાત્રને મારી નાખવાનું નક્કી કર્યું છે જે દર્શકો માટે એક મોટો આઘાત હશે.’
View this post on Instagram
તેણે શો છોડવા પર એક ઇમોશ્નલ પોસ્ટ પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. ‘મારા માટે કંઈક હોવું એટલે ક્યાંક પહોંચવું કંઈક ચોક્કસ પામવું તેવું નથી. હું તેને આગળ વધવાની દ્રષ્ટિએ જોઉં છું, સતત ઓર વધારે સારી દિશા તરફ આગળ વધવું. જર્ની પુરી નથી થતી. અને કહેવત છે ને કે ગંતવ્ય સ્થાન કરતાં તે તરફ લઈ જતો પ્રવાસ વધારે મહત્ત્વનો છે!!! ’ આમ કહીને તેણે એકતા કપુર તેમજ કલર્સ ટીવી અને સીરીયલ સાથે જોડાયેલા લોકોનો આભાર માન્યો છે.
જો કે માન્યતાના ચાહકોને આશા છે કે માન્યતાની શોમાં ફરીવાર એન્ટ્રી થશે. કારણ કે આ એકતા કપૂરની સિરિયલ છે તેમાં કંઈ પણ શક્ય બની શકે છે.
હવે શોમાં વાસ્તવમાં રશ્મિ દેસાઈ આવે છે કે નહીં તેનો તો ખ્યાલ નથી પણ જો રશ્મિ આવશે તો તેના ફેન્સ ચોક્કસ ખુશ થશે. અને રશ્મિ માટે પણ આ એક નવી શરૂઆત હશે. સાથે સાથે રશ્મિ જાસ્મિનના પાત્રને કેટલી સારી રીતે કરી શકે છે તે પણ જોવાનું રહેશે. દર્શકોએ રશ્મિના આ પાત્રને જોવા માટે રવીવારની રાહ જોવી પડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ