ક્યારેય સાંભળ્યું છે? બોલીવુડ અભિનેતાઓ લગ્નના કવરમાં કેટલા રૂપિયા આપે છે, જો તમે એ રકમ જાણશો તો જરૂર ચોંકશો!
લગ્ન થવા અને એ પણ ભારતમાં તેનો મતલબ ફક્ત એક સબંધ નક્કી થવો નથી હોતું, પરંતુ એક તહેવાર હોય છે. ભારતીય લગ્ન ખૂબ જ ધૂમધામથી અને ખૂબ જ આનંદથી કરવામાં આવે છે. લગ્નના પાર્ટી પ્લોટથી લઈને સ્વાદિષ્ટ ભોજન, લાઈટિંગ, બેન્ડપાર્ટી અને ડિઝાઈનર કપડાં પહેરવા, વર-વધુ દરેક આ લગ્નની રોનક વધારી દેતા હોય છે. લગ્નમાં જવું દરેક લોકોને પસંદ હોય છે. જ્યારે આપણે લગ્નમાં જઈએ છીએ તો સાથે કોઈ ગિફ્ટ જરૂર લઈ જઈએ છીએ, એના વગર લગ્નમાં જવું શરમજનક લાગે છે.
ગિફ્ટ ખરીદવા માટે સમય ન પણ હોય તો આપણે કવરમાં જ ઈચ્છા અનુસાર રૂપિયા રાખીને સ્ટેજ પર દુલ્હન અને વરરાજાને આપી દઈએ છીએ.
કવરમાં લોકો કેટલા રૂપિયા રાખે છે તે ઘણી વાતો પર નિર્ભર હોય છે. જેમ કે તમારી માસિક આવક કેટલી છે, લગ્ન જે પણ વ્યક્તિના થઈ રહ્યા હોય તે તમારી કેટલા નજીક છે, તમારા ઘરના લગ્નમાં તે વ્યક્તિએ કેટલા રૂપિયા આપ્યા હતાં, લગ્નમાં જમવા કેટલા લોકો તમારા પરિવારમાંથી જઈ રહ્યા છે. બસ આવી રીતે સમાન્ય લોકોનો માપ દંડ હોય છે. એવામાં શું તમે જાણો છો કે ફિલ્મ સ્ટાર જ્યારે કોઈ લગ્નમાં જાય છે તો કવર ની અંદર કેટલી રકમ રાખતા હશે? આજે અમે તમને એના વિશે જણાવશું.
સામાન્ય રીતે બોલીવુડના લગ્ન ખૂબ જ ભવ્ય હોય છે. એના પર મીડિયાની નજર પણ હંમેશા બની રહે છે. જ્યારે પણ કોઈ સ્ટાર લગ્નમાં જાય છે તો મીડિયાના લોકો એની પાછળ ફોટો પાડવા કેમેરો લઈને લાગી જ રહે છે. આ વાતમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મી સ્ટાર ખૂબ જ પૈસા કમાય છે. એવામાં લોકોના મનમાં આ જાણવાની ઉત્સુકતા વધારે વધી જાય છે કે બોલીવુડના સ્ટાર લગ્નમાં આપવાના કવરમા કેટલા રૂપિયા રાખે છે. તો ચાલો જાણી લઈએ આ રકમ વિશે..
અભિનેતાઓ આટલા રૂપિયા આપે છે લગ્નના કવરમાં
બોલીવુડના અભિનેતાઓ કોઈપણ લગ્નમાં કવર આપે છે તો એમાં ૧૦૧ રૂપિયા રાખે છે. હા, આ વાત સાચી છે અને આ વાતનો ખુલાસો ખુદ અભિનેતા આમિતાભ બચ્ચને એકવાર એક શો દરમિયાન કર્યો હતો. આ શોમાં એની સાથે કોમેડિયન કપિલ શર્મા પણ હતાં. એમણે મજાકમાં પૂછી લીધું હતું કે આ ફિલ્મી સ્ટાર લગ્નમાં જાય છે તો કવરની અંદર કેટલી રકમ રાખે છે. આ વાત પર બોલીવુડના મહાનાયક અમિતાભજીએ કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ભેટના રૂપમાં કવરમાં શુકનના ૧૦૧ રૂપિયા આપતા હોય છે. તમને થતું હશે કે કરોડો કમાતા સ્ટાર આટલી ઓછી રકમ શા માટે આપે છે? આની પાછળ પણ એક ખાસ કારણ છે.
સોગાદમાં કોઈને કેટલી રકમ આપવામાં આવે એને લઈને હંમેશા પ્રશ્ન રહેતો હોય છે. ખાસ કરીને જુનિયર આર્ટિસ્ટ અને કેમેરામેન જેવા લોકો એમનાથી મોટા સ્ટાર અથવા નિર્માતા ડાયરેકટર વગેરેની પાર્ટીમાં જવા માટે સંકોચ કરતાં હતાં. એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક કોમન રાશિ શુકનના ૧૦૧ રૂપિયા નક્કી કરી દીધા. આ પરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોમાં સમાનતા રહે છે અને દરેક સ્ટાર્સ કોઇપણ વ્યક્તિના લગ્નમાં શરમ રાખ્યા વગર જઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ