કિન્નરનો જન્મ ગર્ભાવસ્થા દરમિયાનની આ ભૂલના કારણે થાય છે
ગર્ભાવસ્થા દરમિયાનની આ ભૂલ પણ કિન્નરના જન્મ પાછળ જવાબદાર હોઈ શકે છે
કિન્નરો વિષે એવી ઘણી બધી બાબતો છે જે હજું પણ સામાન્ય લોકો માટે રહસ્યમયી છે. ઘણા લોકોને એવો પ્રશ્ન થતો રહે છે કે એવું તે શું થાય છે કે કિન્નરનો જન્મ થાય છે. તો આજે આ જ પ્રશ્નનો ઉત્તર અમે તમારી માટે આ લેખમાં લઈને આવ્યા છે.
એક સ્ત્રી માટે ગર્ભાવસ્થા એ તેણીના જીવનનો અત્યંત મહત્ત્વનો સમયગાળો છે. આ દરમિયાન તેણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે જેથી કરીને તેના તેમજ તેના બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. ક્યારેક તો નાની સરખી ભૂલ પણ એટલી ગોજારી સાબીત થાય છે કે તેનું પરિણામ બાળકે આખું જીવન ભોગવવું પડે છે.
ડોક્ટર્સ દ્વારા હંમેશા ગર્ભવતિ મહિલાને તેના શરૂઆતના ત્રણ મહિના દરમિયાન ખાસ સાચવણી રાખવાની સૂચના આપવામાં આવે છે કારણ કે આ ત્રણ મહિના તેના ગર્ભ માટે અત્યંત મહત્ત્વના હોય છે.
આ ત્રણ મહિના એટલા માટે મહત્ત્વના હોય છે કારણ કે આ ત્રણ મહિના દરમિયાન શીશુનું લિંગ વિકસિત થતું હોય છે. જો આ સમયે તમે કોઈ ભૂલ કરો જેમ કે કોઈ બીનજરૂરી દવા લો તો તે વખતે ગર્ભમાંના શીશુમાં ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નરના ગુણ આવી શકે છે. જે બાળક માટે જરા પણ યોગ્ય નથી કારણ કે ત્યાર બાદ બાળકની કીન્નર થવાની શક્યતાઓ વધી જાય છે. માટે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ વગર તમારે કોઈ પણ બીજી દવા લેવી જોઈએ નહીં. સમસ્યા હોય તો ડૉક્ટર સાથે વાત કર્યા બાદ જ સલાહ પ્રમાણે જ કરવું જોઈએ.
ભારે ડોઝવાળી દવાના કારણે માતા તેમજ બાળક બન્નેના સ્વાસ્થ્ય પર તેની માઠી અસર થઈ શકે છે. અને બની શકે કે ભવિષ્યમાં કોઈ ગંભીર બિમારીનો પણ સામનો કરવો પડે. તેમજ ગર્ભાવસ્થા દરમિયાન માતામાં ઘણાબધા હોર્મોનલ ફેરફારો થતા રહે છે અને તે ફેરફાર અસામાન્ય હોય તો તેનાથી પણ બાળકમાં કીન્નરના ગુણ આવી શકે છે. માટે ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્યને લગતો કોઈ પણ નિર્ણય તમારે ડોક્ટરની સલાહ બાદ જ લેવો જોઈએ.
આંતરિક જોખમો ઉપરાંત જો ગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈ અકસ્માત નડે અને ગર્ભમાં રહેલા બાળકને પણ ઇજા થાય તો તે પણ ભવિષ્યમાં બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે. જો કે કિન્નરના ગુણ હોવા પાછળ 10-15 ટકા જીનેટિક પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે. માટે માત્ર નવ મહિના દરમિયાન ગર્ભવતિ મહિલાએ પોતાનું ખૂબ જ ધ્યાન રાખવું અને ડોક્ટરની સલાહ પ્રમાણે જ વર્તવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ