આ છે ભારતની પાંચ સૌથી મોટી મસ્જિદો, અયોધ્યામાં બનનાર હશે કેટલી ખાસ?
સુપ્રીમ કોર્ટે પોતાના અંતિમ ફેંસલામાં અયોધ્યાની વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાનો આદેશ આપી દીધી છે. ત્યાંજ મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં પાંચ એકર જમીન અલગ થી આપવાનું એલાન પણ કર્યું છે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ મુસ્લિમ સમાજના લોકો મસ્જિદને લઈને એક અલગ જિજ્ઞાસાએ જન્મ લીધો છે કે આ મસ્જિદ કેવી હશે અને કેટલી ખાસ હશે. ચાલો આ જ કડીમાં આજે તમને દેશની પાંચ સૌથી મોટી
મસ્જિદો વિશે જણાવીએ.
આ છે ભારતની પાંચ સૌથી મોટી મસ્જિદો, અયોધ્યામાં બનનાર હશે કેટલી ખાસ?
સુપ્રીમ કોર્ટે શનિવારે પોતાના અંતિમ ફેંસલામાં અયોધ્યાની વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાનો આદેશ આપી દીધી છે. ત્યાંજ મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં પાંચ એકર જમીન અલગ થી આપવાનું એલાન પણ કર્યું છે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ મુસ્લિમ સમાજના લોકો મસ્જિદને લઈને એક અલગ જિજ્ઞાસાએ જન્મ લીધો છે કે આ મસ્જિદ કેવી હશે અને કેટલી ખાસ હશે. ચાલો આ જ કડીમાં આજે તમને દેશની પાંચ સૌથી મોટી મસ્જિદો વિશે જણાવીએ.
૧. જામા મસ્જિદ, જૂની દિલ્લી.
દિલ્લીની જામા મસ્જિદ ભારતની સૌથી વિશાળ તેમજ જૂની મસ્જિદો માંથી એક છે. આ વિશાળ મસ્જિદનું નિર્માણ ૧૬૫૦ થી ૧૬૫૬ સુધી થયું. આ મસ્જિદમાં એક સાથે લગભગ ૨૫૦૦૦ લોકો નમાજ અદા કરી શકે છે.
૨. તાજ-ઉલ-મસ્જિદ, ભોપાલ
ભોપાલની તાજ-ઉલ-મસ્જિદ પણ સૌથી જૂની મસ્જિદો માંથી એક છે. આ આલીશાન મસ્જિદની સંરચના અત્યંત ખૂબસૂરત અને ભવ્ય છે. આ મસ્જિદ લગભગ ૫.૬૮ એકર જમીન પર બનાવેલ છે.
૩. શાહરે મુબારક મસ્જિદ, કોઝિકોડ
કેરળના કોઝીકોડમાં સ્થિત આ શાહરે મસ્જિદ પણ દેશની સૌથી આકર્ષક અને મોટી મસ્જિદો માંથી એક છે. વર્ષ ૨૦૧૧ ના એક રિપોર્ટ મુજબ આ મસ્જિદને ભારતની સૌથી વિશાળ મસ્જિદનું બિરુદ મળ્યું હતું. લગભગ ૧૨ એકરમાં બનેલી આ મસ્જિદ એક સાથે ૨૫૦૦૦ લોકોને સમાવી શકે છે.
૪.મક્કા મસ્જિદ, હૈદરાબાદ
૧૬૯૪ માં નિર્માણ થયેલી હૈદરાબાદની મક્કા મસ્જિદ પોતાની વિશાળ મિનારોને લીધે અત્યંત પ્રસિદ્ધ છે. તેની મિનારો ૭૫ ફીટ ઊંચી છે. તેમજ ખૂબસૂરત કલાકારી સાથે સાથે જ આ મસ્જિદ એક સાથે ૧૦૦૦૦ લોકોને સમાવી શકે છે.
૫. જામિયા મિલિયા મસ્જિદ, શ્રીનગર
શ્રીનગરમાં સ્થિત જામિયા મિલિયા દેશની પાંચ મોટી મસ્જિદો માંથી એક છે. ઈદના અવસર પર મોટી સંખ્યામાં લોકો અહીંયા નમાજ અદા કરવા ઉમટી પડે છે. આ મસ્જિદમાં એક સાથે ૩૩૦૦૦ લોકો નમાજ અદા કરી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ