ભારતમાં આવેલા આ અખૂટ ખજાનાઓ વિષે તમે ચોક્કસ નહીં જાણતા હોવ. અહીં છે સદીઓથી છૂપાયેલું ધન.

આપણાં ભારતમાં આવેલ એવી સાત પ્રાચિન જગ્યાઓ છે જ્યાં આજે પણ સદીઓ પહેલાં દાટેલો ખજાનો છૂપાયેલો હોવાની આશંકા છે.

ભારત દેશમાં કેટલીક જગ્યાએ આજે પણ સદીઓ જૂનો છૂપો ખજાનો દટાયેલો છે. જો તેને શોધવામાં આવે તો દેશની અને દેશવાસીઓની સ્થિતિ માલામાલ થઈ જઈ શકે એમ છે. અગાઉ સેંકડો સદીઓ પહેલાં આપણો દેશ સોનાની ચિડિયા કહેવાતો હતો. એટલી સમૃદ્ધિ હતી આપણાં દેશમાં કે અનેક વિદેશી સત્તાઓને આપણાં દેશ પર ચડાઈ કરીને રાજ કરવાના ખરાબ મનસૂબા કર્યા હતા.

તો કેટલાય દેશોએ આપણાં દેશ સાથે વ્યાપારી ધોરણે સાઠગાંઠ કરવાના ઇરાદાથી પ્રવેશ કર્યો હતો. ધીમેધીમે આપણો દેશ ભારત ફિરંગી સાશકોના સકંજામાં આવી ગયો અને સદીઓ સુધી ગુલામી ભોગવી. આપણાં દેશની ધાર્મિક અને સાંસ્કૃતિ ધરોહરો અને રાજાશાહી વારસો આજે પણ કેટલીક જગ્યાઓએ રહસ્યમય રીતે દટાયો છે. જો તેને જહેમત લઈને શોધવામાં આવે તો આપણો દેશ ફરીથી સમૃદ્ધ થઈ જાય.

રખેને કોઈ સાહસિક વ્યક્તિ એ છૂપા ખજાનાની શોધ કરી બેસે તો તે રાતોરાત એટલો ધનિક થઈ જાય કે તે અને તેની સાત પેઢી બેસીને ખાય તો પણ ખજાનાનું ધન ખૂટે નહીં.

આવો જાણીએ એવી કઈ જગ્યાઓ છે જ્યાં એવી વાયકાઓ છે કે તે સ્થળોએ સદીઓ જૂનો હીરા – ઝવેરાત સહીત ખજાનો છૂપાઈને દટાયેલો છે. આ સ્થળોની માહિતી જાણીને પણ રોમાંચ થાય તેવું છે.

 

View this post on Instagram

 

A post shared by ❤️ अलवर ❤️ (@alwarphotos) on


1. અલવર ફોર્ટ (બાલા કિલ્લા), રાજસ્થાન

અગાઉયના રાજા રજવાડા તથા સમ્રાટો હંમેશા તેમની સૌથી મૂલ્યવાન અને કિંમતી ચીજવસ્તુઓનો સંગ્રહ કરતા હતા. કહેવાય છે કે જ્યારે સમ્રાટ જહાંગીરનો દેશનિકાલ કરવામાં આવતો હતો, ત્યારે તેમણે રાજસ્થાનના અલવર કિલ્લામાં થોડો સમય વિતાવ્યો અને કથિતપણે, તે વિસ્તારમાં મોટાભાગના ખજાનાને છુપાવ્યા પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by ❤️ अलवर ❤️ (@alwarphotos) on


એવું માનવામાં આવે છે કે સંશોધકોએ તેમાંથી ઘણી વસ્તુઓને પુનઃપ્રાપ્ત કરવામાં તેને શોધી કઢવામાં આવી છે, પરંતુ સેંકડો વર્ષો પછી પણ હજુય તેમાંથી કેટલોક ખજાનો આજે પણ ખોવાયેલો છે. જેની શોધ ચાલે છે.

 

View this post on Instagram

 

A post shared by paresh patel (@paresh_hlf) on


2. જયગઢ કિલ્લો, જયપુર, રાજસ્થાન

છૂપા ખજાનાની શ્રેણીમાં વધુ એક કિલ્લાની વાત કરીએ તો, મનસિંહ નામે ઇતિહાસમાં ખૂબ કદાવર રાજા થઈ ગયો. અને તેમણે અફઘાન જીતી લીધા પછી તેમની સાથે ઝવેરાત, સિક્કા અને અન્ય કિંમતી વસ્તુઓ એકસાથે એક વિશાળ છાતીએ બાંધીને આયાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by $ak$ham jain★ (@sakshamjain9) on


ઇતિહાસમાં ફક્ત રાજા દ્વારા આપવામાં આવેલી વસ્તુઓમાંથી આપણને થોડી જ સંપત્તિની જાણ છે, તેથી બાકીનો ખજાનો ક્યાં ગયો? જવાબ છે – જયગઢનો કિલ્લો.

 

View this post on Instagram

 

A post shared by Arun Sasikumar (@arunsasikumar1) on


3. શ્રી મુકુમ્બિકા મંદિર, કોળુર, કર્ણાટક

જો તમે કર્ણાટકના કોલુર જિલ્લામાં હંમેશાંથી પશ્ચિમ ઘાટની આસપાસ રહો છો, તો તમે દેવી મુકામ્બિકા મંદિરનું રહસ્ય જરૂર શોધવાની એક વાત તો ઇચ્છા કરી જ હશે. ૧૨૦૦ વર્ષ પહેલાં આ મંદિર શ્રીમંત વિજયનગર સામ્રાજ્ય દ્વારા બાંધવામાં આવ્યું હતું અને કહેવાય છે કે ત્યાં એ સમયે આ મંદિર અઢળક ઝવેરાત અને સોના મહોરથી તે ધરબાયેલું હતું.

 

View this post on Instagram

 

A post shared by Christbin Geo Thomas (@monktravlr) on


તે ઉપરાંત, મંદિરમાં ક્યાંક આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા ખજાનાથી ભરેલા છુપાવેલા સંદૂકોની દંતકથાની વાયકા આજે પણ પ્રચલિત છે, જેમાં એવી માન્યતા છે કે તેની ઉપર અનેક સાપ ફરે છે અને તે આ ખજાનાની રક્ષા કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Prathyaksh Raju (@prathyakshraju) on


4. ચારમીનાર ટનલ, હૈદરાબાદ

આ ટનલ છે જે ચારમિનાર અને ગોલકોન્ડા ફોર્ટને જોડે છે, જેમાં એ સમયના રાજાએ તેમના તમામ રહસ્યમય ખજાના છુપાવી દીધા છે, એવી ત્યાંના સ્થાનિકોમાં માન્યતા પ્રચલિત છે. આજ સુધીમાં કેટલાય લોકો ટનલમાં ફરીને ખૂંદી વળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by muhammad imran talha (@imrantalha329) on


પરંતુ ભારતના અન્ય કિલ્લાઓ કે તેની આસપાસના છૂપા અનન્ય ખજાનાની જેમ અહીંથી કંઈજ પ્રાપ્ત નથી થયું.

 

View this post on Instagram

 

A post shared by Madhusudan Menon (@menon7392) on


5. પદ્મનાભસ્વામી મંદિર, થિરુવનંતપુરમ, કેરળ

થોડા વર્ષો પહેલા અદાલતના આદેશને કારણે પદ્મનાભસ્વામી મંદિરમાં આવેલ ગુપ્ત ભૂગર્ભ ખંડ ખોલવામાં આવ્યો હતો. અંદર આશરે ૨૨ અબજ ડોલરની કુલ કિંમતના સોના અને ચાંદીની વસ્તુઓ, હીરા, રત્ન અને વિવિધ કિંમતી પત્થરોની અમૂલ્ય મૂલ્યના અવશેષો પ્રાપ્ત થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Varsha choudhary (@varshasss) on


સૌ કોઈને એ જાણીને નવાઈ લાગશે કે વાત એ છે કે આ મંદિરમાં હજુ પણ અન્ય બીજી ગુપ્ત તિજોરીઓ અકબંધ પડી છે! જેમાં બધાને જાણવાની ઇચ્છા છે કે અંદર શું હશે?

 

View this post on Instagram

 

A post shared by My_Avenger 🏍 My♥️😎😍 (@prashanth_bethi) on


6. ક્રિષ્ના નદી, આંધ્ર પ્રદેશ

શું તમે જાણો છો કે દસમાંથી સાત વિશ્વના સૌથી પ્રસિદ્ધ હીરા આંધ્ર પ્રદેશની ખાણમાંથી આવે છે? ક્રિષ્ણા નદીના પાણીમાં તેમની સાથે અનેક તમામ પ્રકારની કિંમતી વસ્તુઓ પણ મળે છે, તેમાંના કેટલાક તો કાચા ઘસાયા વિનાના હીરા હોય છે.

તેથી જો તમે નસીબદાર હોવ, તો ત્યાં જ લાંબા સમય સુધી રોકાઈ જાઓ અને કોણ જાણે, કદાચ તમને ત્યાં નવો એક કોહ-એ-નૂર હીરો મળી પણ આવશે!

 

View this post on Instagram

 

A post shared by @historyofindianera on


7. સોન ભંડાર ગુફાઓ (સોનભંડર), રાજગીર, બિહાર

આ સ્થળના નામ સાથેનો અર્થ એ છે કે “સોનાનું સંગ્રહસ્થાન” જ્યાં સોના ભંડાર રહેલો છે. તે સૂચવે છે કે ‘તેમાં ટેકરીઓના સ્તરમાં સોનાના કણ હોય છે! હકીકરે આ ગુફાઓ, વાસ્તવમાં, ટેકરીઓ નથી, પણ તમને જણાવીએ કે બિહારમાં આવેલી આ ગુફાઓ વિશે પ્રચલિત દંતકથાઓ અનુસાર, ક્યાંક અંદર સુવર્ણ ખજાનો દટાયેલો હોય છે, તે ખજાનાને સાચવવાના ઇરાદાથી સદીઓ પહેલાં છૂપાવી દેવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Incredible Bihar (@incredible.bihar) on


દંતકથા પણ એમ કહે છે કે ગુફાની અંદર લખેલા લેખોને તમે સમજી શકો તો ગુપ્ત તિજોરીનું બારણું જાદુઈ રીતે ખુલશે. અને રહસ્ય તમારી સામે છતું થઈ જશે!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ