પપૈયું સૌથી ગુણકારી ફળમાનું એક છે.
પપૈયાને આપણે ફળ તરીકે, સ્મૂધી, મિલ્કશેક અથવા શાકની રીતે ઉપયોગમાં લેતા હોઇએ છીએ.
પપૈયુ તેમાં રહેલા વધારે પોષક તત્વો અને ઔષધિય ગુણો માટે જાણીતુ છે. પપૈયાથી સ્વાસ્થયને અનેક રીતે ફાયદા થાય છે. જો તમે રેગ્યુલરલી પપૈયાનો આ રીતે ઉપયોગ કરો છો તો તેનાથી તમને અનેક ઘણા ફાયદાઓ થાય છે.
તો આજે અમે તમને જણાવીશું કે પપૈયાથી સ્વાસ્થ્યને શું થાય છે ફાયદા…
વજન ઘટાડે
પપૈયું વજન ઘટાડવામાં સૌથી વધુ ઉપયોગી છે. પપૈયામાં રહેલા તત્વો શરીરને અંદરથી સાફ કરવાનુ કામ કરે છે. આ એક અદ્ભૃત ફળ છે જે એન્ટિઓક્સિડન્ટ, ફાઇબરથી ભરેલું અને ઓછી કેલેરી વાળું ,(100ગ્રામ માં 43કેલેરી )અને વિટામિન ,કેલ્સિયમ ,મેગ્નેશિયમ તેમજ પોટેસીયમથી ભરેલું છે.
પાચનને વધારે છે
પપૈયું પાચન ક્રિયા વધારે છે. જો તમને પેટ સાફ ના થતુ હોય અને કબજીયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમારે રોજ એક ડીશ પપૈયુ ખાવુ જોઇએ. જો તમે રેગ્યુલરલી પપૈયુ ખાશો તો તમને કબજીયાતની સમસ્યા દૂર થઇ જશે.
કેન્સર રોકવામાં મદદરૂપ
યૂનિવર્સિટી ઓફ ફ્લોરિડા ધ્વારા કરેલા સર્વે મુજબ સૂકા પપૈયાના પાન ટ્યુમરની સામે એન્ટિકરસીનો જેનિક પ્રભાવ ઉત્પન્ન કરે છે. જે ટ્યુમરના વિકાસને ધીમો કરી દે છે.
સ્વસ્થ ત્વચા
પપૈયાનો ઉપયોગ ઘણા બધા સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે થાય છે. તે ત્વચાની મૃત કોશિકાને દૂર કરી ત્વચાને શુદ્ધ કરે છે. સનબર્નથી ત્વચાને રક્ષણ આપે છે. પપૈયાની છાલમાં ભરપૂર એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે નેચરલ સ્ક્રબ તરીકે વપરાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
જાપાનના એક રિસર્ચમાં સાબિત થયું છે કે, પપૈયામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપિયોગી છે.આના પાનના ફુલ અને થડ પીળિયો, શ્વાસનળીનો સોજો, શૂળ કે બીજી ઘણી બીમારી સામે લડવામાં ખૂબજ ઉપયોગી છે.
આંખો માટે પણ ખૂબ ઉપયોગી છે.
પપૈયામાં બીટા-કેરોટિન નામનું એન્ટિઓક્સિડન્ટ રહેલું હોવાથી તે મેકયુલર ડીજેનેરેશન (આંખો ની એક પ્રકાર ની બીમારી) આંખોની રોશની સારી રહે છે .
લીવર મજબૂત બને
પપૈયાનું સેવન કરવાના કારણે તમારું લીવર વધુ મજબૂત બને છે.અને લીવરમાં કોઈપણ જાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે.
કૃમિ દૂર થાય
પપૈયા ના બીજ ને વાટી અને તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર કોઈપણ જાતના કૃમિ અથવા તો પેટ માં કોઈપણ જાતના કૃમિ થયા હોય તો તે દૂર થઈ જાય છે. અને નાના બાળકોને કૃમિની સમસ્યા માંથી છુટકારો મળે છે.
ખીલના ડાઘા દૂર થાય
પપૈયાનો છુંદો કરી અને તેના દ્વારા તમારા ચહેરાને સાફ કરવામાં આવે તો તેના કારણે તમારા ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ચમકદાર બની જાય છે.
પપૈયુ ખાવાનો સમય
સામાન્ય રીતે કોઈ પણ સમયે પપૈયુ ખાઈ શકાય છે, પણ જો સવારના સમયે ખાવામાં આવે તો એ ખૂબ જ ફાયદાકારક છે.
જો તમે પપૈયું સવારે નાસ્તાના સમયે ખાઓ છો તો પાચનત્રંત સારું રહે છે અને મૂડ સારો રહે છે. પપૈયાના સેવન પછી એક કલાક સુધી બીજું કઈ પણ ના લેવુ હિતાવહ છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ