ઘરેલુ ઉપાયો કેટલીકવાર એવું કામ કરી જાય છે જે કેટલીક બિમારીઓને મૂળથી ખતમ કરી દે છે.
આવો જ એક ઘરેલુ ઉપાય છે વાસી રોટલીનો. જો કે આપણે બધે મોટાભાગે લોકોને કહેતાં સાંભળીયા છે કે રાતનું વધેલું ભોજન ખાવાથી ફૂડ પોઈઝનીંગનો ખતરો વધી જાય છે. પરંતુ વાત જો ઘઉની રોટલીની કરીએ તો આપ રાતની વધેલી રોટલી કોઈપણ ડર રાખ્યા વગર ખાઈ શકો છો.
રાતની વધેલી રોટલીમાં પર્યાપ્ત પ્રમાણમાં ફાઈબર મળી આવે છે, જેના કારણે ભોજનને પચવામાં સરળતા રહે છે. રોજ સવારે વાસી રોટલી અને દૂધ ખાવાથી શરીરના કેટલાક રોગોથી પણ છુટકારો મળી જાય છે.
હવે જાણીશું કે વાસી રોટલી ખાવાથી કઈ કઈ બીમારીઓ દૂર થાય છે, અને આપ તેને કેવી રીતે ખાઈ શકો છો.
ડાયાબિટીસ:
સુગરની તકલીફથી છુટકારો મેળવવા માટે વાસી રોટલી ખૂબ કારગર નીવડે છે. એટલા માટે દરરોજ મોળા દૂધની સાથે વાસી રોટલીનું સેવન કરો. આમ કરવાથી વ્યક્તિનું સુગર કંટ્રોલમાં રહે છે. એટલું જ નહિ વાસી રોટલીને ઠંડા દૂધમાં જો ૧૦ મિનિટ પલાડી રાખ્યા પછી ખાવાથી તેના ફાયદા વધારે થાય છે. એનાથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
બ્લડ પ્રેશર:
ઠંડા દૂધમાં વાસી રોટલી ૧૦ મિનિટ સુધી પલાળી રાખી દો. દૂધમાં પલાળેલી આ રોટલીને સવારે નાસ્તામાં ખાવી. આપની પસંદ મુજબ દૂધવળી આ રોટલીમાં આપ ખાંડ પણ ભેળવી શકો છો. આમ કરવાથી વ્યક્તિની હાઈ બ્લડપ્રેશરની સમસ્યા દૂર થઈ જાય છે. આ સિવાય આમ કરવાથી ઉનાળામાં શરીરનું તાપમાન પણ યોગ્ય રહે છે.
તણાવ દૂર કરે છે.:
પેટ ખરાબ રહેવાના કારણથી જો આપને મોટાભાગે તણાવ રહે છે તો દૂધની સાથેવાસી રોટલી ખાવી. આમ કરવાથી પેટથી જોડાયેલી સમસ્યા પણ થી થઈ જાય છે અને આપને તણાવ પણ નહિ થાય.
વાસી રોટલીથી વજન પણ ઓછું થાય છે. ખરેખર વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે એમ સોડિયમ ઓછું હોય છે. આ કારણ હોય છે કે વાસી રોટલી પચવા માટે સારી હોય છે અને લોહીમાં સુગરનું પ્રમાણ પણ ઘટાડવામાં મદદ કરે છે.
નોંધ: વાસી રોટલી દૂધની સાથે
આમ તો કોઈ નુકસાન નથી થતું પરંતુ વાસી રોટલીનું સેવન કરતી વખતે સુગર અને બ્લડપ્રેશરની દવાઓ એકદમ જ છોડી દેવી નહિ. સમયે સમયે પોતાની ડૉક્ટરી તપાસ પણ કરાવતા રહેવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ