ગુલકંદના ફાયદા અને નુકશાન
ગુલકંદ એક પ્રકારનો મુરબ્બો હોય છે જે ગુલાબની પાંદડીમાંથી બનાવમાં આવે છે.
ગુલકંદ સ્વાસ્થ્ય માટે લાભદાયી અને આનું સેવન કરવાથી શરીરની અલગ અલગ ઘણી બધી બીમારીઓમાંથી છૂટકારો મળે છે. ગુલકંદ સ્વાદે ગળ્યું હોય છે અને આમાંથી ગુલાબની સુંગંધ આવે છે.
ગુલકંદ સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાને દૂર કરી શરીર માટે લાભદાયી નિવડે છે. તો આજે અમે તમને ગુલકંદના ફાયદા, નુકશાન અને તેને બનાવાની રીત જણાવીશું.
આને લગતી બધી જ માહિતી નીચે છે તો ચાલો સૌથી પહેલા જાણીએ ગુલકંદના ફાયદા વિષે.
ગુલકંદના ફાયદા
ગુલકંદ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.
ગુલકંદ શરીરને સ્વસ્થ રાખે છે જે શરીરની ઘણી બધી બીમારીઓને દૂર કરીને લાંબા સમય સુધી શરીરને સ્વસ્થ રાખે છે.
મોઢામાં પડતાં ચાંદા માટે શ્રેષ્ઠ
મોઢામાં ચાંદા પડે ત્યારે ગુલકંદનું સેવન કરો. ગુલકંદ ખાવાથી ચાંદામાં રાહત મળશે અને દુખાવામાં પણ રાહત મળશે.
ગુલકંદમાં વિટામિન-બી હોય છે જે ચાંદામાં રાહત આપે છે. એટલે જ્યારે ચાંદા પડે ત્યારે કોઈ પણ પ્રકારની દવા લીધા વગર દિવસમાં 2 વાર ગુલકંદ ખાઓ જેનાથી તમને રાહત મળશે.
આંખો માટે લાભદાયી
આંખો માટે ગુલકંદ ઉત્તમ માનવામાં આવે છે જે આંખોને ઘણા બધા પ્રકારના રોગોમાં આંખોની રક્ષા કરે છે.
ગુલકંદ ઠંડી પ્રકૃતિનું માનવામાં આવે છે એટલે આંખોમાં બળતરાની તકલીફમાં રાહત મળે છે.
વળી ગુલકંદ પર કરેલ અભ્યાસ મુજબ આનું સેવન કરવાથી આંખોના સોજા અને આંખો લાલ થવાની સમસ્યા પણ હલ થાય છે.
એટલે જે લોકોને આંખોના લગતી આવી તકલીફ રહેતી હોય તો ગુલકંદનું સેવન જરૂર થી કરો.
કબજિયાત અને ગેસની તકલીફ દૂર થશે
ગુલકંદ પેટને લગતી સમસ્યામાં પણ ફાયદાકારક છે. આને ખાવાથી પેટને લગતી ઘણી બધી સમસ્યામાંથી રાહત મળે છે.
જે લોકોને કબજિયાતની તકલીફ છે એ લોકોએ રોજ એક ચમચી ગુલકંદ ખાવુ જોઇએ. આને ખાવાથી કબજિયાતથી છુટકારો મળશે. ગેસની તકલીફ હોય તો પણ ગુલકંદનું સેવન કરવાથી લાભ મળશે.
કારણકે ગુલાબની અંદર રહેલે તત્વોમાં પાચન તંત્રની પ્રક્રિયાને બરાબર રાખી અને ગેસ અને કબજિયાત જેવી તકલીફોથી છૂટકારો મળે છે.
યાદશક્તિ વધારે
ગુલકંદ ખાવાથી યાદશક્તિ વધે છે અને મગજ બરાબર કાર્ય કરે છે. ગુલકંદ પર કરેલી શોધ મુજબ આમાં એંટી ઓક્સિડેંટના ગુણો હોય છે જે યાદશક્તિ વધારે છે નાના બાળકો માટે આનું સેવન ખૂબ જ ગુણકારી છે
હ્રદય સારી રીતે કાર્ય કરશે
ગુલકંદનું સેવન હ્રદયને લગતી તકલીફો પર સારો પ્રભાવ પાડે છે અને હ્રદય રોગને લગતા ભયને દૂર કરે છે. ગુલકંદની અંદર મેગ્નેશિયમ હોય છે જે હ્રદય માટે લાભદાયી છે.
ગુલકંદથી બ્લડ પ્રેશર પણ કાબુમાં રહે છે. કારણકે વધુ પડતું બ્લડ પ્રેશર હ્રદય માટે ઘાતક સાબિત થાય છે અને હાઇ બ્લડ પ્રેશરને કારણે હ્રદય રોગનો હુમલો (અટેક) આવવાનો ભય વધી જાય છે.
થાક દૂર થાય
ગુલકંદમાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે જે શરીરની ઉર્જા વધારવાનું કામ કરે છે. એટલે જે લોકો જલ્દીથી થાકી જાય છે એવા લોકો ગુલકંદ જરૂરથી ખાય.
ગુલકંદ ખાવાથી શરીરને થાક અને કમજોરી અનુભવાશે નહીં. એટલુ જ નહીં આને ખાવાથી તણાવ પણ દૂર થશે.
જે લોકો વધુ પડતાં તણાવમાં રહેતા હોય એવા લોકોએ રાત્રે ઊંઘતા પહેલા એક ચમચી ગુલકંદ ખાઈને ઉપર દૂધ પી લો. આવું કરવાથી તણાવ દૂર થશે.
વજન ઘટાડે
ગુલકંદથી વજન પણ ઓછુ કરી શકાય છે એટલે વજન ઘટાડવું હોય તો રોજ ગુલકંદ ખાઓ. આની અંદર ફેટ બિલકુલ નથી હોતું એટલે ચરબી જમા થતી નથી.
વજન ઘટાડવા માટે સવારે એક ચમચી ગુલકંદની ખાધા પછી ઉપર દૂધ પી લો. આવું કરવથી ભૂખ નથી લગતી અને ફેટ ઓછી થશે.
માસિક સમયે થતા દુખાવામાં રાહત
મહિલાઓ માટે ગુલકંદ ખૂબ જ ફાયદાકારક છે. આને ખાવાથી માસિક સમયે થતા દુખાવામાં રાહત મળે છે.
માસિક સમયે થતા દુખાવા દરમિયાન મહિલાઓ ગુલકંદવાળું દૂધ પીવો. ગુલકંદવાળું દૂધ પીવાથી દુખાવામાં રાહત મળશે.
ત્વચાને લગતા ગુલકંદના ફાયદા
ગુલકંદ સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચામાં ફાયદાકારક છે
ખીલ મટાડે
ગુલકંદને ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે અને વ્હાઇટ હેડ્સની સમસ્યા પણ દૂર થાય છે. આ માટે ચહેરા પર રોજ ગુલકંદ લગાવો.
ચહેરો મુલાયમ બને
ચહેરાને મુલાયમ રાખવામા ગુલકંદ ખૂબ મદદરૂપ થાય છે આનાથી ચહેરા પર ડ્રાયનેસ દૂર કરી શકાય છે.
ત્વચા ડ્રાય થઈ જાય ત્યારે થોડું ગુલકંદ લઈને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ દો.
કેવી રીતે કરશો સેવન
ગુલકંદ ઘણી બધી રીતે ઉપયોગમાં લઈ શકાય છે તમે દૂધમાં નાખીને પણ લઈ શકો, પાણી સાથે પણ લઈ શકો અથવા બ્રેડની સાથે પણ ખાઇ શકો છો.
આવી રીતે તૈયાર કરો ગુલકંદ વાળું દૂધ
ગુલકંદવાળું દૂધ બનાવવા માટે પહેલા એક ગ્લાસ દૂધ ગેસ પર ગરમ કરવા મૂકો. આ દૂધમાં ગુલકંદ મેળવી એને ઉકાળો પછી પીઓ.
યાદ રાખો કે ગુલકંદ ગળ્યું હોય છે એટલે આ દૂધમાં ખાંડ કે મધ નાખવું નહીં.
ગુલકંદ બનાવાની રીત
ગુલકંદ ઘરે જ બનાવી શકાય છે. ગુલકંદ બનવાની સરળ રીત જાણી લો.
ગુલકંદ બનાવવાની સામગ્રી
ગુલાબની પાંદડીઓ- 250 ગ્રામ
સાકર- 250 ગ્રામ
પીસેલી ઈલાયચી
મધ
ગુલકંદ બનાવવાની રીત
ગુલાબની પાંદડિયોને સારી રીતે ધોઈને એને તડકામાં સુકાવા માટે મૂકો. જ્યારે આ પાંદડિયો સુકાઈ જાય પછી એને મિક્ષરમાં નાખીને પીસી લો. આના પછી અંદર પીસેલી ઈલાયચી અને સાકર નાખો.
આ મિશ્રણને ડબ્બામાં બંધ કરીને 8 દિવસ સુધી તડકામાં મૂકો. આવું કરવાથી મિશ્રણ બરાબર પીગળી જશે અને ગુલાબની પાંદડિયોમાં સારી રીતે મિક્સ થઈ જશે. ગુલકંદ બનીને તૈયાર છે જ્યારે મન ત્યારે આનું સેવન કરી શકો છો.
ગુલકંદ ખાવાથી થતું નુકશાન
ગુલકંદ ખાવાના ફાયદાની સાથે સાથે નુકસાન પણ છે
ડાયાબિટીસ હોય એ લોકો ગુલકંદનું સેવન ના કરો કારણ કે આમાં સુગર હોય છે જેનાથી શરીરમાં સુગરનું પ્રમાણ વધી શકે છે.
જે લોકોને ગુલાબના ફૂલની એલર્જી હોય એ લોકો પણ ગુલકંદનું સેવન કરવું જોઇયે નહીં.
ગુલકંદની પ્રકૃતિ ઠંડી હોય છે એટલે આનું વધુ પડતું સેવન કરવાથી શરદી ખાંસી જેવી તકલીફનો સામનો કરવો પડે છે.
ગુલકંદના ફાયદા અને નુકશાન જાણ્યા પછી તમે આજથી જ આનું સેવન કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ