અળવીના પાંદડા એ એક ઔષધિ પણ છે, તેનાથી ઘણી શારીરિક સમસ્યાઓની સારવાર શક્ય છે.
શાકભાજી વિશે વાત કરીએ તો, તમે ખૂબ જ શોખથી અળવીના પાંદડા ખાધા હશે, પરંતુ શું તમે તેના ફાયદાઓ વિશે જાણો છો. અળવી માત્ર કોઈ સ્વાદિષ્ટ ખોરાક જ નથી, પરંતુ તેના ઔષધીય ગુણ પણ આરોગ્ય માટે ફાયદાકારક છે.
અળવીના પાનથી બનેલા પકોડા અને શાકભાજી ઘણા લોકો ખૂબ પસંદ કરે છે. અળવી માત્ર સ્વાદિષ્ટ જ હોતી નથી, પરંતુ સ્વાદ સાથે ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. અળવીના પાંદડાને દવા કે ઔષધિ તરીકે પણ માનવામાં આવે છે. અળવી પાંદડામાં વિટામિન એ, બી, સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપુર માત્રામાં હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
આની મદદથી તમે શરીરની અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.
1. એસિડિટીમાં ફાયદાકારક
જો પેટને લગતી કોઈ સમસ્યા હોય તો અળવીના પાંદડા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે, દાંડા સાથે પાંદડા લો અને તેને પાણીમાં ઉકાળો.ત્યારબાદ આ પાણીમાં થોડું ઘી મિક્સ કરો અને ઓછામાં ઓછા 3 દિવસ સુધી બે વાર નિયમિતપણે લો.
2. આંખોની રોશની તેજ બનાવે છે.
વિટામિન એ અળવી પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આનાથી આંખોની રોશની વધારે તેજ બને છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
3. સાંધાનો દુખાવો
જો સાંધાનો દુખાવો વધારે રહેતો હોય તો અળવીના પાંદડાનું દરરોજ સેવન કરવું જોઈએ. જેનાથી દુખાવામાં રાહત મળે છે.
4. બ્લડ પ્રેશર
અળવીના પાંદડા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેમજ તેના સેવનથી તણાવની કોઈ સમસ્યા રહેતી નથી.
5. વજનમાં ઘટાડો કરવા
વજન ઘટાડવા માટે પણ અળવીના પાંદડા ખૂબ જ અસરકારક છે. તેમાં હાજર ફાઇબર મેટાબોલિઝમને સક્રિય બનાવે છે, જેનાથી વજનને ઘણી હદ સુધી નિયંત્રણમાં રાખી શકે છે.
“જો પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો અળવીના પાંદડા ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તેને મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ