જુહુના આ ઘરમા રહે છે ૬૪ વર્ષીય અનીલ કપૂર પોતાની ફેમીલી સાથે, જુઓ ઘરની અંદરની આ મનમોહક તસ્વીરો…

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતના એક ખુબ જ દિગ્ગજ કલાકાર એવા અનીલ કપૂર આજે ૬૪ વર્ષના થઇ ચુક્યા છે. ૨૪ ડીસેમ્બર, ૧૯૫૬ ના રોજ ચેમ્બુર, મુંબઈમા જન્મેલા અભિનેતા અનીલ કપૂર એ પ્રખ્યાત પ્રોડ્યુસર સુરેન્દ્ર કપૂર અને નિર્મલ કપૂરના પુત્ર છે.

image source

આજે આ કલાકાર ભલે અભિનય ક્ષેત્રે એક ઉચ્ચ સ્તર પર સ્થાન ધરાવે છે પરંતુ, એક સમય એવો પણ હતો કે જ્યારે તેમનો આખો પરિવાર રાજ કપૂરના ગેરેજમા રહેતો હતો.

image source

ત્યારબાદ પરિસ્થિતિમા થોડો સુધાર આવતા તેમણે મુંબઈના એક અર્બન વિસ્તારમા ભાડા પર એક મકાન લીધુ હતુ અને આજે જુહુમા અનીલ કપૂરનો પોતાનો એક ભવ્ય અને આલીશાન બંગલો છે, જેમા તે પોતાની ફેમીલી સાથે રહે છે. જુહુના બંગલામા અનીલ પોતાની પત્ની સુનીતા અને બાળકો સાથે રહે છે.

image source

આ બંગલાનુ ઇન્ટીરીયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને શૈલીમા ડીઝાઈન કરવામા આવેલુ છે. આ ઘર અંદરથી ખુબ જ લકઝરીયસ છે. આ ઘરની દરેક જગ્યાને એટલી સુંદરતાથી સજાવવામા આવી છે કે, આ ઘર રાજાના એક ભવ્ય મહેલ જેવુ લાગે છે. આ ઘરમા જ અનિલે તેની પુત્રીના સોનમના લગ્નના અમુક ફંક્શનનુ આયોજન કર્યુ હતુ.

image source

આ ઘરમા હાલ અનીલ તેમની પત્ની સુનીતા, પુત્રી રિયા અને પુત્ર હર્ષવર્ધન સાથે રહે છે. સોનમ પણ પોતાના લગ્ન પહેલા અહી ફેમિલીની સાથે જ રહેતી હતી પરંતુ, હાલ તે પોતાના સાસરિયામા છે.

image source

અનીલ ના ઘરને તેમના પત્નીએ તેમની ઈચ્છા અને પસંદ મુજબ ડીઝાઈન કરેલુ છે એટલા માટે જો તમે આ ઘરને નીરખીને જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ઘરમા મોટાભાગની વસ્તુઓ અનિલની પસંદની છે.

image source

તેમના ઘરમા રહેલી લાઈબ્રેરી અને જીમ એ દર્શાવે છે કે, તેમને રીડીંગની સાથે-સાથે ફિટનેસનો પણ શોખ છે. આ સિવાય તેમના ઘરની મોટાભાગની વસ્તુઓ લાકડાની બનેલી છે.

image source

તમે જોઈ શકો છો કે, તેમના ઘરમા રહેલુ ટેબલ અને ખુરશીઓ મુખ્યત્વે લાકડાના બનેલા છે. આ સિવાય ઘરની લોબીમા રહેલી ભગવાન બુદ્ધની પ્રતિમા પણ લાકડાની બનેલી છે.

image source

આ સિવાય તેમના ઘરમા માટીની બનેલી મૂર્તિઓનુ પણ કલેક્શન છે. આ ઉપરાંત તેમના ઘરમા એક વિશાળ બાલ્કની પણ છે જ્યા ઘણીવાર પરિવારના બધા જ લોકો એકસાથે બેસીને નાસ્તો કરતા જોવા મળે છે. ઘરની અંદર સુનીતાએ એક અલગ મેકઅપ રૂમ પણ બનાવેલ છે.

image source

આ સિવાય ઘરને આકર્ષક બનાવવા માટે તેમણે ઘરની અંદર પેઇન્ટિંગસ પણ લગાવી છે તથા ઘરની બહાર પ્રાંગણમા નાના-નાના રોપ પણ ઉગાડ્યાં છે, જે આ ઘરની ભવ્યતામા ચાર ચાંદ લગાવે છે. તો આ છે અનીલ કપૂર નો ભવ્ય આશીયાનો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત