ઐશ્વર્યા વિષે કરી અણછાજતી કમેન્ટ, પછી અમિતાભે આપ્યો આવો જોરદાર જવાબ અને કરી દીધી ટ્રોલરની બોલતી બંધ

અમિતાભના ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલરે ઐશ્વર્યા વિષે કરી અણછાજતી કમેન્ટ અને પછી અમિતાભે જે સણસણતો જવાબ આપ્યો છે….. અને પછી ટ્રોલરે માગવી પડી માફી

image source

ઐશ્વર્યા પર થઈ અણછાજતી કમેન્ટ ત્યારે સસરા અમિતાભે આપ્યો આ સણસણતો જવાબ – કોઈ પણ વહુને અભિમાન થશે આવા સસરા પર

સોશિયલ મિડિયા પર ટ્રોલર્સ પોતાને મન ફાવે તેમ કમેન્ટ્સ કરતા રહેતા હોય છે અને તે લોકો નથી તો કોઈ સેલેબ્રીટીને છોડતા કે નથી તો કોઈ સામાન્ય વ્યક્તિને છોડતા. સેલેબ્રીટી ભલે પછી અમિતાભ બચ્ચન કેમ ન હોય કેટલાક બેશર્મો તો જાણે બધી જ હદ વટાવી જાય છે. અને આવા ટ્રોલર્સ એટલી પણ હિંમત નથી ધરાવતા કે પોતાનું સાચું આઈડી રાખે પણ ફેક આઈડી હેઠળ મન ફાવે તેવો બકવાસ કરતા રહે છે. અને નેગેટિવ પબ્લીસીટી મેળવી લેતા હોય છે. આવા લોકોનો પ્રખ્યાત થવાનો આ નવો પેંતરો છે.

image source

તાજેતરમાં અમિતાભ સાથે પણ આવું બન્યું પણ અમિતાભે તે ટ્રોલનરને એવો સણસણતો જવાબ આપ્યો કે તેની બોલતી જ બંધ કરી દીધી. વાસ્તવમાં અમિતાભે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બૈસાખીની શુભકામનાઓ આપતી એક પોસ્ટ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. જે પોસ્ટમાં એક તસ્વીર હતી અને સાથે બૈસાખી માટે વીશ કરતું થોડું લખાણ હતું. તસ્વીરમાં અમિતાભની ફિલ્મ સુહાગના એક ગીત ‘તેરી રબને બનાદી જોડી’નો સ્ક્રીન શોટ હતો. લખાણ કંઈક આમ હતું, ‘બૈસાકીના પવિત્ર અવસર પર, તમને વારંવાર વધામણા. આ દિવસ અને દરેક દિવસ મંગલમય થાય, અમારા બધાની તે જ પ્રાર્થના. આ હર્ષિત પળ અને મધુર જીવન, તમારા ઘરે જ મનાવો. સુખ શાંત અને સુરક્ષિત રહો સદા, ઇશ્વરને તે જ પ્રાર્થના.’

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભની આ પોસ્ટ પર અક્ષય શર્મા નામના એક ટ્રોલરે ખૂબ જ અણછાજતી રીતે પૂછ્યું – ‘ઐશ્વર્યા ક્યાં છે બુઢ્ઢા.’ (ઐશ્વર્યા કહાં હૈ રે બૂઢે). સામાન્ય રીતે અમિતાભ પોતાના ટ્રોલર્સને જવાબ નથી આપતા અને સ્ટાર્સ માટે તે જ યોગ્ય રહે છે કારણ કે આવા ટ્રોલર્સ તો ઘણા બધા હોય છે. પણ જ્યારે પ્રશ્ન તેમની વહુનો હોય ત્યારે તે શા માટે ચૂપ રહે. અને માટે જ આ ટ્રોલરને અમિતાભે સણસણતો જવાબ આપતા જણાવ્યું, ‘તેણી ત્યાં છે, જ્યાં તમે ક્યારેય પહોંચી જ ન શકો, બાપ રે બાપ !’

image source

અમિતાભનો આ રોકડો જવાબ જોઈને અક્ષય શર્મા નામના આ યુઝરને તો જાણે પરસેવો જ છૂટી ગયો. તેણે તરત જ જાણે અમિતાભની માફી માગતો હોય તેમ કમેન્ટ કરતા લખ્યું, ‘તમે તો ખોટું લગાડી દીધું સર, આટલું પણ કોઈ પોતાના ચાહનારાથી નારાજ થતું હોય.’

image source

થોડા દિવસ પહેલાં અમિતાભે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક ખૂબ જ રમૂજી જોક શેર કર્યો હતો. તેમણે આ જોક શેર કરતાં લખ્યુ હતું કે આ જોક મને એક મારા મિત્ર પાસેથી મળ્યો છે, ‘ગિનિઝ બુક શી જિનપિંગ ને અવોર્ડ આપશે કારણ કે તેમણે ચીનની સૌથી વધારે ચાલતી પ્રોડક્ટ બનાવી છે.’ જોકે અમિતાભ બચ્ચન દેશના એક જવાબદાર નાગરીક હોવાથી તેમની પાસે આવા ગંભીર સમયે આવા જોકની અપેક્ષા ન રાખી શકાય તેના કારણે કેટલાક લોકોએ ટીકા કરી હતી અને છેવટે તેમણે પોતાના અકાઉન્ટ પરથી આ જોક ડીલીટ કરવી પડી હતી.

image source

પણ આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે કોઈ પણ વ્યક્તિ ભલે કેટલી પણ મહાન કે સમ્માનનીય કેમ ન હોય પણ છેવટે તે માણસ છે અને ક્યારેક તેમનાથી પણ ભૂલ થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ