અભિ-એશના લગ્નમાં રાની મુખર્જીને આ માટે રાખવામાં આવી હતી દૂર, કારણ જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી

અભિષેક – ઐશ્વર્યાના લગ્ન સમયે શા માટે રાની મુખર્જીને દૂર રાખવામા આવી હતી. અભિનેત્રીએ કંઈક આવો કર્યો ખુલાસો – કારણ જાણીને તમે પણ વિચારવા લાગશો

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલીવૂડના જાણીતા સિતારા છે. બન્નેની જોડી ખૂબ જ પસંદ કરવામા આવે છે. આ બન્નેના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. તેમના લગ્નમાં બોલીવૂડના મોટા મોટા સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પણ તેમાંની એક અભિનેત્રીને લગ્નથી દૂર રાખવામા આવી હતી. તે હતી રાની મુખર્જી.

image source

તમને જણીના આશ્ચર્ય થશે કે રાની મુખર્જીને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નથી દૂર રાખવામાં આવી હતી. તેનો ખુલાસો ખુદ આ અભિનેત્રીએ કર્યો હતો. એવું કહેવામા આવે છે કે જ્યારે રાની મુખર્જી અને અભિષેક વચ્ચે સારી મિત્રતા હતી, ત્યારે તેઓ ફિલ્મ બન્ટી ઔર બબલીનું શૂટિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન તે બન્ને વચ્ચેનો સંબંધ થોડો વધારે ગાઢ બન્યો હતો. આ ઉપરાંત તેમની જેડીને ફિલ્મ યુવામાં પણ ખૂબ પસંદ કરવામા આવી હતી.

image source

તે બન્નેનો સંબંધ લગ્ન સુધી પહોંચી ગયો હતો. પણ એવું કહેવાય છે કે અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચન આ લગ્નથી ખુશ નહોતા. બન્નેના સંબંધનો અંત ત્યારે આવ્યો જ્યારે અભિષેક બચ્ચને ઐશ્વર્યા સાથે લગ્ન કરી લીદા.

image source

એક ઇન્ટર્વ્યૂમાં રાની મુખર્જીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે ઇન્ડસ્ટ્રીમાં લોકો બસ કામ માટે જ દોસ્તી રાખે છે. સાથે સાથે તેણીએ એ પણ જણાવ્યું કે અભિષેક અને ઐશ્વર્યાના લગ્નમાં તેણીને આમંત્રણ જ નહોતું આપવામા આવ્યું. એક ઇન્ટર્વ્યૂ દરમિયાન જ્યારે રાની મુખર્જી સાથે અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન વિષે પ્રશ્ન પુછવામા આવ્યો ત્યારે તેણીએ જણાવ્યું હતું – મને લગ્નમાં કેમ નહોતી બોલાવી, તેનો જવાબ માત્ર અભિષેક જ આપી શકે છે.

image source

રાનીએ એ પણ કહ્યુ હતુ કે તેનાથી ખબર પડે છે કે તેમના જીવનમાં રાનીનું શું મહત્ત્વ છે. આગળ અભિનેત્રીએ કહ્યુ હતું – કોઈને પોતાના લગ્નમાં બોલાવવા ન બોલાવવા તે તેમની અંગત બાબત હોય છે. જો હું પણ લગ્ન કરું તો હું પણ તેમ જ કરું. અમે બધા આ વાતથી ઉપર ઉઠવા માગીએ છીએ. રાની મુખર્જીએ નિર્માતા અને નિર્દેશક આદિત્ય ચોપરા સાથે ખુબ જ સાદાઈથી લગ્ન કરી લીધા છે. હાલ તે બન્નેની એક દીકરી પણ છે જેને તેણી લાઇમલાઇટથી દૂર રાખવા માગે છે.

image source

થોડા સમય પહેલાં જ રાનીએ પોતાની દીકરીનો જન્મ દિવસ પણ ઉજવ્યો હતો અને તે વખતે તેમાં ઘણા બધા સેલેબ્રીટીએ પોતાના બાળકો સાથે હાજરી આપી હતી. રાની મુખર્જી છેલ્લે ફિલ્મ મર્દાની 2માં જોવા મળી હતી. હવે તેણી ફિલ્મ બન્ટી બબલી 2માં જોવા મળશે. જેમાં તેણી ફરીવાર બબલી બનશે પણ તેની ઓપોઝીટ અભિષેક નહીં પણ સૈફ અલી ખાન બંટી બનશે. તાજેતરમાં ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી કે તેમની આ ફિલ્મ 26મી જૂને રિલિધ થશે. તેનું નિર્દેશન વરુણ શર્મા કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ