તમામ લોકો રૂપિયા કમાઇને તે પૈસાદાર બનવા માંગે છે. મોટાભાગના લોકો મધ્યમવર્ગીય કે ગરીબીમાં જ પોતાનું જીવન પસાર કરી દેતા હોય છે. તેનું કારણ આપની આદતો હોય છે. આપની કેટલીક આદતો એવી હોય છે. જે પૈસાદાર લોકોમાં જ હોય છે. તે ગરીબોમા હોતી નથી. જાણીએ તેની આદત વિષે.
આમિર લોકો દેખાડો કરતાં નથી :
ઘણા લોકો એવા હોય છે. જેઓ સારું દેખાવા અને પોતાની જાતને અમિર બતાવવા માટે ઘણા પૈસા ખર્ચ કરી નાખે છે. આવી આવદતે કારણે તેઓ આકર્ષક દેખાય છે પરંતુ તેની આ આદત તમને અમિર બનવા દેતી નથી. કેમ કે પૈસા અને જીવનશૈલી પણ ખર્ચ કર્યા પછી લોકોની પાસે વધુ રૂપિયા બચી શકતા નથી. તો તેઓ કયાય આ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકતા નથી.
તો અન્ય તરફ અમિર લોકો તેની પાસે કેટલા પૈસા છે તે દેખાડવા માટે તેની જીવનશૈલી બદલાતા નથી. તે ડિઝનર કપડાં પહેરવાને બદલે તે સસ્તા અને સાડા કપડાં પહેરે છે. અમીર લોકો આવી રીતે પૈસા બચાવીને તેની બચત કરી શકે છે. ત્યાથી તેમણે એક વધારાની કમાણી કરી શકે છે. આ રીતે ધીરે ધીરે કરીને તેઓ તેની બચતનું નિર્માણ કરી શકે છે. તેનાથી તે વધારે અમીર બની શકે છે.
અમીર લોકો ઈચ્છે છે જે તેમના માટે રૂપિયા કામ કરે :
ઘણા લોકોને આદત હોય છે કે તેમણે ઇચ્છતા હોય છે કે રૂપિયા તેમના માટે કામ કરે છે. અમીર લોકો રૂપિયાને બચત કરી તેનું રોકાણ કરે છે. તેમાથી તે પૈસા તે બીજી જગ્યાએ રોકાણ કરે છે આ રીતે તેઓ આરામથી પૈસા કમાઈ શકે છે. તેવી રીતે તમને રૂપિયા કમાવી શકે છે. મધ્યમ વર્ગના લોકો અને ગરીબો લોકો રૂપિયા કમાવા માટે નોકરી કરે છે અને પછી તે રૂપિયામાથી પોતાના જરૂરિયાતને પૂરી કરી શકે છે.
અમીર લોકો રૂપિયાને વ્યવસ્થા કરવાનું જાણે છે :
અમીર લોકો રૂપિયા સંભાળીને ખર્ચ કરે છે અને હમેશા પોતાની બજેટ કરી લે છે તેઓ તેનું સખ્તાઈથી પાલન કરે છે. તો ગરીબ લોકો રૂપિયા આવતા જ તેને ખર્ચ કરવા વિષે વિચારતા હોય છે. તે રૂપિયા ખર્ચ કર્યા પછી ક્રેડિટ કાર્ડનો પણ તેઓ ઉપયોગ કર્યા ખચકાતાં હોતા નથી. આમ તેઓ વ્યાજની માયાજાળમાં ફસતા જાય છે.
ગરીબ લોકો નિરાશાવાદી વધારે હોય છે :
જેઓ ગરીબ લોકો છે તે બહુ જ નિરાશા વાદી હોય છે. તેઓ કોઈ પણ કામ કરતાં પહેલા તેમનં નકારાત્મક વિચારને વધારે પ્રોત્સાહન આપે છે. તેમાં ઘણા લોકો ખૂબ આશાવાદી હોય છે. નવી બાબતોને લઈને વહુ જ સારા અને સકારાત્મક વિચારો વાળા હોય છે. તેઓ ઉર્જાથી ભરપૂર હોય છે.
અમીર લોકો પોતાના લક્ષ્ય પર ફોકસ કરે છે :
અમીર લોકો પોતાના લક્ષ્યને લઈને બહુ જ ફોક્સ હોય છે આ જ કારણે છે કે તેઓ સારી રીતે જાણે છે. તેઓને તેમના જીવનમાં શું કરવું છે તેના વિષે તે જાણતા હોય છે અને તેમાં આવતી બધી મુશ્કેલીનો તે સામનો કરે છે. તો ગરીબ લોકો હમેશા માટે આ બાબતો પર ધ્યાન આપે છે જેનાથી તેઓ બચવા માગે છે. તેઓ પોતાની સમસ્યાને બેધ્યાન કરતાં હોય છે. આ જ કારણે તેઓ ક્યારેય એ વાતો પર ધ્યાન કરી શકતા નથી.
લાંબા સમયે ફાયદો કરે આપનાર બાબત પર ખર્ચ કરે છે :
પૈસાદાર લોકોને ખાસ આદત હોય છે કે તેઓ કેટલીક ચીજો પર રૂપિયા ખર્ચવામાં ક્યારેય કંજૂસી કરતાં નથી. ત્યારે ગરીબ લોકોની નજરમાં તે હમેશા નકામો ખર્ચ કર્યા કરે છે. તેનું ઉદાહરણ જોઈએ તો તમે કોફી પીવાની શોખ છે તો તમારી આદત ગરીબો વાળી છે.
તમે કોફી પીવામાં રોજ રૂપિયા ખર્ચ કરતાં રહેશો. ત્યારે અમીર લોકો હશે તે રૂપિયા ખર્ચ કરીને કોફી મશીન ખરીદી લેશે અને તેનાથી તેમને લાંબા સમયે લાભ થશે. એક વર્ષમાં તમે રોજ રૂપિયા ખર્ચ કરી જેટલી કોફી પિશો, મશીન ખરીદીને તેની સરખામણીમા અડધા જ રૂપિયા ખર્ચ થશે.