આજકાલ દરેક વ્યક્તિને સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેવાનો શોખ છે. આ શોખ ક્યારેક તેમને ભારે પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રએ સોશ્યલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સ ને લઈને કોડ ઓફ એથિક્સ અને રેગ્યુલેશન જાહેર કર્યા છે. તેમાં સરકારે કહ્યું કે ડિજિટલ મીડિયા કે કોઈને પણ અફવાહ અને જૂઠાણું ફેલાવવાનો અધિકાર નથી. સાથે એમ પણ કહેવાયું છે કે જો નિયમોનું પાલન નહીં કરાય તો સરકાર તેમના વિરોધમાં કાર્યવાહી કરશે. કોડ ઓફ એથિક્સના આધારે સોશ્યલ મીડિયા પર એક મેલસેજ વાયરલ થવા લાગ્યો છે. તેમાં કહેવાયું છે કે સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ નાંખવાથી 5 વર્ષની જેલ થશે.
વાયરલ મેસેજ એક ન્યૂઝપેપરની હેડલાઈન છે. જેમાં કહેવાયું છે કે સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરવાથી 5 વર્ષની જેલની સજા થઈ શકે છે. આવી સૂચના ફેલાતા પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે તેને લઈને વાસ્તવિક જાણકારી આપી છે.
પીઆઈબીએ દાવો ખોટો સાબિત કર્યો
પીઆઈબીએ પોતાના ફેક્ટ ચેકમાં વિવાદિત પોસ્ટ મૂકવા પર 5 વર્ષની જેલની સજાના દાવાને ભ્રામક ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વિટ કરીને લખ્યું કે દેશની સંપ્રભુતા, અખંડતા, રાજ્યની સુરક્ષા, વિદેશોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ અને અન્ય મહત્વના વિષય પર વિવાદિત સામગ્રી માટે પ્રાવધાન બનાવાયું છે.
સોશ્યલ મીડિયા પર જવાબદેહ જરૂરી
સોશ્યલ મીડિયાને માટે જાહેર કરાયેલા નવા કોડમાં કહેવાયું છે કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને સામાન્ય ઉપયોગકર્તાને સશ્ક્ત બનાવ્યું છે. તેનો દૂરઉપયોગ કરવા માટે ખોટા લાભ લેવા માટે તેનો જવાબ આપવાનો રહેશે.
તેમાં રચનાત્મકતા અને પોતાના વિચાર વ્યક્ત કરવા માટે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે કોઈ પણ મિસઅન્ડર સ્ટેન્ડિંગને દૂર કરતા લોકોની અનેક ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે.
સરકારે કહ્યું કે ભારત દુનિયાના સૌથી મોટા ખુલ્લા ઈન્ટરનેટ સમાજ છે. અને સરકાર સોશ્યલ મીડિયા કંપનીઓ દ્વારા ભારતમાં પોતાનું સંચાલન કરવા, કારોબાર કરવા અને સાથે જ નફો કમાવવાનું પણ સ્વાગત કરે છે. જો કે કંપનીઓને ભારતના સંવિધાન અને કાયદાને માટે જવાબ આપવાનો રહે છે.
જો તમને પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાની આદત છે તો કોઈ પણ ચીજને શેર કરતા પહેલાં તમે તેની ચકાસણી કરી લો તે જરૂરી છે. આ સિવાય તમે કોઈ પણ મેસેજને ફોરવર્ડ કરો છો તો પણ તેની સત્યતાની પરખ કરવું જરૂરી બને છે. શક્ય છે કે કોઈ અન્ય વ્યક્તિની ભૂલનું પરિણામ તમારે ભોગવવું પડે.