દેશી ઘી અને ઓલિવ ઓઇલમાંથી બનેલો ખોરાક વજન ઓછું કરવા કે પાતળા થવામાં મદદ કરે છે.
આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ કે આપણી સાચી સંપત્તિ એ આપણું પોતાનું સ્વાસ્થ્ય જ છે. જો સ્વાસ્થ્ય તંદુરસ્ત હોય તો મનુષ્યને દુનિયામાં કંઈપણ મળી શકે અને તે પોતે પણ જાતે મેળવી શકે છે, પરંતુ જો આરોગ્ય ખરાબ હોય તો દરેક ખુશી તેને ફિક્કી કે અણગમતી હોય તેવું લાગે છે કારણ કે આપણે આપણી કોઈ પણ સિદ્ધિઓનો આનંદ માણી શકતા નથી.
તંદુરસ્ત અને સ્લિમ ફિટ રહેવા માટે કયા તેલમાં બનેલો ખોરાક ખાવો જોઈએ તે અહીં જાણો.
લોકો ઘણુ બિનજરૂરી જ્ઞાન આપતા ફરતા હોય છે. બસ એક વાર તેઓ ને કહો કે, તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો, હું કસમથી સાચું કહીશ કે, લોકો તમારી પર સલાહ અને ટીપ્સ નો વરસાદ વરસાવી દેશે. આ ખાવું જોઈએ , ને આ જરાય ન ખાવું જોઈએ.
આ જ ખાવું જોઈએ અને એ આ સમયે જ ખાવું જોઈએ, વગેરે … વગેરે, કારણ કે વજન ઘટાડવાની વાત હોય ત્યારે દરેકનું ધ્યાન માત્ર અને માત્ર તેમના ખોરાક પર જ હોય છે.
રસોઈ માટે કયું તેલ વાપરવું જોઈએ તે તમને કોઈ જણાવતું નથી. કે જેથી કરીને તમારા વજન વધવાની સંભાવના ખૂબ ઓછી થઈ જાય.
તેલની અસર:-
આપણે જે તેલ માં ખોરાક બનાવીએ છીએ તે પણ આપણા વજનમાં વધારો કરવામાં, ઘટાડવામાં અથવા જાળવવામાં મોટો ભાગ ભજવે છે. જેમ કે સોયાબીન તેલ, મગફળીનું તેલ, તલનું તેલ અથવા વિવિધ પ્રકારનાં શુદ્ધ કરેલા અને ઘી. આ બધાના અલગ અલગ ગુણધર્મો હોય છે અને તેના પ્રભાવ આપણા શરીર પર પણ અલગ અલગ પડે છે.
પરંતુ જો તમે આવા ખોરાકને રાંધવા માંગતા હો, જે તમારી ભૂખને ઘટાડવાની સાથે તમારું વજન ઘટાડવામાં પણ તમને મદદ કરી શકે, તો તમારે ઓલિવ ઓઈલને પસંદ કરવું જોઈએ.
ઓલિવ ઓઇલ વજન કેવી રીતે ઘટાડે છે?
હમણાં સુધી તમે વાંચ્યું જ હશે કે સાંભળ્યું હશે, ઓલિવ ઓઇલ આપણી ત્વચા અને વાળ માટે ખૂબ જ સારું હોય છે. પરંતુ અમે તમને જણાવી રહ્યા છીએ કે ઓલિવ ઓઇલ વજન ઘટાડવા માટે પણ ખૂબ મદદગાર છે. હકીકતમાં, આરોગ્ય નિષ્ણાતો અને ડાયેટિશિયન્સનું માનવું છે કે જ્યારે આપણે ઉચ્ચ સંતૃપ્ત આહાર છોડીએ છીએ અને મોનો અસંતૃપ્ત આહાર લેવાનું શરૂ કરીએ છીએ, ત્યારે તે આપણા વજનને અમુક અંશે નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
પછી ભલે તમે આ સમયગાળા દરમિયાન તમારા ભોજનમાં પહેલા જેટલા જ પ્રમાણમાં કેલરી જાળવી રાખી શકો છો. તેથી, નિષ્ણાતોના મતે, ઓલિવ તેલ અને દેશી ઘી રસોઈ બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પો છે.
દેશી ઘી અને ઓલિવ ઓઈલમાં હાઈ સ્મોકિંગ પોઇન્ટ સ્થાન ધરાવે છે. એટલે કે, તેઓ જે સ્તરે ધુમાડો ઉત્પન્ન કરે છે, તેમની આ જ ગુણવત્તા તેમને ખોરાક તળવા માટે વધુ શ્રેષ્ઠ બનાવે છે. ઉપરાંત, મોનો અસંતૃપ્ત ચરબીને કાર્બ્સથી બદલવાનો અર્થ એ છે કે તમારા પેટને ઝડપથી ભૂખ લાગશે નહીં. કારણ કે ચરબી કાર્બ્સ કરતા પચવામાં વધુ લાંબો સમય લે છે. એટલે કે, તમને સંપૂર્ણ કેલરી તો મળતી જ રહેશે પરંતુ સાથે સાથે તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.
તો આજથી તમે નક્કી કરો કે તમારી જાતને અને તમારા પરિવારને સ્વસ્થ રાખવા માટે તમારે નિયમિતપણે દેશી ઘી અને ઓલિવ ઓઇલમાં બનેલું ભોજન જ બનાવવું અને જમવું. અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ ઉચ્ચ તાપમાને રાંધવા માટેનું એક સૌથી શ્રેષ્ઠ તેલ છે.
જો કે, ઘણા સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે તલનું તેલ, સરસવનું તેલ અને સૂર્યમુખી તેલ એ ત્રણેય રસોઈ માટે ઉત્તમ તેલ માનવામા આવે છે. કારણ કે આપણું શરીર આ ત્રણેય તેલને સરળતાથી પચાવી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ