૩ સામાન્ય ભૂલો કે જે વજન ઘટાડવામાં અવરોધે છે જ્યારે આપણે છૂટક છૂટક ઉપવાસ કરીએ છીએ
તૂટક તૂટક ઉપવાસ એ એક લોકપ્રિય પરેજી છે. જેનું અનુસરણ મોટી વસ્તી દ્વારા અને સેલિબ્રિટી દ્વારા પણ કરવામાં આવે છે. તેમાં દિવસમાં ચોક્કસ સમયગાળા માટે ન ખાવાનો સમાવેશ થાય છે અને વજન ઘટાડવા માટે તેને અસરકારક માનવામાં આવે છે. તે તમને ઓછી સંખ્યામાં કેલરીનો વપરાશ કરવામાં મદદ કરે છે. લોકો દ્વારા અનુસરેલા ત્રણ પ્રકારનાં ઉપવાસ હોય છે જેમાં, વૈકલ્પિક દિવસ ઉપવાસ, આખો દિવસ ઉપવાસ અથવા સમય પ્રતિબંધિત ઉપવાસ. સમય-પ્રતિબંધિત ઉપવાસનું ૧૬:૮ બંધારણ એ પરેજી શરૂ કરતાં લોકોમાં સૌથી પ્રખ્યાત છે.
જો કે, શક્ય છે કે તે બધું અનુસર્યા પછી પણ તમારું વજન ઓછું ન થાય. જો આ કિસ્સો છે, તો તમે આ ત્રણ ભૂલોમાંથી એક કરી રહ્યા છો.
૧] તમે ઘણી બધી કેલરી વાપરી રહ્યા છો
તમારા તૂટક તૂટક ઉપવાસની સફળતા નક્કી કરવા માટે, તમે કેટલી કેલરીનો વપરાશ કરો છો તેની સંખ્યાનું નિરીક્ષણ કરવું તે મહત્વપૂર્ણ છે. યાદી રાખવી અને તમે જેટલી કેલરીનો વપરાશ કરો છો તેની સંખ્યા રાખવી તે મદદરૂપ છે. તમારા શરીરને ઇચ્છિત વજન સુધી પહોંચાડવા માટે કેટલી કેલરીની જરૂર છે તે જાણવું સારું છે. એકવાર તમે કેલરીની સંખ્યાને નિર્ધારિત કરી લો કે જે તમને ખાવાની છૂટ છે, તમે જે પ્રકારનો ખોરાક ખાવ છો તેના પર તમારે એક કડક હિસાબ રાખવાની જરૂર છે. જો તમે ઉપવાસ ન કરતા હોવ ત્યારે ઘણી બધી કેલરી લઇ લ્યો છો, તો પરેજી તમારા શરીરના વજન પર કોઈ વાસ્તવિક અસર કરશે નહીં.
૨] તમે પ્રમાણને ઓછો અંદાજ આપી રહ્યાં છો
જો તમે તમારી કેલરીની માત્રા તપાસી રાખવા માટે સક્ષમ છો અને તેમ છતાં તમે ઇચ્છિત વજન ગુમાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છો, તો આગળનું પગલું એ છે કે પહેલા તમારા ભાગના કદને તપાસો. તમે હંમેશાં ખોટી ગણતરી કરો છો કે તમે ખરેખર કેટલું ખાવ છો, જે એક દિવસ માટે વધુ પડતી કેલરી છે. તમારે ચીઝ જેવા કેલરીયુક્ત ખોરાકથી વિશેષ સાવચેતી રાખવી જોઇએ. આમ, તે મહત્વનું છે કે તમે તમારી ખાદ્ય ટેવોની ગણતરી કરો અને તેનું નિરીક્ષણ કરો.
૩] તમે પૂરતા પ્રમાણમાં ખાતા નથી
તમારું શરીર તમે તેને જે પણ આહાર આપો છો તેનાથી ટેવાય છે. જો તમે તમારા વજન ઘટાડવાના ગ્રાફમાં એક સ્થિરતા અનુભવ કરી રહ્યાં છો, તો તે કદાચ કારણ કે તમે પૂરતી કેલરી નથી ખાતા. તમારું શરીર તમે તેને જે પ્રદાન કરો છો તેમાં મળતી કેલરીની સંખ્યા પર કાર્ય કરવાનું શીખી જશે. તેથી, તમારે તમારા કેલરીનું સેવન ધીમે ધીમે ઘટાડવું જોઈએ અને ફક્ત મધ્યમ વજન ઘટાડવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તદુપરાંત, તમારે અઠવાડિયામાં અડધો-કિલોગ્રામ વજન ગુમાવવા માટે ફક્ત પૂરતી તેમજ કપાત કેલરી લેવી જોઈએ.
સ્વસ્થ સંતુલિત આહાર તમને વજન ઘટાડવામાં અને લાંબા ગાળે વજન જાળવવામાં મદદ કરશે. વજન ઘટાડવાની જાળવણીની ચાવી એ કસરત પણ છે, કારણ કે તે શરીરના ચયાપચયને ઉત્તેજિત કરશે. તેથી, નિયમિતપણે સંતુલિત આહાર સાથે કસરત કરવી મહત્વપૂર્ણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ