પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું મંગળવારે 66 વર્ષની વયે અવસાન થયું. હાર્ટ એટેકથી તેનું મોત નીપજ્યું હતું. તે 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. તે પંજાબના લુધિયાણા શહેરના રહેવાસી હતા. યશપાલ શર્માએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ કેટલાક દિવસો માટે અમ્પાયરિંગમાં પણ કામગીરી બજાવી હતી. બાદમાં તેમને ટીમ ઈન્ડિયાના પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
દિલીપકુમાર જીએ મારું જીવન બનાવ્યું: યશપાલ
ભારતે 1983માં પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો, યશપાલ શર્મા પણ આ ટીમના ભાગ હતા. યશપાલને શ્રેષ્ઠ ક્રિકેટર બનાવવામાં દિલીપકુમારે મોટી ભૂમિકા નિભાવી હતી. યશપાલ શર્માએ પોતે પણ આ હકીકત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી દિલીપ સાહેબ મારા પ્રિય રહેશે. લોકો તેને દિલીપકુમાર કહે છે, હું તેને યુસુફ ભાઈ કહું છું. તેણે જ ક્રિકેટમાં મારી લાઈફ બનાવી હતી.
હું મારી જાતને સંભાળી શકતો નથી: કપિલ દેવ
1983 ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા કપિલદેવે કહ્યું કે મારી પાસે શબ્દો નથી. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને હું ચોંકી ગયો છુ. હું મારી જાતને સંભાળી શકતો નથી. કપિલ દેવની આંખમાંથી આસું સરી પડ્યા હતા. દિલીપ વેંગસરકર એ કહ્યું કે અમે બંને સારા મિત્રો હતા. હું તેના મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી.
37 ટેસ્ટ અને 42 વનડે રમ્યા
યશપાલે દેશ માટે 37 ટેસ્ટમાં 33..46 ની સરેરાશથી 1606 રન બનાવ્યા હતા. આમાં, બે સદીની સાથે, તેણે 9 અર્ધસદી સદી ફટકારી હતી. જ્યારે 42 વનડેમાં તેણે 28.48 ની સરેરાશથી 883 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી હતી.
1978 માં ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી
पूर्व क्रिकटेर यशपाल शर्मा के अचानक निधन की खबर सुनकर स्तब्ध हूँ. ’83 में पहली बार इंडिया को वर्ल्ड कप जिताने वाली टीम के सदस्य, यशपाल जी कई साल से इंडिया टीवी के क्रिकेट एक्स्पर्ट थे. उनके जाने से क्रिकेट जगत को भारी नुक़सान हुआ है. विनम्र श्रद्धांजलि. @cricyashpal
— Rajat Sharma (@RajatSharmaLive) July 13, 2021
યશપાલ શર્મા વિકેટકીપરની સાથે મધ્યમ ઝડપી બોલર પણ હતા. તેણે ટેસ્ટ અને વનડેમાં 1-1 વિકેટ પણ લીધી હતી. તેણે 13 ઓક્ટોબર 1978 ના રોજ તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત વનડેથી કરી હતી. આ મેચ પાકિસ્તાન સામે સિયાલકોટમાં રમવામાં આવી હતી. પછીના વર્ષે તેણે ઇંગ્લેન્ડ સામે પણ ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. આ મેચ 2 ઓગસ્ટ 1979 ના રોજ લોર્ડ્સ ખાતે રમાઈ હતી.
Semi final match against England in 1983 World Cup pic.twitter.com/DcIz8cLxjk
— Yashpal Sharma (@cricyashpal) June 25, 2021
યશપાલ શર્મા 66 વર્ષના હતા. યશપાલ શર્મા 1983 ના વર્લ્ડ કપમાં ભારત તરફથી બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત યશપાલ શર્માએ ઘરેલું ક્રિકેટમાં પણ ઘણા રન બનાવ્યા હતા. તેણે 160 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 44.88 ની એવરેજથી 8933 રન બનાવ્યા. તે જ સમયે, તેણે 74 લિસ્ટ એ મેચોમાં 34.42 ની સરેરાશથી 1859 રન બનાવ્યા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong