શિયાળામાં સુકાઇ જાય છે નાક? તો ના કરો આ વાતને ઇગ્નોર, જાણો આ સમસ્યામાંથી કેવી રીતે મેળવશો છૂટકારો

શિયાળાની ઋતુ દરમિયાન આપણને ક્યારેક તો નાક સુકાઈ જવાનો અનુભવ થાય જ છે, કેટલાક લોકો માટે, તે ખૂબ જ મુશ્કેલ બને છે. તમારી આ સમસ્યા દૂર કરવા માટે અમે તમને થોડા ઉપાય જણાવીશું જેની મદદથી શિયાળાની ઋતુમાં તમે સ્વસ્થ રહો.

શિયાળામાં ઠંડા પવનથી શરદી અને તાવ ઉપરાંત અનેક રોગો થઈ શકે છે. શિયાળામાં એવા ઘણા લોકો છે જેમને આખી ઋતુમાં ઠંડીના કારણે શરદીની સમસ્યા રહે જ છે. આ સિવાય તાવ, ઉધરસ, માંસપેશીઓમાં દુખાવો, જેવી કેટલી સમસ્યાઓ પણ જન્મે છે. જયારે પણ શરદીની સમસ્યા થાય ત્યારે નાક સાફ રાખવા માટે તેને રૂમાલથી સાફ કરવાથી તમે ક્યારેક અસ્વસ્થતા અનુભવી શકો છો. આ સિવાય નાક સુકાઈ જવાથી લોકોને નાકમાં ખંજવાળ, લાલાશ અને બળતરા પણ થાય છે.

નાક સુકાઈ જવાથી ઘણા નુકસાન થઈ શકે છે

image source

તો ચાલો અમે તમને જણાવી દઈએ કે નાક સુકાઈ જવું એ સ્વાસ્થ્ય માટે ઘણા જોખમો ઉભા કરી શકે છે. આને કારણે, સાઇનસની સમસ્યાઓ અથવા વધુ માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થવાની સંભાવના છે. એટલું જ નહીં, શ્વસન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને ઉનાળામાં પણ જોવા મળે છે. જો કે, અહીં અમે તમને કેટલીક એવી ઘરેલું અને સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી સૂકા નાકની સમસ્યા દૂર થશે.

સ્ટીમ

image source

સ્ટીમ નાકની શુષ્ક્તામાં રાહત આપવામાં પણ મદદ કરી શકે છે. સ્ટીમ માટે તમે સ્ટીમર પણ લઈ શકો છો અથવા તમે મોટા વાસણમાં પાણી ગરમ કરીને પણ સ્ટીમ લઈ શકો છો. આ માટે સ્ટીમ લેતા પહેલા, માથાને ટુવાલોથી ઢાંકી દો અને જ્યાં સુધી સહન કરવામાં આવે ત્યાં સુધી સ્ટીમ લો.

નોઝ ડ્રોપ્સ

image source

જો તમે સુકા નાકની સમસ્યાથી પરેશાન છો, તો આ સમસ્યા દૂર કરવા માટે નોઝ ડ્રોપ્સથી વધુ સારું કઈ જ નથી. નોઝ ડ્રોપ્સનો ઉપયોગ નાકને ભીના કરવા માટે થઈ શકે છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. જો તમે તેનો વધારે ઉપયોગ કરો છો, તો પછી નાક વધુ શુષ્ક થશે થશે.

બદામનું તેલ

image source

બદામનું તેલ નાકની શુષ્કતા દૂર કરવા માટે એક ઉત્તમ ઉપાય છે. બદામના તેલનો ઉપયોગ કરીને આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે, પરંતુ જો બદામના તેલમાં એલોવેરા જેલ મિક્સ કરો તો તે વધુ સારું કામ કરે છે. સુકા નાકની સમસ્યાને દૂર કરવા માટે, કોટન બોલની મદદથી આ બંનેનું મિશ્રણ તમારા નાકના બંને છિદ્રોમાં નાંખો.

પાણી પીવું

image source

ઘણીવાર પાણીના અભાવથી પણ સૂકા નાકની સમસ્યા શકે છે. ગરમીના કારણે શરીરમાં પાણીનો અભાવ હંમેશાં રહે છે, જેના કારણે નાકમાં શુષ્કતા આવે છે. આવી સ્થિતિમાં, પીવાનું પાણી ખૂબ મહત્વનું બને છે. પુષ્કળ પાણી પીવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. તમે શિયાળાની ઋતુમાં થોડું ગરમ પાણી પણ પી શકો છો.

નાળિયેર તેલ

image source

નાળિયેર તેલ સાથે જોડાયેલા ફાયદાઓ વિશે આપણે બધા જાણીએ છીએ. નાકમાં નાળિયેર તેલ લગાવવાથી શુષ્કતા દૂર થાય છે અને કોષો વચ્ચેની અંતર ભરીને દુખાવો દૂર કરવામાં પણ મદદ કરે છે. પરંતુ યાદ રાખો, કે અન્ય કોઈ ઉપાયની જેમ તેનો ઉપયોગ પણ વધુ ના કરવો જોઈએ. આ માટે દિવસમાં થોડા ટીપાં નાળિયેર તેલ સુકા નાકની સમસ્યા દૂર કરવામાં ફાયદાકારક છે.

વિટામિન ઇ તેલ

image source

નાળિયેર તેલની જેમ વિટામિન ઇ તેલ પણ શુષ્ક નાક માટે ખૂબ જ ઉપયોગી છે. બજારમાં ખરીદવા માટે વિટામિન ઇ તેલના કેપ્સ્યુલ્સ ઉપલબ્ધ છે. તમે તેનો ઉપયોગ તમારા નાક પર અને તેની આસપાસ કરી શકો છો. જો કે, વિટામિન ઇ તેલ તમે ત્વચા પર ઉપયોગ કરતા પહેલા ત્વચાના ડોક્ટરની સલાહ લઈ શકો છો.

પેટ્રોલિયમ જેલી

image source

પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ શિયાળાની ઋતુમાં થાય છે. ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખવા ઉપરાંત તે ત્વચામાં પોષણ પણ પૂરું પાડે છે. પેટ્રોલિયમ જેલી તમારા નાકની શુષ્કતા દૂર કરે છે અને ત્વચાને હાઇડ્રેટ પણ કરે છે આ માટે થોડી પેટ્રોલિયમ જેલી તમારી આંગળી પર લો અને તેને તમારા નાક પર લગાવો. જો કે, તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ ના કરવો. તેને દરરોજ ન લગાવો, ફક્ત નાકની શુષ્કતા દરમિયાન જ લગાવો. પેટ્રોલિયમ જેલીનો દૈનિક ઉપયોગ તમારા ફેફસાં માટે ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે.

ભીના વાઇપ્સ

image source

આ દિવસોમાં લોકો વારંવાર નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે. જો તમને શુષ્ક નાકની સમસ્યા હોય, તો પછી તમે ગરમ પાણીથી પલાળેલા વાઇપ્સનો ઉપયોગ કરીને આ સમસ્યાને ઘટાડી શકો છો. આ માટે ગરમ પાણીના ભીના વાઇપ્સથી નાક સાફ કરો. ભીના વાઇપ્સ બજારમાં સરળતાથી મળી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત