મોટે ભાગે, લોકો લાખો પ્રયત્નો કરવા છતાં પણ વજન ઓછું કરી શકતા નથી. હકીકતમાં, દરેક લોકો તેમના આહારમાં એ ચીજોનો સમાવેશ જરૂરથી કરે છે જે તેમના જાડાપણું વધવાનું કારણ બને છે. તેમાં હાજર ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ અચાનક શરીરને ઉચ્ચ કેલરી આપે છે, જે બર્ન કરવું સરળ નથી. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેઓએ ક્યાં ખોરાકથી દૂર રહેવું જોઈએ.
બટેટા
મોટાભાગના લોકોને લીલા શાકભાજીમાં બટાકાનું મિક્ષણ ગમે છે. પરંતુ આ ખોરાકથી વ્યક્તિનું વજન ઝડપથી વધી શકે છે. બટેટામાં ઘણા કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. બટેટાના બનાવેલા પરોઠા અને ફ્રેન્ચ ફ્રાઈઝ શરીર માટે વધુ હાનિકારક છે.
ચોખા
તેમાં કોઈ શંકા નથી કે ચોખા સારી ચરબીનો સ્રોત છે. પરંતુ એક કપ ચોખામાં માત્ર 200 કેલરી નથી, પરંતુ તેમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, જે તમારા વજનમાં વધારો કરવા માટે જવાબદાર છે.
નોનવેજ ખોરાક
જો તમે લાલ માંસ ખાવ છો, તો જલદી તેને છોડી દો. આવા ખોરાકથી વજન તો વધે જ છે સાથે તે હૃદયરોગની સંભાવના પણ વધારે છે. આ સિવાય ચરબીવાળા માંસ શરીરમાં ચરબી પણ વધારે છે.
શક્કરીયા
100 ગ્રામ શક્કરીયામાં લગભગ 86 કેલરી વત્તા સ્ટાર્ક અને કાર્બોહાઇડ્રેટ હોય છે. જીમના શિક્ષકો પણ શક્કરીયા ખાવાની સલાહ તેમને આપે છે જે વજન વધારવા માંગે છે.
સ્વીટ કોર્ન (મકાઈ)
તમે લોકોને ઘણી વાર ફૂડ કોર્નર પર સ્વીટ મકાઈનો સ્વાદ લેતા જોયા હશે. અમે તમને જણાવી દઈએ કે તમારી પસંદની આ મકાઈમાં ઘણા બધા સ્ટાર્ચ હોય છે, જે ઝડપથી વજન વધારવાનું કામ કરે છે.
કોળુ
ઘણા લોકો તંદુરસ્ત રહેવા માટે સલાડમાં બાફેલા કોળું ખાવાનું પસંદ કરે છે. કોળામાં કેલરી ઓછી હોય છે, પરંતુ તેમાં સ્ટાર્ચ વધારે હોવાના કારણે તે વજન વધારવાનું કામ કરે છે.
ડેરી પ્રોડક્ટ્સ
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો ચરબી રહિત દૂધ ઉપરાંત, ડેરી ઉત્પાદનો જેમ કે દહીં, પનીર, માખણ, લસ્સી અથવા છાશ જેવા આહારથી દૂર રહો.
કઠોળ
ઘરે બનાવેલા કઠોળનું શાક દરેક લોકો ખૂબ ઉત્સાહથી ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે એક કપ કઠોળમાં લગભગ 227 કેલરી હોય છે. તેથી વજન ઘટાડવા માટે, કઠોળ અથવા શીંગોથી અંતર રાખવું વધુ સારું છે.
ચા અથવા કોફી
જો તમે પણ સવારની ઊંઘ અને બપોરે સુસ્તી દૂર કરવા માટે એક કપ ચા અથવા કોફીનું સેવન કરો છો, તો તે તમારા વજન વધારવાનું કામ કરે છે. એક દિવસમાં બે કપથી વધારે ચા અથવા કોફી પીવાથી ઘણી સમસ્યાઓ થાય છે. તે તમારા શરીરમાં કબજિયાત, આધાશીશી એસિડિટી થવાનું કારણ બની શકે છે. જો તમે અંદરથી ફિટ ન રહો, તો તમે વજન ઓછું કરી શકશો નહીં. તેથી જાડાપણું દૂર કરવા માટે શક્ય હોય તેટલું ચા અને કોફીનું સેવન ઓછું કરો.
પ્રોસેસ્ડ ફૂડ
પ્રોસેસ્ડ ફૂડ જાડાપણાના કારણોમાંનું એક છે. તેથી તમારા ખોરાકમાં સામાન્ય મીઠું, સફેદ ખાંડ અને રીફાઇન્ડ તેલનો ઉપયોગ ના કરો. ઓછું ખાવ અને પોષક તત્વોથી ભરપુર ખોરાકને તમારા રૂટીનમાં સ્થાન આપો. ખોરાકમાં રીફાઇન્ડ તેલની જગ્યાએ સરસવનું તેલ અથવા દેશી ઘીનો ઉપયોગ કરો. સામાન્ય મીઠાને બદલે સિંઘવ મીઠું ખાઓ. આ રીતથી પણ તમે તમારું વજન ઓછું કરી શકો છો અને તમારા શરીરને અનેક રોગોથી દુર રાખી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત