દૈનિક જીવનના ખોટા ખોરાક અને ટેવોના કારણે કેટલાક લોકો વધુ પડતા જાડા થઈ જાય છે અને કેટલાક લોકો હંમેશા પાતળા અને નબળા રહે છે. દરેક લોકો આ વાત જાણે જ છે કે નબળા અને દુર્બળ શરીરના કારણે વ્યક્તિની સુંદરતા ઓછી થાય છે અને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારના લોકો કોઈપણ માત્રામાં ખોરાક ખાઈ લે તો પણ તેમનું વજન વધતું નથી. આજે અમે તમને શરીરના વજનમાં વધારો ન થવાના આવા ત્રણ કારણો જણાવીશું. અહીં જણાવેલા આ 3 કારણોના કારણે, 99% લોકો વજનમાં વધારો કરી શકતા નથી.
પહેલું કારણ
આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે જમવા માટે સમય નથી અને લોકો યોગ્ય સમયે નાસ્તો અને ખોરાક ખાવામાં અસમર્થ હોય છે. જેની અસર શરીરના કામકાજ પર પડે છે અને શરીરના ભાગો કામ કરવાનું બંધ કરે છે. તેથી શરીર હંમેશા નબળું અને દુર્બળ રહે છે. તેથી પાતળા અને નબળા લોકોએ યોગ્ય સમયે નાસ્તો અને ખોરાક લેવો જોઈએ.
બીજું કારણ
આજકાલ લોકો જમતી વખતે વચ્ચે પાણી પીવે છે. આ કરવાથી પાચક સિસ્ટમ પર ખરાબ અસર પડે છે અને પાચક શક્તિ નબળી પડી જાય છે. જેના કારણે ખોરાકનું પાચન સારી રીતે થતું નથી અને ખોરાકના પોષક તત્વો શરીરના ભાગોને નથી મળતા. જેના કારણે શરીર હંમેશા દુર્બળ અને પાતળું રહે છે.
ત્રીજું કારણ
જો તમારા શરીરનું વજન ન વધી રહ્યું હોય તો તે તમારા પેટમાં થતી કૃમિના કારણે પણ હોઈ શકે છે. પેટમાં કૃમિ હોવાના કારણે ખોરાકના પોષક-તત્વો કૃમિ ખાય છે અને શરીરના અવયવોને ખોરાકના પોષક તત્વો મળતા નથી. જેના કારણે આપણું શરીર હંમેશા દુબળું અને પાતળું દેખાય છે.
જાણો વજન વધારવા માટેના ઉપાયો
– મોટાભાગના લોકો એક જ સમયે બધો ખોરાક ખાઈ લે છે, પરંતુ આમ કરવાના બદલે દિવસમાં 5 અથવા 6 વખત થોડું-થોડું ખાવું એ તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. લોકોએ કાળજી લેવી જોઈએ કે તેઓ જે પણ ખાય છે, તેમાં તેમનું વજન વધારવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ચરબી હોવી જોઈએ. પાતળા લોકોએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તેઓ વજન વધારવા માંગતા હોય તો શરીરમાં માત્ર ચરબી જ વધારવી જરૂરી નથી, પરંતુ પ્રોટીન લેવાથી માંસપેશીઓ પણ મજબૂત થવી જરૂરી છે.
– જે લોકોનું વજન ઓછું હોય છે અને ભૂખ ઓછી લાગે છે, તેઓએ નિયમિત કસરત કરવી જોઈએ, જેથી તેમને વધુ ભૂખ લાગે, જેના કારણે વધુ ખાવાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધશે અને તેમનો વજન પણ વધશે. પરંતુ એ પણ નોંધ લો કે વધુ કસરત અથવા કોઈ ખોટી રીતની કસરત તમારું વજન ઘટાડી પણ શકે છે.
– સંતુલિત આહાર લેવો અને વજન વધારવા માટે કસરત કરવી એ એક સાર્થક પ્રયાસ હોઈ શકે છે, પરંતુ જો કોઈ રોગ અથવા હોર્મોનલ સમસ્યાને કારણે વજનમાં વધારો થતો નથી, તો તેની તપાસ પણ કરાવવી જોઈએ. ડોક્ટરની સલાહ લીધા પછી તમારી શારીરિક સમસ્યા દૂર થઈ જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ