મિત્રો, ઘી નો ઉપયોગ સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ, મોટાભાગના લોકો ઘી નુ સેવન ટાળે છે કારણકે, ઘી નુ સેવન કરવાથી વજન વધવાનો ભય હમેંશા રહે છે પરંતુ, ગાયના ઘી નુ સેવન ક્યારેય તમારુ વજન વધવા દેતુ નથી ઉલટાનુ તે તમારુ વજન ઘટાડવામા સહાયરૂપ સાબિત થાય છે.
ગાયના ઘીમા પુષ્કળ માત્રામા વિટામિન-એ, વિટામીન-ડી, વિટામીન-કે, કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ, પોટેશિયમ જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. ફક્ત એટલુ જ નહી તેમા પુષ્કળ માત્રામા એન્ટીઓકિસડન્ટ તથા ઓમેગા-૩ અને ઓમેગા-૯ જેવા ફેટી એસિડ્સ સમાવિષ્ટ જોવા મળે છે. તો ચાલો જાણીએ ગાયના ઘી ના સેવનથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે.
માઈગ્રેનની સમસ્યા દૂર થાય :
આધાશીશી અને સરદર્દની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ગાયનુ ઘી ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે નિયમિત સવાર-સાંજ ભોજન કરવાના અડધા કલાક પહેલા ગાયના ઘીના બે ટીપા તમારા નાકમા નાખો તો તુરંત જ આધાશીશીની સમસ્યા દૂર થઇ શકે છે.
શરીરની નબળાઇ દૂર થાય :
જો તમારા શરીરમા નબળાઇની સમસ્યા હોય તો ગાયનુ ઘી પણ તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક ગ્લાસ દૂધમા અડધી ચમચી ઘી અને મધ મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો તો તમારા શરીરની તમામ નબળાઈ દૂર થઈ શકે છે.
સાંધાની સમસ્યાથી મુક્તિ મેળવો :
ગાયનુ ઘી એ સાંધાની સમસ્યાને દૂર કરવા માટે એક અસરકારક ઔષધ છે. જો તમે સંધિવાની સમસ્યાથી પીડાતા હોવ તો નિયમિત સાંધાને ગાયના ઘી થી માલિશ કરો તો આ પીડામાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો. આ ઉપાય અજમાવવાથી સાંધાનો દુ:ખાવો તો દૂર થાય છે જ પરંતુ, તેની સાથે તમારા હાડકા પણ મજબુત બને છે.
કફની સમસ્યા દૂર થાય છે :
જો તમે ગાયના ઘીમા થોડુ નમક ઉમેરી અને તેને હળવુ ગરમ કરો અને ત્યારબાદ છાતી પર માલિશ કરો તો તમે કફની સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો.
રોગપ્રતિકારક શક્તિ મજબુત બને :
જો તમે ગાયના ઘી નુ નિયમિત સેવન કરો છો તો તેમા સમાવિષ્ટ વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટ તત્વો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે તથા તમારા શરીરને ચેપ સામે લડવામા પણ સહાયરૂપ સાબિત થાય છે.
કેન્સરની સમસ્યા સામે રક્ષણ આપે :
આ ઘીમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સિડેન્ટ તત્વ સમાવિષ્ટ હોય છે, જે શરીરમાથી ઝેર બહાર કાઢવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તેમા કેન્સર વિરોધી ગુણતત્વો પણ સમાવિષ્ટ હોય છે. જો તમે નિયમિત તેનુ સેવન કરો છો તો તે તમને કેન્સરની સમસ્યા સામે રાહત આપી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ