આયુર્વેદમાં લસણનો ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. કોઈ પણ કાચા લસણ નો પ્રયોગ કરે કે તેમનું શાક બનાવવામાં આવે કે તેમની ચટણી બનાવવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ સાબિત થાય છે. પરંતુ ઘણા ઓછા લોકોને એવી જાણકારી હશે કે લસણનો શેકીને પણ ઉપયોગ કરી શકાય છે.વર્તમાન સમયમાં ભારતમાં કંપાવનારી ઠંડી પડી રહી છે. દરેક લોકો શરદીના સિતમથી બચવાના ઉપાય શોધી રહ્યા છે. શરદીની સીઝનમાં લોકો સૌથી વધારે બીમાર પડે છે. શિયાળઆમાં શરદી, ઉધરસ, તાવ અને છાતીમાં દર્દ જેવી ફરીયાદો પણ સામાન્ય થઈ જાય છે. જો તમે ઠંડીના કહેરથી બચીને સ્વસ્થ રહેવા માગો છો તો દરરોજ શેકેલુ લસણ ખાવાનું શરૂ કરી દો. લસણમાં એલિસિન, મેંગનીજ, પોટેશિયમ, આયરન, કેલ્શિયમ અને વિટામિન સી જેવા પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ કારણે શિયાળામાં શેકેલ લસણનું સેવન કરવાથી ઘણી બીમારીઓમાંથી છુટકારો મેળવી શકાય છે.
એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ
તે પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.કે લસણમાં સલ્ફર નામનું તત્ત્વ રહેલું હોય છે. તેમાં એલિસિન નામનું તત્વ રહેલું હોય છે. તેમના કારણે લસણમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી આવતા હોય છે. લસણ ઉપર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો લસણમાં ઘણા બધા રસાયણો હોય છે.
કેન્સરથી રક્ષણ કરે છે
દરરોજ સાંજે શેકેલી બે કળી લસણ ખાવાથી પુરુષોની શારીરિક સમસ્યા માં થી મુક્તિ મળે છે. કેન્સરથી રક્ષણ કરે છે. લસણ શરીરમાં ખૂબ જ ગરમી પેદા કરે છે. તે આપણા શરીરને ઠંડીથી રક્ષણ આપે છે. તે ઉપરાંત તે કેન્સર જેવા ગંભીર રોગોથી પણ આપણા શરીરને બચાવે છે.
કોલ્ડ અને ફ્લૂથી મળે છે રાહત
જો તમને ઠંડીમાં શરદી અને ફ્લૂ પોતાની લપેટમાં લઈ લે છે તો, એવામાં શેકેલ લસણનું સેવન કોઈ ઔષધીથી ઓછુ નથી. લસણની ચા અને ખાલી પેટ બે લસણ ખાવાથી તમને તરત બીમારીથી રાહત મળશે.
લસણ ર્હદય માટે ખૂબ જ ફાયદાકારક
લસણમાં મળી આવનરા એલિસિન દિલ સાથે જોડાયેલી બીમારીઓ સામે લડે છે. એલિસિન શરીરમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછુ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકે છે. દરરોજ શેકેલ લસણનું સેવન કરવાથી પ્લેટલેટ્સના એકત્રીકરણને ઓછુ કરી, લોહીના થક્કોને જામવાથઈ રોકે છે. શેકેલ લસણખી હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પણ રાહત મળે છે.
લસણ ખાવાથી વધે છે ઈમ્યુનિટી
રોગથી લડવા માટે ઈમ્યુનિટીનું મજબૂત હોવુ ખૂબ જ જરૂરી હોય છે. દરરોજ મધની સાથે શેકેલ લસણનું સેવન કરવાથી ઈમ્યુનિટી વધારી શકાય છે. તેનાથી તમારા શરીરના રોગોથી લડવાની તાકત મળે છે.
લસણ ખાવાથી વજન થાય છે કંટ્રોલ
ખાવાપીવાની સાચી મજા શિયાળામાં જ આવે છે. તેથી આ સીઝનમાં ઘણા લોકોનું વજન વધી જાય છે. શેકેલ લસણનું સેવન ફેટ કોશિકાઓને વધારનાર જીન ઓછા કરે છે અને શરીરમાં થર્મોજેનેસિસને વધારે છે. તેથી વજનને ઓછુ કરવા માટે શેકેલ લસણનું સેવન જરૂર કરો.
અસ્થમાના દર્દીઓ માટે રામબાણ છે લસણ
અસ્થમાના દર્દીઓ માટે શેકેલ લસણ એક રામબાણ સારવાર છે. દરરોજ દૂધની સાથે લસણની શેકેલી 2 કળીઓ લેવાથી અસ્થમા નિયંત્રણમાં રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત