વજન ઓછું કરવા માટે ખાવા-પીવા પર ધ્યાન આપવુ ખૂબ જરુરી છે.
એક નવા સંશોધન પ્રમાણે તમે રાતે પેટ ભરીને ખાવા કરતા હળવો આહાર લો અને સવારે હળવો નાસ્તો કરવાને બદલે પેટ ભરીને નાસ્તો કરો, આમ કરવાથી વજન ઓછું થવાની સાથે ડાયાબીટીસને પણ કંટ્રોલમાં રાખી શકે છે.
આ વાત એક શોધમાં બહાર આવી છે. જર્મનીમાં રહેલી લુબેક વિશ્વ વિધાલયના શોધકર્તાના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે શરીર રાતના ભોજન કરતા સવારનું ભોજન સરળતાથી પચાવી શકે છે.આ શોધ ધ જનરલ ઓફ ક્લિનિકલ અંડોક્રીનોલોજી અને મેટાબોલિજમમાં પ્રકાશિત થયો છે.
ડાયટ-ઇન્ડ્યુન્સ્ડ થર્મોજેનેસિસ (ડીઆઇટી) રૂપે રહેલા તત્વો આ પ્રક્રિયામાં એ વાતનું માપ હોય છે કે આપણુ ચયાપચન કેટલી સારી રીતે કામ કરે છે અને કેવી રીતે એ આપણા ભોજનના આધાર પર હોય છે.
લૂબેક વિશ્વ વિધયાલયના મુખ્ય લેખક જુલિયન રિચટરે કહયું છે કે ” અમારા પરિણામો પરથી જાણવા મળે છે કે નાસ્તામાં ખાવામાં આવતા ભોજનમાં રહેલી કેલરીની માત્રાની દરકાર કર્યા વગર ડિનરમાં ખાધેલા ભોજનની તુલનામાં બે વખત વધુ ખોરાક પ્રેરિત થર્મોજેનેસિસ બનાવે છે.
જ્યારે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઊંઘ અને બોડીને બ્લોકને અણદેખ્યું કરવાને કારણે તમે ખોટા સમયે ભોજન લો છો જેના કારણે વજન વધે છે. મોડી રાતે ઊંઘવાવાળા પણ સમયસર ઊંઘવા વાળા લોકો જેટલી જ કેલેરી લે છે, પરંતુ ભોજન સમયસર ના લેવાને કારણે ઘણા બધા બદલાવ આવે છે.
મોડી રાત સુધી જાગવા વાળા પણ સમયસર ભોજન તો લે છે પણ એની સીધી અસર એમના વજન પર પડે છે. વિશેષજ્ઞની વાત માનીએ તો ફૂડ ઈંટેક મેનેજ કરવાની સૌથી સારી રીત છે લાઈફ સ્ટાઈલ અનુસાર ખાવા-પીવાનો શિડ્યુલ બનાવું જોઇયે.
આની સાથે ખની-પીણીની આદતો પર પણ ધ્યાન રાખવું જોઇયે. એટલે કે દિવસ ભાર તમે જે પણ આહાર લો છો એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
બ્રેકફાસ્ટનો સમય
ઉઠ્યા પછી અડધો કલાકની અંદર-અંદર જ બ્રેક ફાસ્ટ કરી લેવો જોઇએ.
સવારે 7 વાગ્યાનો સમય બ્રેકફાસ્ટ માટે સૌથી સારો છે.
લંચનો સમય
બપોરે 12:45નો સમય લંચ કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે.
બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે ચાર કલાકનો સમયગાળો રાખવાની કોશિશ કરવી જોઇયે.
ડિનર
સાંજે 7 વાગ્યા પહેલા-પહેલા ડિનર લઈ લેવું સૌથી સારું માનવામાં આવે છે.
ડિનર અને ઊંઘવાના સમયગાળા વચ્ચે ઓછામાં ઓછો 3 કલાકનો સમય રાખવો જોઇયે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ