બંધ બારણે વિવેક ઓબેરોય એવી તે કેવી ભૂલ કરી બેઠો કે તે ઐશ્વર્યાને તો ગુમાવી જ બેસ્યો પણ સાથે સાથે કેરિયેરથી પણ હાથ ધોવા પડ્યા
ઘણીવાર તમારા જીવનમાં એવા વણાંકો આવે જ્યારે તમે તમારી નિર્ણય શક્તિ ગુમાવી બેઠો છો અને તમે ખોટા નિર્ણયો લઈ લો છો.
કેરિયરની શરૂઆતથી જ પોતાની અભિનય ક્ષમતાનો પરચો આપનાર વિવેક ઓબેરોય સાથે પણ કંઈક તેવું જ થયું હતું અને તેણે પોતાની એક ભૂલના કારણે કેરિયરથી હાથ ધોવા પડ્યા હતા.
વિવેક ઓબેરોયે પોતાની કેરિયર રામગોપાલ વર્મા દીગ્દર્શીત ફિલ્મ કંપનીથી કરી હતી. તેમાં અજય દેવગન જેવો પ્રભાવશાળી અભિનેતા હોવા છતાં પણ વિવેકે પોતાના કામથી તેનો પણ એક ચાહક વર્ગ પહેલી ફિલ્મથી જ ઉભો કરી દીધો હતો.
તેને ફિલ્મોમાં લાંબી રેસનો ઘોડો માનવામાં આવતો હતો પણ તે એક એવી ભૂલ કરી બેઠો કે તેની કેરિયસ શરૂ થાય તે પહેલાં જ ખતમ થઈ ગઈ.
તેનું મુખ્ય કારણ હતું સલમાન ખાન સાથેની તેની દુશ્મની જે ઐશ્વર્યાના કારણે તેણે વોહરી હતી. આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે ગાઢ સંબંધ રહી ચૂક્યા છે.
પણ સલમાન ખાનના આક્રમક સ્વભાવના કારણે ઐશ્વર્યાએ તેની સાથેના સંબંધનો અંત લાવ્યો હતો અને ત્યાર બાદ તેણી વિવેક ઓબેરોયની નજીક આવી હતી અને તેમની વચ્ચે પણ સંબંધો હોવાના સમાચાર ફેલાયા હતા. પણ ઐશ્વર્યાનું તેની સાથે પણ બ્રેકઅપ થઈ ગયું.
1999ના વર્ષની આ વાત છે. ઐશ્વર્યા સંજય લીલા ભણસાળીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં સલમાન ખાન સાથે કામ કરી રહી હતી. અને આ દરમિયાન જ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
ત્યાર બાદ તેઓ લગભગ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. આ દરમિયાન સલમાન ઐશ્વર્યાને એક ક્ષણ પણ એકલી નહોતો છોડવા માગતો.
રાની મુખર્જી – શાહરુખ ખાન અભિનિત ફિલ્મ ચલતે ચલતે પહેલાં ઐશ્વર્યાને ઓફર કરવામાં આવી હતી અને શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું સેટ પર વારંવારની સલમાનની હાજરી સેટના માહોલને બગાડતો હતો અને છેવટે ઐશ્વર્યાએ ફિલ્મ છોડવી પડી હતી.
છેવટે ઐશ્વર્યા અને સલમાનનું બ્રેકઅપ થઈ ગયું અને સલમાન પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યો. તે ઘણીવાર ઐશ્વર્યાની ફિલ્મોના સેટ પર જઈ જઈને ધમાલ કરી આવતો.
2002માં ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સલમાન અને હું માર્ચ મહિનાથી અલગ થઈ ગયા છે, પણ સલમાનને અમારા સંબંધ ટૂટી ગયા છે તે વાત પર વિશ્વાસ નથી અને બ્રેકઅપ બાદ પણ તે મને સતત ફોન કરે છે અને ગાળો આપે છે.
ઐશ્વર્યાએ ઇન્ટવ્યુમાં એ પણ જણાવ્યું હતું કે સલમાને તેણી પર હાથ પણ ઉઠાવ્યો હતો એ તો સારું થયું કે મારના કોઈ નિશાન ન પડ્યા. આ બધું થવા છતાં પણ હું શુટિંગ પર એવી રીતે જતી હતી જાણે કંઈ થયું જ ન હોય.
બ્રેકઅપ બાદ ઐશ્વર્યાના જીવનમાં વિવેક ઓબેરોય આવ્યો. આ બન્ને ફિલ્મ ક્યોં હો ગયા નાથી એકબીજાના સંપર્કમાં આવ્યા અને શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા. બન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને વિવેકે ઐશ્વર્યાના 30માં જન્મ દિવસ પર 30 ભેટો પણ આપી હતી.
જો કે ઐશ્વર્યાએ ક્યારેય આ સંબંધને જાહેરમાં એક્સેપ્ટ નથી કર્યો. પણ તેમને બન્નેને ઘણીવાર એક સાથે જોવામાં આવ્યા હતા. બધું ખુબ સારું ચાલી રહ્યું હતું પણ વિવેક ઓબેરોય એક ભૂલ કરી બેઠો અને તેની પડતી શરૂ થઈ.
વિવેકે એક પ્રેસ કોન્ફરન્સ કરી મિડિયાને જણાવ્યું હતું કે તેના પર સલમાન ખાનના ફોન આવવા લાગ્યા હતા અને તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેનું આવું કહેવીથી કશું ઠીક તો નજ થયું પણ તેણે જીવનમાં ઘણું બધું ગુમાવવું પડ્યું.
ઐશ્વર્યા પણ તેનાથી દૂરથવા લાગી. સાથે સાથે હવે તેને લોકો ફિલ્મમાં લેવાનું પણ ટાળવ લાગ્યા. અને તેને ફિલ્મો મળતી સદંતર બંધ થઈ ગઈ.
જો તેણે પ્રેસ કોન્ફરન્સ કરવાની ભૂલ ન કરી હોત તો આજે કદાચ ઐશ્વર્યા પણ તેની સાથે હોત અને તેની કેરિયર પણ સારી રહી હોત કારણ કે તેમાં ટેલેન્ટ તો ભરપુર હતી પણ તેણે સલમાનથી દુશ્મની કરવાની ભૂલ કરી હતી.
ઐશ્વર્યાએ અભિષેક સાથે ઘણી બધી ફિલ્મો કરી હતી અને તેણી પોતાની કેરિયેરની શરૂઆતથી અભિષેકને સારી રીતે જાણતી હતી અને તેઓ એકબીજાના સારા મિત્રો પણ હતા.
પણ છેવટે ફિલ્મ ઉમરાવ જાનમાં સાથે કામ કરતાં કરતાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા અને ફિલ્મ ગુરુના પ્રિમિયર દરમિયાન અભિષેકે ઐશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને તેણીએ તરત જ હા પાડી દીધી. અને 2007માં ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ