લગ્ન બાદ આ અભિનેત્રીઓએ મનોરંજન જગતને કહી દીધું અલવિદાઃ એક અભિનેત્રીના તો થયા હતા શાહી લગ્ન
આ ટીવી અભિનેત્રી વાસ્તવમાં છે એક રજવાડાની રાજકુમારીઃ લગ્નમાં પ્રધાનમંત્રી મોદીએ પણ આપી હતી હાજરી
લગ્ન એ જીવનનો એટલો મહત્ત્વનો પડાવ છે કે જેનાથી ઘણા બધા લોકોનું જીવન બદલાઈ જતું હોય છે. આ બદલાવ ખાસ કરીને સ્ત્રીઓના જીવનમાં વધારે આવે છે. તેણીએ ઘણીવાર પોતાની કેરિયરને પણ અલવિદા કહી દેવી પડે છે.
જો કે ઘણી સ્ત્રીઓ કોઈ પણ સંજોગોમાં પોતાની કારકીર્દી સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવા નથી ઇચ્છતી પણ કેટલીક પેતાના લગ્નને પ્રાથમિકતા આપવામાં માને છે.
આપણી સામે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા ઘણા બધા ઉદાહણ છે જેમાં હીરોઈનો લગ્ન બાદ રૂપેરી પડદા પરથી સદંતર જ ગાયબ થઈ ગઈ હોય જેમાં તમે મીનાક્ષી શેશાદ્રી, નીતુ સિંઘ, પદ્મીની કોલ્હાપૂરી વિગેરેની ગણતરી કરી શકો છો.
અને માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પણ ટેલીવીઝનની પણ ઘણી બધી અભિનેત્રીઓ લગ્ન બાદ પોતાના નવા સંસારમાં ઓતપ્રોત થઈ જાય છે. ચાલો જાણીએ તેવી જ કેટલીક ટીવી અભિનેત્રીઓ વિષે.
પૂર્વી જોશી
જાણીતી ગુજરાતી-હીન્દી-મરાઠી અભિનેત્રી સરિતા જોશીની દીકરી પૂર્વી જોશીએ લગ્ન કરતાં જ તેણી ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી જાણે ગાયબ જ થઈ ગઈ છે.
તેણીની પ્રથમ સિરિયલ ફાસલે હતી, ત્યાર બાદ તેણી ગ્રેટ ઇડિયન કોમેડી તેમજ કોમેડી સર્કસમાં પણ કોમેડી કરતી જોવા મળી હતી.
મિહિકા વર્મા
ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય સિરિયલ યે હૈ મુહોબ્બતે જે હજુ ગયા સપ્તાહે જ ઓફ એર થઈ છે તેમાં સિરિયલની લીડ એક્ટ્રેસ ઇશિતાની નાની બહેનનું પાત્ર નિભાવનાર મિહિકા વર્માએ પણ લગ્ન બાદ નાના પરદાને અલવિદા કહી દીધું છે.તેણી હાલ યુ.એસમાં પોતાના સાસરે છે અને કાયમી ધોરણે ત્યાં જ શિફ્ટ થઈ ગઈ છે.
એકતા કૌલ
સ્ટાર પ્લસ પર સાંજના સમયે આવતી મેરે અંગને મેંમાં મુખ્ય પાત્ર નિભાવતી એકતા કૌલને અચાનક જ સિરિયલમાં કામ કરવાનું છોડી દીધું હતું. જો કે આ સિરિયલ વધારે ચાલી પણ નહોતી શકી.
તેણીએ 2018માં 15 સપ્ટેમ્બરના રોજ જાણીતા અભિનેતા સુમિત વ્યાસ સાથે લગ્ન કર્યા છે. ત્યાર બાદ તેણી અભિનયની દૂનિયાથી દૂર છે.
નેહા મરદા
નેહા મરદાને તમે બાલિકા વધુમાં ગેહનાનાનું પાત્ર નિભાવતી જોઈ હશે અને ત્યાર બાદ તેણી નાના પરદે લોકપ્રિય થઈ ગઈ હતી ત્યાર બાદ તેણી ડોલી અરમાનો કીમાં જોવા મળી હતી.
જો કે લગ્ન બાદ તેણી કોઈ જ સિરિયલમાં જોવા નથી મળી. તેણી હાલ પોતાનું લગ્નજીવન માણી રહી છે અને તેની તસ્વીરો જોતાં તે તેમાં ખુબ જ ખુશ હોય તેવુ લાગી રહ્યું છે.
મોહેના કુમારી
મોહેના કુમારીને કદાચ તમને નામથી નહીં ઓળખતા હોવ પણ જો તમે યે રિશ્તા ક્યા કેહલાતા હૈ સિરિયલ નિયમિત જોતાં હશો તો તેમાં તેણી નક્ષની પત્નીની ભૂમિકા ભજવતી હતી. હાલ તેણી સિરિયલમાંથી ગાયબ છે કારણ કે તેણી પરણીને પોતાના નવા સંસારમાં ઠરીટામ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે મોહેના કુમારી રીવાની રાજકુમારી છે. અને તેણીના લગ્ન પણ રાજકુમારીના ઠાઠથી જ કરવામાં આવ્યા હતા જેની તસ્વીરો તેમજે વિડિયો સોશિયેલ મિડિયા પર ખુબ જ વાયરલ થયા હતા.
તેના સાસરી પક્ષનો સંબંધ રાજકારણ સાથે છે અને તેણીના લગ્નમાં પ્રધાનમંત્રી મોદીએ પણ હાજરી આપી હતી. હાલ સિરિયલમાં તેણીનું પાત્ર અદ્રશ્ય છે અને તેના માટે કોઈ નવો ચહેરો પણ શોધવામાં નથી આવ્યો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ