જ્યોતિષીએ સુશાંતને લઈને બધી જ કુંડળી તપાસી, અભિનેતાએ આત્મહત્યા તો નથી કરી, પણ…જાણો આ વિશે શું કહેવું છે જ્યોતિષનું

6 મહિના પહેલાં માત્ર એક જ નામ ચારેતરફ ગુંજી ઉઠ્યું હતું, અને એ નામ એટલે સુશાંત સિંહ રાજપૂત. ત્યારે લોકોમાં પણ એક રોષની લાગણી હતી કે આટલો મોટો અભિનેતા શા માટે આપઘાત કરી શકે અને કઈ રીતે તેના જીવનને ટૂંકાવી શકે. ત્યારબાદ દેશના તમામ નાગરિકોની નજર સુશાંત સિંહ રાજપૂત કેસ ઉપર રહી છે. મોટી મોટી એજન્સી પણ આ તપાસમાં જોડાઈ પણ ક્યાંયથી કોઈ મર્ડરના પુરાવા સામે આવ્યા નથી. ત્યારે હવે તેમની કુંડળીને લઈ એક અઘરી વાત સામે આવી છે અને ફરીથી તેના કેસને લઈ ચર્ચાઓ તેજ બની છે. તો આવો વિગતે જાણીએ કે આ માહિતી શું છે.

image source

સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ વહેલી સવારે 2:15 કલાકે પટનામાં થયો હતો. એ સમય મુજબની તેની કુંડળી નીચે પ્રમાણે બને છે.

image source

ઉલ્લેખનીય છે કે આખો દેશ જાણે છે કે સુશાંત સિંહે 14 જૂન 2020ના રોજ આપઘાત કર્યો હતો. એ પછી તેનાં પિતાએ કંઈ મેલી રકમ રમાઈ હોવાની અને પોલીસ બરાબર તપાસ કરી રહી ન હોવાનો આક્ષેપ કરી CBI તપાસની માગણી કરી હતી. પછી એની વાતોનું માન રાખીને સુપ્રીમ કોર્ટે CBIને તપાસ સોંપી છે ત્યારે સૌના મનમાં એવો સવાલ છે કે શું સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી હતી? જે પણ વ્યક્તિ આપઘાત કરે છે તેમની કુંડળીમાં ત્રીજા, આઠમા અને અગિયારમાં સ્થાનના માલિકો વચ્ચે યુતિ કે દૃષ્ટિ દ્વારા અવશ્ય સંબંધ થયો હોય છે.

image source

પણ અહીં જોવા જેવી વાત એ છે કે, આવો કોઈ સંબંધ સુશાંતની કુંડળીમાં થતો નથી. એટલે કિસ્સો આત્મહત્યાનો હોય એમ આ કુંડળી (જાહેર કરાયેલો સમય સાચો છે તે માનીને) દર્શાવતી નથી. આગળ વાત કરીએ તો પ્રથમ સ્થાને કે જે વ્યક્તિત્વ દેહ આરોગ્યનું સ્થાન છે તેમાં શનિ છે, તેને શત્રુ ગ્રહ ચંદ્ર જોઈ રહ્યો છે તે અને બુધ પર રાહુની દૃષ્ટિએ ડિપ્રેશન દર્શાવે છે. પહેલા અને સાતમાં સ્થાનમાં થયેલી ચંદ્ર-શનિની યુતિએ સુશાંતને અતિ લાગણીશીલ સ્વભાવ આપ્યો હતો. ગુરુ-શુક્ર યુતિ અને તેના પર મંગળની દૃષ્ટિએ એકથી અધિક વિજાતીય સંબંધો આપ્યા હતા. વૃશ્ચિક લગ્નમાં શનિ વ્યક્તિને સતત ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર કરે છે.

image source

તો આ બધી જ માહિતી પરથી એક વાત સ્પષ્ટ છે કે સુશાંતે પોતાનું જીવન તો નથી ટૂંકાવ્યું. એટલે કે કુંડળી પરથી જાણી શકાય કે સુશાંતે આપઘાત તો નથી કર્યો એમ એની કુંડળી કહે છે ત્યારે તેનું મૃત્યુ કઈ રીતે થયું? ત્યારે એક એવી વાત સામે આવી છે કે સુશાંત પર મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને આ વાત ભારે ચર્ચાઈ હતી. તો આ જ વાતને જ્યોતિષશાસ્ત્રમાં અભિચાર કહેવામાં આવે છે. અહીં મંગળ કેતુ જોડે છે અને બાધકેશ ચંદ્ર મંગળથી દૂર છે. વળી મૃત્યુ સ્થાનમાં કેતુ અને આઠમા સ્થાન પર કેતુની દૃષ્ટિ દર્શાવે છે કે તેના પર અભિચાર પણ થયેલા છે. ગ્રહોની અંશાત્મક સ્થિતિ પ્રમાણે જે કુંડળી બનાવાઈ છે એ સુશાંતની કસ્પ કુંડળીમાં બારમા એટલે કે મૃત્યુના ભાવમાં બે પાપગ્રહો અને આઠમા સ્થાન પર સૂર્ય-કેતુ એમ બે પાપ ગ્રહોની દૃષ્ટિ એટલું તો ચોક્કસ કહે છે કે તેના પર બળપ્રયોગ થયો હશે.

image source

આ સાથે જ કુંડળીની વાત આગળ વધારીએ તો બુધને રાહુ જુએ છે અને બુધ જે રાશિમાં છે એનો માલિક ગુરુ નીચ રાશિમાં છે જે દર્શાવે છે કે તેની નર્વસ સિસ્ટમને મૃત્યુ પૂર્વે આઘાત લાગ્યો હતો. તેમજ આ પ્રકરણમાં અન્ય પક્ષકારનું પાત્ર અભિનેત્રી રિયા ચક્રવર્તી પણ એટલી જ ચર્ચામાં છે જો એના વિશે વાત કરીએ તો એનો જન્મ સમય ઉપલબ્ધ નથી. એના પરથી જોઈએ તો 1 જુલાઈ 1992ના રોજ જન્મેલી રિયા ચક્રવર્તીની કુંડળીમાં પણ શનિ-ચક્રનો વિષયોગ થાય છે. અત્યારે રિયાના જન્મના ચંદ્ર પર શનિની દૃષ્ટિ છે અને જન્મના રાહુ પરથી હાલ ગુરુ જઈ રહ્યો છે જે તેના અશુભ સમય ચાલી રહ્યો હોવાનું દર્શાવે છે.

image source

તેમજ રિયા વિશે વધારે વિગતે વાત કરીએ તો જન્મના સૂર્ય અને શુક્ર પરથી ગોચરનો રાહુ પસાર થઈ રહ્યો છે તે તેના આરોગ્ય અને જાનને ખતરો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે આ બધી વાતો જ્યોતિષી જિતેન્દ્ર ત્રિવેદીએ મિડ-ડે સાથે કરી હતી. આ સિવાય જો વાત કરીએ તો એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પરિવારથી ફરી એકવાર ખરાબ સમાચાર આવી રહ્યા છે. એક્ટરના પિતા કેકે સિંહ હોસ્પિટલમાં દાખલ થયા છે. સુશાંતના પિતાને હાલમાં જ હ્રદયરોગની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેકે સિંહ હાલ હરિયાણાના હોસ્પિટલમાં દાખલ છે. ત્યાંથી એમની એક તસવીર સામે આવી છે. જોકે હવે એમની તબિયત પહેલા કરતા સારી છે, પરંતુ તેમની સારવાર ચાલુ છે. આ સમાચાર સામે આવતા જ એમના ફૅન્સ અને પરિવારના લોકો હેરાન થઈ ગયા હતા.

image source

સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહની હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા ફૅન્સ સાથે શૅર કરી છે. વિરલે પોતાના પેજ પર એક ફોટો તસવીર શૅર કરતા પોસ્ટમાં લખ્યું છે કે કેકે સિંહ હાર્ટ પ્રોબ્લેમના કારણે હાલ ફરીદાબાદના એશિયન હોસ્પિટલમાં દાખલ છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. કેકે સિંહની હોસ્પિટલમાંથી સામે આવેલી તસવીરમાં એમની સાથે સુશાંતની બહેન પ્રિયંકા અને મીતૂ સિંહ પણ નજર આવી રહી છે. તેમ જ કેકે સિંહ હોસ્પિટલમાં બેડ પર નજર આવી રહ્યા છે. કેકે સિંહની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. આ તસવીર ફૅન્સની સતત કમેન્ટ્સ આવી રહી છે. તેમ જ ફૅન્સ કમેન્ટ કરીને તેમની વહેલી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ