આ દિવસે થઈ રહેલા સૂર્યના ગોચરથી 5 રાશિના લોકોને થશે અનેક મુશ્કેલીઓ, જાણો આમાં તમારી રાશિ છે કે નહિં…

હાલમાં આ મહિને અનેક રાશિઓનો ગોચર થવા જઈ રહ્યો છે જેમાં 14 માર્ચે સાંજે 05.55 મિનિટે સૂર્યનો મીન રાશિમાં ગોટર થશે. મીન રાશિ જળની રાશિ છે જ્યારે સૂર્ય અગ્નિ તત્વનો પ્રધાન માનવામાં આવે છે. આ અગ્નિ અને જળ તત્વનું મિલન અનેક રાશિઓ પર અસર કરી શકે છે. તો જાણો સૂર્યના ગોચરનો પ્રભાવ કઈ રાશિઓ પર થશે અને કઈ રાશિને તેના નકારાત્મક પરિણામો મળી શકે છે. કુલ મળીને 5 રાશિના લોકોએ આ ગોચરમાં સાવધાની રાખવાની જરૂર છે.

મેષ

આ રાશિના લોકોને ગોચરના પ્રભાવના કારણે અનેક ફેરફાર અનુભવાશે. કેટલાક લોકો આ સમયે તેમના આત્મવિશ્વાસમાં ખામી અનુભવી શકે છે. તેની અસર તમારી કાર્યક્ષમતા પર થશે. કેટલાક જાતકો વિદેશની કામનો કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે. તમે તમારા દુશ્મનો પર હાવી થશો અને સાથે જ કોઈ કાયદાકીય કેસમાં ફસાઈ ગયા છે અને સાથે જ આ ગોચરમાં આગળ ન વધો. કારોબારમાં નુકસાન થઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારો છો તો અટકી જાઓ. સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. અનાવશ્યક ખર્ચ પર લગામ લગાવવાની જરૂર છે.

સિંહ

આ રાશિનો સ્વામી સૂર્ય છે. આ ગોચર સિંહ રાશિના લોકો પર સારો પ્રભાવ પાડી શકે છે. વ્યવસાયિક રીતે તમારા કામની ગતિ ધીમી થઈ શકે છે. તમારી ઈચ્છાનુસારના પરિણામો મેળવવામાં તકલીફ રહેશે. આત્મવિશ્વાસ ઘટશે અને ભવિષ્યને વિષે વિચારીને પરેશાન થશો, કાર્યસ્થળ પર પણ ઝઘડાનું વાતાવરણ બની શકે છે. ગુસ્સા પર કાબૂ રાખો અને સાથે યાત્રા કે રોકાણ કરવાનો સારો સમય નથી. રૂપિયા કમાવવા માટે કોઈ શોર્ટકટ ન અપનાવો. આ સાથે જીવનસાથીનો સહયોગ મળી શકે છે. વિશ્વાસ રાખો અને કુશળતાથી કામ લો તે જરૂરી છે.

કન્યા

આ રાશિના લોકોને સૂર્યના ગોચરમાં થોડું નુકસાન થવાની શક્યતા છે. આ ગોચરમાં વધારે મહેનત કરવાની રહેશે તો જ સારા પરિણામ મળી શકશે. કેટલાક જાતકો પોતાના વરિષ્ઠ લોકો સાથે ચર્ચાના કારણે નીચા દેખાશે અને તેમના કામ પર પણ તેની અસર થશે. ભાગીદારીમાં વેપાર કરી રહેલા લોકો નવું કામ શરૂ કરી શકશે નહી. સાથે જ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. પહેલા કોઈ મોટા વ્યક્તિની સલાહ લો અને ખર્ચમાં વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખો, જીવનસાથી સાથેના સંબંધોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હેલ્થ પર વધારે ધ્યાન રાખવાની જરૂર છે.

ધન

આ રાશિના લોકોની સૂર્યના ગોચરના કારણે હેલ્થ ખરાબ થઈ શકે છે. આ માટે તમારે માનસિક મુશ્કેલીઓથી બચવાની જરૂર છે. ઘરનું માહોલ ખરાબ રહેશે. પરિવારના લોકો સાથે મનભેદ થશે. ઘરમાં સુખ શાંતિ ઇચ્છો છો તો વ્યવહાર સુધારવાની કોશિશ કરો. પ્રેમ સાથે જોડાયેલા છો તો સાવધાન રહો, ભાવનાઓ પર કાબૂ રાખો. લગ્ન કરવા માટે આ સારો સમય નથી. માટે આ વિચાર ન કરો.જીવનસાથીની સાથે નાના નાના મુદ્દા પર લડાઈ શક્ય છે. કામનો બોજ વધવાથી તમે પરેશાન રહેશો. ગોચરકાળમાં રોકાણ સાથે જોડાયેલા કોઈ કામ ન કરો.

મીન

સૂર્યનો ગોચર આ રાશિના લોકોને માટે મુશ્કેલ રહેશે. તેનો પ્રભાવ આ રાશિના લોકોની હેલ્થ પર અસર કરી શકે છે. તમને માથુ દુઃખવુ, આંખની રોશની, શરદી, ખાંસીની સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. આ સમયે હેલ્થનું ખાસ ધ્યાન રાખો. કોઈ પણ સમસ્યાને ટાળવાના બદલે ડોક્ટરની સાથે સંપર્ક કરો. કાર્યમાં થાક અને સુસ્તી અનભવાઈ શકે છે. તમારા શત્રુઓ તમારી છબિ ખરાબ કરવાની કોશિશ કરશે. આ માટે તમે સાવધાન અને સતર્ક રહો તે ખાસ જરૂરી છે. કારોબાર સાથે આ ગોચરનું અનુકૂળ પરિણામ મળશે નહીં. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળો. નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ